સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Sheetal joshi72, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયા ૦૫:૩૫, ૨૬ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર

સરસવણી,Sarasvani ફેરફાર કરો

દૂર કરવા વિનંતી સરસવણી,Sarasvani has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૧૧:૧૦, ૨૬ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર

પૂ. રવિશંકર મહારાજ ફેરફાર કરો

દૂર કરવા વિનંતી પૂ. રવિશંકર મહારાજ has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૧૧:૧૮, ૨૬ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર

અભ્યાસ કરો ફેરફાર કરો

શ્રી.Sheetal joshi72, આપે બનાવેલા કેટલાંક નવા પાના અને ફેરફાર અયોગ્ય ગણાશે. કૃપયા પ્રથમ ઉપરોક્ત સ્વાગત સંદેશ અને અન્ય ઉમદા લેખ અને લખાણ શૈલીનો અભ્યાસ કરી જ્ઞાનકોશલાયક લખાણ કરવા વિનંતી. અન્યત્રથી સીધું કોપી-પેસ્ટ કરાયેલું લખાણ પણ અમાન્ય ગણાશે. તે ઉપરાંત અન્ય સભ્ય દ્વારા પાના પર લગાવાતી ટૅગ્સ કે સૂચનાઓને અકારણ હટાવો નહિ. આપ નવા હો એટલે કદાચ થોડી ક્ષતિ થતી હોય પણ નિઃસંકોચ અન્ય સભ્યો/પ્રબંધકોની મદદ માગી શકો છો. યોગદાન બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૮, ૨૭ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર



હું અને સરસવણી ગામ વિકિપીડિયા ગુજરાતી ઉપર અશોક મોઢવાડીયા અને કાર્તિક મિસ્ત્રી ના અયોગ્ય કામનો અને અનયાય નાે વિરોધ કરીયે છે ફેરફાર કરો

Mr. Ashokbhai and Karthikbhai ફેરફાર કરો

1. 1st point ફેરફાર કરો

On Wikipedia Guajarati I make two article પૂ. રવિશંકર મહારાજ and સરસવણી,Sarasvani any how you don’t like it and remove later on I found both are duplicate. I agree it’s my mistake but the reason I made it because in previous article in title name have big mistake 1st mistake is both title don’t have any English name(now thinking Wikipedia Gujarati how we write down English in title ) but my point is when search any search engine with name of both tile in English you cannot find out easy way of both tile but if type in Gujarat then its appear now think logical way how many people know Guajarati typing or Gujarat software 99.9% don’t have.so if you cannot search with English typing then it’s useless to make page and waste of time. I want to say you make tile always in two languages because in world only easy way English word accept as search. So make title like this as example…પૂ. રવિશંકર મહારાજ (Sri Ravishankar Maharaj) and સરસવણી,(Sarasvani) So people search in search engine it will come fast on 1st page you don’t have to waste your time search 1 by 1 page again and again. Who is interest in our history and our village history more than 80% people not interested in this the interested in movie ,cricket etc…so we want to preserve our history and young generation want to see this then we have to make webpage some intelligent way. Wikipedia have some rules and regulation but “people make rule, rule not make people”

2.Now my 2nd point ફેરફાર કરો

in Wikipedia webpage you use name રવિશંકર મહારાજ so if you show me rules regulation in Guajarati language and you become administration and win award but it’s not worth it for you both because you don’t have respect of history and respect of our freedom fighter because you never fought for country you guys want to fight with your own people…because our Gujarat and Hindi is very rich language not it is like English so my main point is instead of રવિશંકર મહારાજ You have to correct it like this પૂ.રવિશંકર મહારાજ.. You have to respect the person who fought for our country. Just read their history. then you understand who is he?

3.Now my 3rd point ફેરફાર કરો

I am new to Wikipedia and when always search my village news or our people news its very lack of information available on webpage then north America.. Because they know how to preserve their history (dharohar) because our people don’t want any interest of our proud history…because we get easy freedom and free country.. I spend in last 3 day more than 40 hour to editing both page.. I don’t know how to edit but I learn it as well as edit it.. Then I get bad news from Wikipedia as admin. This editing is not valid due to certain point.. Now here you use logic history never repeat means never born 2nd Sri Mahatma Gandhi or Sri.Ravishankar maharaj so their related info we find either book, audio or hear from some other person’s mouth. So, we have to take information directly or indirectly.so my point is this when you talk or discuss history you have to use information who wrote on those history day because he wrote on actual event so if we want to publish for people as non-profit way to tech our younger generation like who is our Indian famous icon in history or live then. We have to share info. From the all author and article. Otherwise our younger generation know justin bieber,salman khan etc.they don’t know our real icon like Sri Mahatma Gandhi or Sri.Ravishankar maharaj..because whatever info who wrote on history you have to follow Sri.Zaverchand Meghani, શ્રી મગનભાઈ પટેલે, શ્રી શિવાભાઈ ગો. પટેલે, શ્રી મૂળશંકર ભટ્ટ etc.who wrote decade ago nobody can write like same which they written and if you want share info then in their original language you have to share. We cannot change one word from their original written article. If change it then we manipulating with our history if you say I cannot use any info. Then we never share our history.. next generation is born without history. I ask you, you know the name of lord Krishna’s Bhagvad Gita and lord Rama’s Sri.Tulsidas Ramayana and Mirabai bhajan so how we get it? Your parent or grandparent gives you. If they don’t tell us or give us then we never get!! if you cannot share Mirabai Bhajan because its written by Mirabai you have to go in heaven to get their permission for share their bhajan and philosophy or autobiography. Or write by yourself!!! Then what happen??we manipulating with our history and original language and word which wrote by our great people that’s why I find whatever info I collect it and past it instead of write by my own hand I don’t want insult and manipulate our great author as well as our original language.

4. Summary ફેરફાર કરો

I am living in North America here time is money but I want to do and contribute for our people, our language as well as our country. I did hard work more than 40 hour work in three day if you guys keep deleting information! Then people like me stop writing on Wikipedia then Wikipedia doesn’t get as much as info. Which make itself famous in internet world..then nobody read wikipedia..

