માતપુર (તા. પાટણ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

માતપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા પાટણ તાલુકામાં આવેલું એક ગામ છે. માતપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પુસ્તકાલય તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામનું એક પરું પણ વિકસ્યું છે જે ઉમિયાપરા તરીકે જાણીતું છે.

માતપુર
—  ગામ  —
માતપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°51′03″N 72°06′53″E / 23.850809°N 72.114838°E / 23.850809; 72.114838
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો પાટણ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
સુલેશ્વરી માતાજી

માતપુર ગામ ઊંઝા થી પાટણ જતા રાજ્ય ધોરી માર્ગ પર વિસલવાસણા ગામના વળાંક પર આવેલું છે. માતપુરનું અંતર અમદાવાદથી ૧૨૫ કિલોમીટર, પાટણથી ૧૮ કિલોમીટર, મહેસાણાથી ૩૭ કિલોમીટર, ઊંઝાથી ૧૨ કિલોમીટર, બાલીસણાથી ૪.૫ કિલોમીટર અને વિસલવાસણાથી ૪.૦ કિલોમીટર જેટલું છે. માતપુર ગામમાં શ્રી સુલેશ્વરી માતાજીનું મંદિર અને રામજી મંદિર સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત ગણપતિ, વૈજનાથ મહાદેવ, ધૂંધળીનાથ મહારાજ, વહેરાઈ માતા, સધી માતા, વહાણવટી માતાજી, ચેહર માતાજી, વગેરે મંદિરો પણ આવેલાં છે.

શ્રી સિદ્ધેશ્વરી માતાજી - (સધી માતા) ફેરફાર કરો

માતપુર ગામમાં શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર સુપ્રસિદ્ધ છે. દર વર્ષે ચૈત્ર-વૈશાખ મહિનામાં શ્રી સિદ્ધેશ્વરી માતાજીની કેટલીયે જાતરો થાય છે. જેમ કે, રમેણ, હવન વગેરે. ગામલોકો રમેણ વખતે માતાજીના દર્શન માટે આવે છે.

 
સિદ્ધેશ્વરી માતાજી-માતપુર