બાદરગઢ (તા. પાલનપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બાદરગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૨ (બાર) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] બાદરગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન તેમજ હીરા ઉદ્યોગ છે.

બાદરગઢ
—  ગામ  —
બાદરગઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°10′16″N 72°26′17″E / 24.171°N 72.438°E / 24.171; 72.438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો પાલનપુર
સરપંચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, દિવેલા, રાયડો, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ ફેરફાર કરો

આ ગામમાં પ્રવેશતાં તળાવ, બસ સ્ટેશન તથા માધ્યમિક શાળા આવે છે. તેની પાછળના નૈરુત્ય ખૂણાનો વિસ્તાર 'મશાયખપુરા' તરીકે ઓળખાય છે. માધ્યમિક શાળાની પૂર્વ તરફથી મગરવાડા જવાનો પાકો માર્ગ પસાર થાય છે તથા પશ્રિમે જતાં ગ્રામ પંચાયત કચેરી આવેલ છે. તેની આસપાસના વિસ્તારમાં દુકાનો તેમજ ટેલિફોન એક્સચેન્જ આવેલ છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Banaskantha District Panchayat | My Taluka|Palanpur-Taluka". banaskanthadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૭.