5. My brief history ફેરફાર કરો

I born and brought in સરસવણી (તા. મહેમદાવાદ).and I see live પૂ.રવિશંકર મહારાજ in સરસવણી since 1972.he play with me when I am child, and lots of talk and tell us about how to get freedom of India because he was friend of my grandfather. Every day he came to my home while he live in સરસવણી. Today I see whatever I edit on સરસવણી page about પૂ.રવિશંકર મહારાજ you delete it but remember one thing when you take સરસવણી name then you have to write about પૂ.રવિશંકર મહારાજ and if want to remember પૂ.રવિશંકર મહારાજ then you have to write about સરસવણી..i am only concern about this both page because its related each other. If cannot give justice then forget to add both name article I will make webpage for them in short time.. I am not telling you to same article you put it as it is from my note because in your concern may be its written with mistake then correct it and put it back all information related both page.its my request to you..

Truly
Sheetal joshi72 (talk) ૧૩:૩૬, ૨૮ માર્ચ ૨૦૧૪ (IST)Sheetal joshiઉત્તર

Guidance and Reply to your Queries ફેરફાર કરો

First of all a warm welcome to the Gujarati Wiki Community and appreciation for the efforts you have made to share the information.

Generally we insist to discuss the matter in Gujarati on wikipedia Guajrati However as your have put up your points in English i assume that your are more comfortable in English.

Prior to it i would like to draw your attention to the fact that, wikipedia is "An Encyclopedia", and the content inside it should be impartial and factual. Keeping this Policy of Gujarati Wikipedia in mind corrections and modifications are made in article. So please don't consider that an editor has something against you or the writings made by you. Rather we are more happy when some one enthusiastic person like you joins the cause of spreading knowledge through our own language.

With this brief introduction, I would try to clarify your queries 1. It is policy of Wikipedia Gujarati that all the title of the article has to be in Gujarati and hence can't keep that in English or with English. Kindly go through any other wikipedia like Marathi , Bengali or Chinese.... nobody keeps their title in English, whether or not their alphabets are available on key board or not.

If a person searches for some article on Google in English, that means he is aware of the English language and English Wikipedia would be the source for him or her. More over now a days phonatic Gujarati keyboard layout is vary much available, and you get results, even if you type key words in Gujarati in Google search box.

2. With regard to putting prefixes such as "પૂ" , "પરમ પૂજ્ય", "રા. રા." "શ્રી", "શ્રીમાન" so on an so forth. There is a lot of confusion as if which one is correct, which one is wrong. It may so happen that some body who is "પૂ" for your may not be "પૂ" for some other person. for example Bill Clinton may be poojya for you but he may not be poojya for me. This may give rise to confusion and disputes. To avoid this, it has been Wikipedia's policy that no Prefix will be kept. More over the aim of wikipedia is to spray knowledge, and not to preserve culture or pay respect to any leader, social worker, activist etc.

3. when you want to refer to some factual information about some one, you may put it into " Inverted comma" and provide reference, from where you have taken this. If it is relevant to the context of the article, It will be kept.

4. Be it US or India Time is Money every where. The length of a second is same every where. for that matter i am skipping my lunch hours to reply.

5. It is good to know that you are remembering your village and native and contributing here. We appreciate that, but Wikipedia has its limitations, it is not a blog or a copyright content. So We need to write keeping that in Mind and should not copy paste ( other wise we might be criminal in copy right case.... kidding)

Would love to see more contributions from your side. If there are any other doubts or need any guidance do contact me on my discussion page, or on Face book (Sushant Savla).

--Sushant savla (talk) ૧૩:૪૫, ૨૮ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર

Thanks for your reply ફેરફાર કરો

I am strongly disagree about your following point ફેરફાર કરો

1. Gujarati key board ફેરફાર કરો

Suggestion do survey how many people handy to type and search in Guajarati. If you want to search Guajarati article and its title 2nd name is not is English then no search enginecanfind this article unless you search in Guajarati. I will give survey result 99.9% people want 2nd name in English!!!

(In that Case the person will find the article on english wikipedia, when he will reach there he will find out in left side column that this article is also available in Gujarati Wikipedia : Please refer article article sevpuri on english wiki, see the left hand column, But the title policy of wikipedia is universal and can not be changed.)

2. Wikipedia is encyclopedia then ફેરફાર કરો

why Wikipedia remove brief information regarding પૂ.રવિશંકર મહારાજ from page સરસવણી (તા. મહેમદાવાદ). He is belongs to સરસવણી (તા. મહેમદાવાદ). So when on porbandar page you don’t want to share brief info. About Mahatma Gandhi. Karamsad village is belongs to Sardar Vallabh bhai Patel then you don’t want write down any info about them then I don’t believe Guajarati Wikipedia.. If there is only one person in village do for our country then he has to born right to appear in page of his belong village. This is my suggestion to Wikipedia if they accept then its beneficial to them. I will attach to you web page to you which I make it and I am still editing and they remove some info.. I did lots of research to find out Indian urban area info. Which not easy to find out…

     i can not send this via email because my email on Wikipedia block

(In the article of Village you can put one line about the important person belonging to that village, but not the "Brief info" the article should be about the topic and not the other person. Details of that person should be given to the article on that person, you may provide a link in this Village article below, under the heading "See this also" "આ પણ જુઓ" kindly check our "પોરબંદર" article on Gujarati wiki, it doesn't not have brief details about Gandhiji)

please check it following info. ફેરફાર કરો

સરસવણી,Sarsvani
સરસવણી,Sarsvaniનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°49′10″N 72°44′54″E / 22.81954°N 72.748444°E / 22.81954; 72.748444
દેશ   ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો મહેમદાવાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી,
પિનકોડ ૩૮૭ ૪૩૦

સરસવણી,Sarsvani, (તા. મહેમદાવાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા મહેમદાવાદ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. સરસવણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તુવેર, મગ, ગુવાર, તરબુચ, શકરટેટી, દૂધી, તમાકુ, બટાટા, શક્કરીયાં, ઙુગંળી, કપાસ, લસણ, મરચા, જુવાર, શેરીયા, બાવટૉ, કાેદરી તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

નજીકનાં સ્થળો ફેરફાર કરો

હળધરવાસ,ભરકુંડા, અકલાચા, રીંછોલ, શઋુંઙા, સિંહુજ, વાંસોલ, વંથવલી, ખુંટજ.

