નથુગઢ (તા. ઘોઘા)
નથુગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧]. ગામમાં પ્રાથમિક સારવાર માટે એક દવાખાનું આવેલું છે, આ ઉપરાંત ઘરવપરાશની વસ્તુઓ માટે ત્રણ દુકાનો આવેલી છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી બે એગ્રો સેન્ટર આવેલા છે.
નથુગઢ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°33′13″N 72°09′49″E / 21.553568°N 72.163517°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
નથુગઢ ગામમાં રામજી મંદિર, ભોળાનાથનું મંદિર, રામદેવપીરનું મંદિર, ભૈરવનાથનું મંદિર, ખોડિયાર માનું મંદિર, જેવા દેવસ્થાનો આવેલા છે. અહીં નવું સ્મશાન આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે.
|
સંદર્ભ ફેરફાર કરો
- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ઘોઘા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૦૭-ઓકટોબર-૨૦૧૩. Check date values in:
|access-date=
and|date=
(મદદ)
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |