સૂરજપુરા(ચેખલા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ


સૂરજપુરા(ચેખલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] સૂરજપુરા(ચેખલા) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં કરણપુરી મહારાજની સમાધી છે અને ત્યાં સાક્ષાત ગુરુદેવનું મંદિર છે. ગામ ની નજીક નહેર પસાર થાય છે, ખેડુતો તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરે છે.

સૂરજપુરા(ચેખલા)
—  ગામ  —
સૂરજપુરા(ચેખલા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°10′16″N 72°26′17″E / 24.171°N 72.438°E / 24.171; 72.438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો પાલનપુર
સરપંચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

સંદર્ભ ફેરફાર કરો

  1. "Banaskantha District Panchayat | My Taluka|Palanpur-Taluka". banaskanthadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૭.