 
Temple of Balamata

ગામ ની માહિતી ફેરફાર કરો

  • પિનકોડ-૩૮૭ ૪૩૦ (repeatation of Info provided in Table)
  • બોલાતી ભાષા : ચરેાતરી લઢણ માં ઞુજરાતી (can be added)
  • પુરૂષ વસ્તી :૨૫૮૪(not advisable to add at this stage, as fig keeps changing, and we do not have editors to keep updating the same)
  • સ્ત્રી વસ્તી : ૨૪૧૬(not advisable to add at this stage, as fig keeps changing, and we do not have editors to keep updating the same)
  • કુલ વસ્તી : ૫૦૦૦(not advisable to add at this stage, as fig keeps changing, and we do not have editors to keep updating the same)
  • ટેલિફોન એસટીડી કોડ : ૨૬૯૪ ( Can be added in info box in right)
  • યાત્રા ની માહિતી - નજીકના રેલવે સ્ટેશન સુધી પહોંચવા બસ અને રોડ દ્વારા
  • નજીકના જિલ્લાઓ - ઞાંધીનગર,અમદાવાદ,સાબરકાંઠા,વઙૉદરા,આણંદ,પંચમહાલ, (irrelevent info, as article is ablout Village, you can put nearby villages )
  • નજીકના તાલુકા - (irrelevent info, as article is ablout Village, you can put nearby villages )
  • નજીકના શહેરો -(irrelevent info, as article is ablout Village, you can put nearby villages )
  • નજીકના એરપોર્ટ - (can be added, you can add nearest rail head also)
  • ટાઈમ ઝોન - ( Can be added in info box in right)
  • સમુદ્ર સપાટીથી ઊંચાઇ -( Can be added in info box in right)
  • નજીકના રસપ્રદ પ્રવાસનના સ્થળો -( Can be added )
 

1૮00 પહેલા ફેરફાર કરો

૧૮00-૧૯૪૭ ફેરફાર કરો

પૂ. રવિશંકર મહારાજ (Sri.Ravishankar Maharaj) (irrelevent info only one line is sufficient) ફેરફાર કરો

નામ: પૂ. રવિશંકર શિવરામ વ્યાસ (Ravishankar Shivram Vyas)
જન્મ: ૨૫ – ફેબ્રુઆરી ૧૮૮૪, રઢુ ગામ, જિલ્લો ખેડા, તાલુકો માતર,
જન્મતિથિ: સંવત ૧૯૪૦ મહા વદ ચૌદશ, મહાશિવરાત્રિ,
અવસાન: ૧ – જુલાઇ, ૧૯૮૪ , બોરસદ, જિલ્લો ખેડા
વતન: મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ
મોસાળ: રઢુ ગામ, જિલ્લો ખેડા, તાલુકો માતર
જ્ઞાતિ: ટોળકિયા ઔદિચ્ય બ્રાહ્મણ 
અભ્યાસ: પ્રાથમિક - છ ધોરણ
વ્યવસાય: આજીવન સમાજ સેવા
જીવન: સતત ચાલતા રહેલા સાચા સંત
ઉપનામ: મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક-સેવકે, 
                   
   ♦ નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
   ♦ વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ પાટણવાડીયા, 
     બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
   ♦ આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
   ♦ પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
   ♦ જે મહામાનવે ગુજરાતના જે મૂક-સેવકે જીવનના ૧૦૧ વર્ષમાં ૯૦ વર્ષ ગુજરાતની પ્રજાની અવિરત સેવા કરી છે. તે "મૂઠી ઊંચેરા માનવી"
સન્માન ફેરફાર કરો
♦ ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.
♦ પૂ. રવિશંકર મહારાજ  ૧ મે,૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્ય સ્થપાયું અને એનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજને હાથે થયું.
♦ ૧૯૮૪ સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી

૧૯૪૭ થી ફેરફાર કરો

સ્થાનિક ભૂગોળ ફેરફાર કરો

વિસ્તાર ફેરફાર કરો

આર્કિટેક્ચર ફેરફાર કરો

ઔદ્યોગિક ફેરફાર કરો

જાહેર જગ્યાઓ ફેરફાર કરો

સંસ્કૃતિ ફેરફાર કરો

સરસવણી પંચાયત માહિતી ફેરફાર કરો

♦ સરસવણી પંચાયતકોડ : ૧૧૧૩૦૦૧૦૪૬
♦ સરસવણી ગામ કોડ : ૧૧૧૩૦૦૧૦૪૬૦૦૧
♦ ખેડા જિલ્લા કોડ : ૧૧૧૩ (to be added in Kheda Dist article)
♦ ગુજરાત રાજ્ય કોડ : ૧૧ (to be added in Gujarat state article)
♦ સરસવણી ગુજરાત, ભારત રાજ્યના સ્થિત એક પંચાયત છે.સરસવણી ખેડા જીલ્લા પંચાયત-હેઠળ છે જે મહેમદાવાદ -ખેડા-ઇન્ટર પંચાયત, હેઠળ છે (to be part of first line of article)
♦ આ પંચાયત ની સ્થાનિક નામ સરસવણી છે અને ભારત સરકાર સંદર્ભ નંબર (કોડ) 162,015 છે. (Can be added)
♦ ૧૭ - ખેડા જિલ્લો મતક્ષેત્રના હેઠળ સંસદીય લોકસભા મહેમદાવાદ તાલુકા મતવિસ્તારોમાં  (Can't understand)
♦ ૧૧૭ - ખેડા જિલ્લો  મતક્ષેત્રના હેઠળ સંસદીય વિધાનસભા મહેમદાવાદ તાલુકા મતવિસ્તારોમાં (Can't understand)

શિક્ષણ ( this is statstics about School, Irrelevent from encyclopedia point of view, this numbers keep changing, Name of the School and few other imp info only should be added) ફેરફાર કરો

♦ બાલારક વિદ્યા વિહાર ઉચ્ચ પ્રાથમિક શાળા
♦ શાળા કોડ: KHE080
માહિતી પકાર માહિતી
ક્ષેત્ર સરસવણી,મહેમદાવાદ
જિલ્લો ખેડા
રાજ્ય ગુજરાત
પિનકોડ ૩૮૭ ૪૩૦
વર્ષ માં સ્થાપના ૧૮૬૫
સંચાલન લોકલ બોડી
સહશિક્ષણ સહ શૈક્ષણિક
શિક્ષણનું માધ્યમ ગુજરાતી
શાળા શ્રેણી ઉચ્ચ પ્રાથમિક સાથે પ્રાથમિક
શાળા કોડ ૨૪૧૬૦૫૦૪૯૦૪
શાળા નૉ પકાર ગ્રામ્ય સરસવણી જાહેર શાળા
વિદ્યાર્થી સંખ્યા ૫૫૬
શિક્ષકો સંખ્યા ૧૩
બિન શિક્ષણ સ્ટાફ સંખ્યા 0
વર્ગ રૂમ સંખ્યા ૧૩
બિન વર્ગ રૂમ સંખ્યા
બ્લેક બોર્ડ સંખ્યા ૨૫
લાઇબ્રેરી પુસ્તકો ૮૮૭
કમ્પ્યુટર્સ સંખ્યા
વિદ્યાર્થીનો શિક્ષક ગુણોત્તર ૪૩
વિદ્યાર્થી સંપૂર્ણ સમય સમકક્ષ વર્ગખંડમાં ગુણોત્તર ૪૧
પસાર ટકાવારી ૧00 ટકા
પ્રથમ વર્ગ બનાવ્યો જે વિદ્યાર્થી સંખ્યા ટકાવારી ૭૫

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેરફાર કરો

આરોગ્ય અને દવા ફેરફાર કરો

ટ્રાન્સપોર્ટેશન ફેરફાર કરો

વર્લ્ડ સિટી રેન્કિંગમાં ફેરફાર કરો

આંતરરાષ્ટ્રીય સંબંધો ફેરફાર કરો

અર્થતંત્ર ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

ગ્રંથસૂચિ ફેરફાર કરો

બીસીકે-૧૨૫એ: પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ફેરફાર કરો

( This can be part of Ravishanakar Maharaj Article, irrelevent here)

♦ વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને રૂ. ૧.૦૦ લાખનો રવિશંકર મહારાજનો એવોર્ડ આપવામાં આવે છે.

બીસીકે-૧૨૫એ: પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ

સંદર્ભ માટે ની બાહ્ય કઙી ફેરફાર કરો

  1. પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ની સમાધિ
  2. સરસવણી (તા. મહેમદાવાદ)
  3. બીસીકે-૧૨૫એ: પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ
  4. ગુજરાત રાજ્ય સ્થપાના દિને ઉદ્ઘાટન સમયેપૂ. રવિશંકર મહારાજ ૧ મે,૧૯૬૦ના રોજ ભાષણ
  5. sarasavani.ravisankar maharaj
  6. આપણી જ્ઞાતિનું ગૌરવ "શ્રી રવિશંકર વ્યાસ (મહારાજ)"
  7. બારડોલી સત્યાગ્રહ-->
  8. સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) ભારત સરકાર
  9. ગુજરાત શિક્ષણ બોર્ડ
  10. સરસવણી વસ્તી
  11. મહેમદાવાદ તાલુકા વિધાનસભા મતવિસ્તાર,લોકસભા મતવિસ્તાર
  12. પોસ્ટ માં સક્રિય એનઆરઇજીએ કામદાર એકાઉન્ટ યાદી
  13. સરકાર સંદર્ભ નંબર
  14. શાળા કોડ

My Observations ફેરફાર કરો

I have added my observations above in bold Italics as a guiding factor. Kindly refer article સરસવણી (તા. મહેમદાવાદ) edited by Ashokbhai. This is ideal article. --Sushant savla (talk) ૧૭:૫૧, ૨૮ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર

રવિશંકર મહારાજ ફેરફાર કરો

શ્રી.Sheetal joshi72, આપની સૂચના (વિકિમેઈલ દ્વારા) પ્રમાણે લેખ રવિશંકર વ્યાસ પર ઈન્ફોબોક્ષ અને ચિત્રગેલેરી મુક્યા છે. જોઈ જશો. કેટલીક વિગતો વિકિલાયક ન હોય કે ઈન્ફોબોક્ષમાં સમાવવા લાયક એકરૂપતા ન ધરાવતી હોય તે કારણે સુધારી કે અવગણી છે. આપે કૉમન્સ પર ચઢાવેલાં ચિત્રોમાંથી લેખને અનુરૂપ ચિત્રો મુક્યા છે, ચિત્રોની સાથેનું લખાણ માત્ર ચિત્રની ટૂંકી ઓળખ સમાન જ હોય તે જરૂરી ગણાય છે. એટલે હાલ સાથેનાં લખાણ મુક્યા નથી. અનૂકુળતાએ મુકશો. ચિત્રો પર કોપીરાઈટ ઈસ્યુ થશે તે "કૉમન્સ" દ્વારા નિર્ણીત થશે. જેટલાં ચિત્રો આપે જાતે પાડેલાં કે પ્રકાશનાધિકારમુક્ત હશે તે અહીં રહેશે જ. અન્ય સેવા જણાવશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૮, ૨૯ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર


નામ: પૂ. રવિશંકર શિવરામ વ્યાસ (Ravishankar Shivram Vyas)
જન્મ: 25 – ફેબ્રુઆરી 1884, રઢુ ગામ, જિલ્લો ખેડા, તાલુકો માતર,
જન્મતિથિ: સંવત ૧૯૪૦ મહા વદ ચૌદશ, મહાશિવરાત્રિ,
અવસાન: 1 – જુલાઇ, 1984 , બોરસદ, જિલ્લો ખેડા
વતન: મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ
મોસાળ: રઢુ ગામ, જિલ્લો ખેડા, તાલુકો માતર
જ્ઞાતિ: ટોળકિયા ઔદિચ્ય બ્રાહ્મણ 
અભ્યાસ:પ્રાથમિક - છ ધોરણ
વ્યવસાય: આજીવન સમાજ સેવા
જીવન:સતત ચાલતા રહેલા સાચા સંત

ઉપનામ: ફેરફાર કરો

મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક-સેવકે,
 

કુટુમ્બ: ફેરફાર કરો

 પિતા: શ્રી શિવરામ વ્યાસ
 માતા: નાથીબા
 પત્ની: સૂરજબા
                   
   ♦ નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
   ♦ વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું

સન્માન ફેરફાર કરો

♦ ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.
♦ પૂ. રવિશંકર મહારાજ  ૧ મે,૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્ય સ્થપાયું અને એનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજને હાથે થયું.
♦ 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી

જીવન ઝરમર ફેરફાર કરો

  1. 1920 - માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
  2. 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
  3. 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું
  4. 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
  5. 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
  6. 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
  7. 1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ જેલમાં ગામઠી ગીતા સમજાવતા આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ;
  8. 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
  9. ૧૯૬૦-પૂ. રવિશંકર મહારાજ ૧ મે,૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્ય સ્થપાયું અને એનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજને હાથે થયું.
  10. 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી
  11. 1975 – કટોકટીનો વિરોધ
  12. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
  13. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
    ♦ માતા નાથીબાના ધાવણમાંથી જ પ્રેમ અને વાત્સલ્યના સંસ્કારો મળ્યા   
    ♦ શિક્ષક પિતા શ્રી શિવરામ વ્યાસમાંથી ટેક, સત્ય અને અણનમ વૃત્તિના સંસ્કારો સાંપડ્યો.  
     ♦ જે મહામાનવે ગુજરાતના જે મૂક-સેવકે જીવનના ૧૦૧ વર્ષમાં ૯૦ વર્ષ ગુજરાતની પ્રજાની અવિરત સેવા કરી છે. તે "મૂઠી ઊંચેરા માનવી"
   
     ♦ મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ? એમના વિશે થોડું જાણીએ

મહારાજને લગતાં પુસ્તકો ફેરફાર કરો

  1. મહારાજની વાતો
  2. વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
  3. માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )
  4. મહારાજના મુખેથી અને બીજી વાતો-શ્રી મગનભાઈ પટેલે
  5. ગ્રામ સંસ્કૃતિ-રવિશંકર મહારાજ(સંપાદન શ્રી શિવાભાઈ ગો. પટેલે)
  6. વચનામૃતો-રવિશંકર મહારાજ
  7. ગુજરાતના દાદા રવિશંકર મહારાજ- શ્રી મૂળશંકર ભટ્ટ
  8. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? જવાબ: હિંદસ્વરાજ

જીવનઘડતરની વાતો અને પ્રસંગો → રવિશંકર મહારાજ ફેરફાર કરો

[1] થાકેલા ભગવાન ફેરફાર કરો

કહે છે કે ભગવાન અવતરે છે. અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણાકશ્યપ થયો, ત્યારે ભગવાન નીચે ઊતર્યા. નહીં માણસમાં કે નહીં પશુમાં, એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા. પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ આવ્યો, એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઊતર્યા. ત્રણ પગલાંમાં ત્રિભુવન માપી, બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં મોકલી દે છે.

તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે, પણ જેવો હાથ લઈ લીધો કે હતું તેમનું તેમ – એવું વામનના ગયા પછી થયું. એટલે વળી પાછા રામ આવ્યા. બહુ સારું રાજ કર્યું. રામ પણ ગયા.

છેલ્લે કૃષ્ણ આવ્યા. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ-પાંડવ લડ્યા. છેવટે કોઈ ન બચ્યું. યાદવો પણ અંદરઅંદર કાપાકાપી કરીને મરી ગયા. આ બનાવથી હતાશ થઈ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી, પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા. એમને હરણ માની એક પારધીએ તીર માર્યું, તે ભગવાનને વાગ્યું. એમના પ્રાણ જવાની તૈયારી હતી તે વખતે એમનો સારથિ પાસે હતો, તેણે પૂછ્યું : ‘ભગવાન, કાંઈ સંદેશો કહેવાનો છે ?’ ભગવાને જવાબ આપ્યો : ‘હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ‘ગીતા’માં જ આપી દીધો છે : માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો; કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી.’

[2] માધીનો છોકરો ફેરફાર કરો

અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાંતતાં શીખવ્યું અને દોઢ વરસે તેના સૂતરમાંથી એક તાકો તૈયાર થયો. તાકો જોઈને છોકરો નાચતો નાચતો કહે : ‘મારી માધીને આપીશ ! મારી માધીને આપીશ !’ એના મુખ ઉપરનો મલકાટ નિહાળી મને થયું : ‘આ છોકરાને માધી ઉપર કેટલો સ્નેહ છે ! હું જાણતો હતો કે માધી તે બાળકની મા નથી. એ છોકરાની મા મરી ગઈ તેથી માધીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. બાળકનો માધી પરનો સ્નેહ દેખાતો હતો, પણ માધીને બાળક માટે કેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વિચાર આવ્યો.

એક વાર બાળકોને લઈને અમારે પ્રવાસે જવાનું થયું. માધીને ગામ અમે તો ઊપડ્યાં. માધીને ઘેર હું ગયો. તેણે મને પ્રેમથી આવકાર્યો. ફાટીતૂટી એક ગોદડી પાથરી આપીને હસતે મુખે સામે બેસીને વાતો કરવા લાગી. ત્યાં છ-સાત વરસનો એક છોકરો આવીને ધબ દઈને તેના ખોળામાં પડ્યો. બાઈ તેને ખસેડવા ઘણુંય કરે, પણ પેલો તો વધારે ને વધારે વળગેલો રહે ! મેં પૂછ્યું : ‘આ કોણ છે ?’ માધી કહે : ‘વાણિયાનો છોકરો છે. મેં ઉછેરેલો.’ મેં પૂછ્યું : ‘કેમ, તારે કેમ ઉછેરવો પડ્યો ?’ બાઈ કહે : ‘તેની મા સુવાવડમાં મરી ગઈ, ને બાળકને આપણાથી રેઢું છોડાય ?’ (માધી સુયાણી હતી) ‘શેઠે શું આલ્યું ?’ ‘આલે શું ? – મેં કંઈ લીધું જ નથી, મા’રાજ ! વખતે મફત આપે તેથી ભૂલેચૂકેય તેની દુકાનના ઉંબરે ચડી નથી.’ બાઈએ ખુમારીથી જવાબ વાળ્યો. ‘ત્યારે આ બાળક સાજુંમાંદું થાય ત્યારે દવાદારૂ અંગે શું કર્યું ?’ મારા મનમાં તો હજી આ બધું કોયડારૂપ જ હતું.

થોડી વાર અટકીને બાઈ કહે : ‘એ શું બોલ્યા, મા’રાજ ? એવાં કેવાં છોકરાં ઉછેરીએ કે માંદાં થાય ? માંદાં થાય તો આપણું કાંડું ન કાપી કાઢીએ ? મારું તો એકેય છોકરું કોઈ દી માંદું પડ્યું નથી ! માંદાં પડે તેવાં છોકરાં ઉછેરીએ જ શીદને ?’ .

[3] છે તેટલું તો વાપરો ! ફેરફાર કરો

એક દિવસ ચાર-પાંચ જુવાનિયા મારી પાસે આવ્યા. વાતવાતમાં તેમણે પૂછ્યું : ‘મહારાજ, અમે ઈંડાં ખાઈએ તે અંગે તમારો શો અભિપ્રાય છે ?’ મને થયું : ‘એમને શો જવાબ આપું ? પણ તરત જ મારાથી કહેવાઈ ગયું : ‘અલ્યા, તમારે ઈંડાં ખાવાં કે નહિ એમાં મને શું પૂછો છો ? – એ ઈંડાંની મૂકનાર માને જ પૂછી જુવોને !’ ‘પણ દાદા, નિર્જીવ ઈંડાં ખાઈએ તો ?’ ‘પણ, મને એ તો કહો કે તમારે ઈંડાં ખાવાં છે શું કામ ?’ ‘કેમ ? ઈંડાંમાં પુષ્કળ વિટામીન અને પ્રોટીન હોય છે.’ યુવાનોમાંથી એકે કહ્યું. ‘તમારી પાસે છે એટલું વિટામિન તો વાપરો ! – પછી ખૂટે તો વિચારજો.’ અને એના અનુસંધાનમાં ગાંધીજીની એક વાત મને યાદ આવી તે મેં જુવાનોને કહી સંભળાવી :

ગાંધીજી તો પ્રયોગવીર હતા. અનેક જાતના પ્રયોગો કરતા. એમનું જીવન એટલે પ્રયોગ. એક દિવસ ગાંધીજીને વિચાર આવ્યો કે માણસ જો કાચું જ અનાજ ખાવાની ટેવ પાડે, તો એની કેટલીયે વેડફાઈ જતી શક્તિ બચે અને ઓછી વસ્તુમાંથી પણ વધારે તાકાત મેળવી શકે. ગાંધીજીને વિચાર આવ્યો એટલે જોઈએ શું ? પોતાની જાતથી જ શરૂ કરે. એ જ તેમના જીવનની વિશેષતા હતી. મને તેમની આ વાત ગમી ને હું તેમના પ્રયોગમાં જોડાયો. ત્રણ-ચાર દિવસ તો બાપુને આ પ્રયોગથી ખૂબ સ્ફૂર્તિ રહી, પણ પછી તેમને ઝાડા થઈ ગયા. એક દિવસ તેમના ઓરડામાં મારે કાંઈક લેવા જવાનું થયું. બાપુએ મને બોલાવ્યો. ‘તારો પ્રયોગ ચાલે છે ?’ એમણે પૂછ્યું. ‘હા.’ મેં ટૂંકો જવાબ આપ્યો. ‘વજન ઘટ્યું ?’ ‘પોણો શેર ઘટ્યું છે.’ ‘પણ શક્તિ ?’ ‘થોડી ઘટી હોય એમ લાગે છે.’ ‘તું શું કામ કરે છે ?’ મેં મારે ભાગે આવતાં બધાં જ કામો ગણાવ્યાં. ‘આ બધું કામ થઈ શકે છે ?’ ‘હા, એમાં વાંધો નથી આવતો.’ ‘તો પછી શક્તિ થોડી ઘટી છે એમ શા ઉપરથી કહે છે ?’ એ વાણિયાને હું શો જવાબ આપું ! અને પછી બાપુએ જે ભાષ્ય કર્યું તે હું કદી ભૂલી શકું એમ નથી.

‘તને ખબર છે ? ખપની શક્તિ કરતાં વધારે શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી વિકાર જન્મે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે જેટલું કામ કરવાનું હોય એટલી જ શક્તિ ઉત્પન્ન કરવી જોઈએ. વધારાની શક્તિથી લાભ નથી; ઊલટાની વધારાની શક્તિ ચિત્ત ને ઈન્દ્રિયોમાં વિકાર પેદા કરે છે.’ .

[4] તો લગ્ન કેમ કર્યું ? ફેરફાર કરો

ભાલ-નળકાંઠાના ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર અને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા એ ખસી. એ ખસતી હતી ત્યાં મારી નજર તેના પગ ઉપર પડી. પગ પાતળા દોરડી જેવા હતા. મેં સહજ પૂછ્યું : ‘કેમ બહેન, તમારે પગ નથી શું ?’

મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે એણે પાસે ઊભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું : ‘પૂછી જુઓ એમને, કદી કાંઈ દુ:ખ દીધું હોય તો ! હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીંપું છું. માત્ર પાણી એમને ભરવું પડે છે.’ ત્યાં એના પતિએ કહ્યું : ‘મહારાજ, એને પૂછી જુઓ કે કદી દુ:ખ પડવા દીધું છે ? મેં એને બધે જાત્રા કરાવી છે. ગાડી મળી ત્યાં ગાડી, મોટર મળી ત્યાં મોટર; પાલીતાણા ગયો ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઈ ગયો હતો ને બધે દર્શન કરાવ્યાં હતાં.’

હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. મેં પેલા ઓડને પૂછ્યું : ‘તમે લગ્ન કર્યાં તે પહેલાં આ બાઈ અપંગ છે એ જાણતા હતા ?’ ‘હા, જી.’ ઓડે કહ્યું. ‘તો લગ્ન કેમ કર્યું ?’ ‘મને થયું કે આ બિમારીની સેવા કોણ કરશે ? આખી જિંદગી દુ:ખી થશે એટલે એની સેવા કરવા મેં તેની સાથે લગ્ન કર્યું.’

[5] સંકલ્પનું બળ ફેરફાર કરો

એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઇ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું .” જો, હવેથી કોઇને આવો ઉપદેશ ના દેતા. કોઇને મારી નાખશો !”

અને પછી તેમણે આપવીતી સંભળાવવા માંડી : “તમારા ગયા પછી મને તો ઝાડા થઇ ગયા. બોલવા ચાલવાના હોશ રહ્યા નહીં. લગભગ બેભાન થઇ ગયો. પછી તો મેં ઇશારતો કરીને બૈરાંને બોલાવ્યાં અને ઇશારાથી સમજાવ્યું કે, મને અફીણ ખવડાવો. ત્યારે માંડ જરા હોશ આવ્યા.”

પણ મેં તો ઠાકોરને ઝાટક્યા :” ભૂપતસિંહ ઠાકોર! અફીણ ખાધા વીના મરી ગયા હોત તો દુનીયામાં તમારા વીના શું ખાટુંમોળું થઇ જવાનું હતું? ટેક ન પાળી શક્યા, તો ક્ષત્રીય શાના? અફીણ જેવી ચીજ પણ તમને હરાવી ગઇ? તેના વીના તમે મરવા પડ્યા? તમે તો તમારું ક્ષત્રીયપણું પણ ગુમાવ્યું. ત્યારે હવે તમે જીવતા હો કે મરેલા, બન્ને સરખું જ છે. જો તમે વીર હોત તો જીતત. પણ તમે હાર્યા. અફીણ જીત્યું. “

આટલું સાંભળતાં જ તેમને તો એટલું પાણી ચડ્યું કે અફીણનો દાબડો ફેંકી દીધો. અને પછી ન તો તેમને ઝાડા થયા કે ન બેભાન થઇ ગયા.

કારણકે, આ વખતે સંકલ્પનું બળ હતું.

આ પણ અંતરની વાણી અને તેનું બળ.

હીન્દુ ધાર્મીક વીધીમાં જ્યારે  ”અહમ્   કરિષ્યે ”  બોલવામાં આવે છે ત્યારે આ સંકલ્પની વાત કરવામાં આવે છે.

દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજના મુખેથી ફેરફાર કરો

         દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજના મુખેથી અને બીજી વાતો લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું → શ્રી મગનભાઈ પટેલે 

[1] એક સંસ્કારી નારી ફેરફાર કરો

હું એક સદગૃહસ્થને ત્યાં ગયો હતો. એમને ત્યાં તુલસી રામાયણ વંચાય. એમને બાવીસત્રેવીસ વર્ષની એક દીકરી. એ દીકરીનાં બા બહુ ભણેલાં નહિ પણ સંસ્કારી. હું એમની આગળ ગ્રામોદ્યોગની વાતો કરતો હતો ત્યાં પેલી દીકરી એક ટોપલી લઈને આવી. મને એ બતાવીને તેણે કહ્યું : ‘આ ટોપલી ગ્રામોદ્યોગની કહેવાય કે ?’ મેં કહ્યું : ‘હા, પણ કોણે બનાવી છે ?’ એણે કહ્યું : ‘મારે ત્યાં એક બાઈ નોકર છે એણે ગૂંથી છે.’ ‘શું તું નોકર રાખે છે ?’ ‘હા જી, બેચાર ઘર વચ્ચે એક નોકર છે.’ આટલી વાતો પછી દીકરીનાં બા બોલ્યાં : ‘મહારાજ, મારી દીકરી તો એના સાસરામાં દેવી તરીકે પુજાય છે. એનો ઈતિહાસ સાંભળવા જેવો છે.’

મેં સાંભળવાની જિજ્ઞાસા બતાવી એટલે એમણે વાત શરૂ કરી : ‘મહારાજ, એ નાની હતી ત્યારે એનો વિવાહ કરેલો. એ છોકરાના બાપને સારો પગાર મળતો હતો પણ દૈવયોગે માબાપ બંને અકસ્માત ગુજરી ગયાં. છોકરો કાકાને ત્યાં રહી ઊછર્યો અને ભણ્યો. એ મૅટ્રિકમાં આવ્યો ત્યારે મારી દીકરી પણ મૅટ્રિકમાં હતી. મારી દીકરી મૅટ્રિકમાં પાસ થઈ, છોકરો નાપાસ થયો. અમે દીકરીને કૉલેજમાં મૂકી. ત્યાં પણ એ પહેલે વર્ષે પાસ થઈ. છોકરો બીજે વર્ષે પણ મૅટ્રિકમાં નાપાસ થયો. અમે દીકરીને કૉલેજમાંથી ઉઠાડી લીધી. છોકરો ત્રીજે વર્ષે પણ નાપાસ થયો. મને થયું : મારી આવી હોશિયાર છોકરીને આવો વર ! મેં વિવાહ તોડવાનો મનમાં સંકલ્પ કર્યો. પણ તૂટે શી રીતે ? મેં એમને (પતિને) વાત કરી પણ એમને એની કંઈ પડી નહોતી.

એવામાં એમને (મારા પતિને) વિલાયત જવાનું થયું. ત્યાંથી પાછા વળતાં એમને અમારી નાતના એક છોકરા સાથે સંગાથ થઈ ગયો. એ ભાઈ આઈ.સી.એસ.ની પરીક્ષા આપીને આવતો હતો. પરિચય થતાં એમની નજર એના પર ઠરી. એ એને અમારે ઘેર લઈ આવ્યા. મને બતાવીને ખાનગીમાં કહ્યું : ‘આઈ.સી.એસ. છે. દીકરીને પસંદ પડે તો વાત કરી જો.’ મને પણ થયું કે મારી દીકરીને આવો ભણેલોગણેલો વર મળે તો કેવું સારું ! એટલે હું હરખાતી હરખાતી દીકરી પાસે ગઈ અને કહ્યું : ‘બહેન, આ છોકરાને જો. તને પસંદ હોય તો ગોઠવીએ.’ હું બોલવાનું પૂરું કરું છું ત્યાં દીકરી બોલી : ‘બા, આ તું શું બોલે છે ? આવું બોલાય ? મારો વિવાહ તો થઈ ગયો છે. એક વખત જીભે બોલી ગયા પછી ફરી શકાય ?’ ‘વિવાહ તો તોડી શકાય.’ ‘એ તો સામાન્ય માણસ તોડે. આપણે ઓછાં જ એવાં છીએ ? આપણે તો એક વાર વચન આપ્યું તે ન જ તોડાય. એનાં માબાપ જીવતાં હોય તો કેટલાં દુઃખી થાય ? એ તો સંતોષ, લઈને ગયેલાં. હવે જો સંબંધ તૂટે તો એમનો આત્મા દુઃખી થાય. માટે બા, તું મારી ચિંતા ન કર. મારું દુઃખ હું ભોગવી લઈશ. મારો વિવાહ ભલે કાયમ રહ્યો.’ દીકરીની આ વાત સાંભળી હું કાંઈ બોલી શકી નહીં. બોલું પણ શી રીતે ? પેલા છોકરાને તો આ સંબંધી કશી ખબર નહોતી. એટલે એ તો બીજે દિવસે એને ગામ ગયો. દીકરીનો નિર્ણય મેં એના પિતાને જણાવ્યો. વિવાહ કાયમ રાખ્યો અને દીકરીનાં લગ્ન તરત જ લીધાં.

સદભાગ્યે જે વરસે લગ્ન થયાં તે જ વરસે એ છોકરો મૅટ્રિકમાં પાસ થયો. પછી ચાર વરસે ગ્રેજ્યુએટ થયો. એને ગ્રેજ્યુએટ થયાને સો દિવસ નહોતા થયા ત્યાં એને માસિક સો રૂપિયાના પગારે સિમેન્ટના કારખાનામાં નોકરી મળી. કારખાનું શહેરથી ચાર માઈલ દૂર એક જંગલમાં હતું. ત્યાં પંદરવીસ કારકુનો એક ચાલીમાં કુટુંબો સાથે રહે. મારી દીકરી પણ ત્યાં ગઈ. મારી દીકરી રસોઈ, ભરત, સીવણ, ગૂંથણ, ચિત્રકામ, સંગીત વગેરેમાં કુશળ. ત્યાં ગયા પછી ધીમે ધીમે એ બહેનપણીઓ કરવા લાગી. કોઈનું કપડું ફાટી ગયું હોય તો સાંધી આપે; સીવી પણ આપે. કેટલીક બહેનોને એણે સીવતાં શીખવ્યું. કેટલીક બહેનોને બહુ ઓછા ખરચે ભાતભાતની રસોઈ કેવી રીતે બનાવાય તે પણ શીખવ્યું. કોઈ વાર નવરાશે બધી બહેનોને એકઠી કરી કોઈ સારા પુસ્તકમાંથી વાંચી સંભળાવે. એના આવા મિલનસાર સ્વભાવને કારણે બધાં એના ઉપર ખુશ ખુશ થઈ ગયાં. એનો પતિ બહુ ભલો. એ નામું લખવાનું કામ કરે. મારી દીકરી કોઈ વાર વધુ કામ હોય તો ચોપડા ઘેર મંગાવે ને નામું લખવામાં મદદ કરે.

થોડા વખતમાં એના સ્વભાવની સુવાસ આખા કારખાના કામદારોમાં ફેલાઈ ગઈ. એ કારખાનાના મૅનેજર એક પારસી સજ્જન હતા. એમની દીકરીને ચિત્રકામ ન આવડે. કોઈકે એમને કહ્યું કે આપણે ત્યાં ફલાણા ભાઈનાં પત્નીને બહુ સારું ચિત્રકામ આવડે છે. મૅનેજરે પોતાની દીકરીને મારી દીકરી પાસે ચિત્રકામ શીખવા મોકલી. એને ચિત્રકામ શીખવ્યું. પેલી છોકરી પાસ થઈ ગઈ. પારસી સજ્જન ખુશ થયા અને જાતે ઘેર આવીને મારી દીકરીને કહ્યું : ‘હું તમને રાજી કરવા આવ્યો છું. બોલો કેટલા રૂપિયા આપું ?’ મારી દીકરીએ કહ્યું : ‘હું તો ભણાવતી હતી ત્યારથી જ રાજી છું. વળી તમારી દીકરી પાસ થઈ; એટલે વધુ રાજી થઈ છું. મારે કંઈ પણ ન જોઈએ. મારા પિતાએ મને પૈસા કમાવા નથી ભણાવી. જ્ઞાન મેળવીએ તે તો લોકોને આપવું જ જોઈએ ને ? મને ચિત્રકામ આવડતું હતું ને તે મેં શીખવ્યું. એમાં વળી ફી શાની ?’ પેલા પારસી સજ્જને બહુ આગ્રહ કર્યો. પણ મારી દીકરી પોતાના વિચારમાં મક્કમ રહી.’

આ બહેનની આ કથા જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે મારી આંખો આગળ એક સુશિક્ષિત સંસ્કારી આર્ય સન્નારીનું ચિત્ર ખડું થાય છે.

[2] બાળકેળવણી ફેરફાર કરો

કાઠિયાવાડમાં હું મારા એક મુસલમાન મિત્રને ત્યાં ગયો હતો. ત્યાંથી જવા નીકળ્યો ત્યારે એ ભાઈ મને વળાવવા ઊભા થયા. એમની સાથે એમનો એક નાનો દીકરો હતો. થોડેક સુધી આવ્યા પછી મેં કહ્યું : ‘બસ, હવે ઊભા રહો.’ પણ તે ઊભા ન રહ્યા. જરા આગળ જઈને મેં ફરીથી કહ્યું : ‘હવે પાછા વળો.’ પણ તે પાછા ન વળ્યા. એ પછી એમણે કહ્યું : ‘મહારાજ, તમને વળાવવા આવું છું એ તમારે સારુ નથી આવતો; મારા આ દીકરા માટે આવું છું. આ નિમિત્તે એને ખબર તો પડે કે મહેમાનને ક્યાં સુધી વળાવવા જવાય.’ આનું નામ બાળકેળવણી.

[3] ભણતરને વાંકે ફેરફાર કરો

કેટલાંક વર્ષ પહેલાં હું એક નહેર જોવા ગયો હતો. હજારો લોકો ત્યાં કામ કરતા હતા. ત્રણથી સાત માઈલ દૂરથી મજૂરો ત્યાં કામે આવતા. દુકાળનું વર્ષ હતું. આખો દિવસ મજૂરી કરે ત્યારે મજૂરને દસથી ચૌદ આના માંડ મળતા. એમના ઉપર દેખરેખ રાખનારને રોજના ત્રણ રૂપિયા (એ જમાના પ્રમાણે) મળતા હતા. અને જે એન્જિનિયર હતો તેને રોજના પંદર રૂપિયા મળતા હતા. એ બધાને બૈરાં છોકરાં હતાં. તે બધાને ખાવા જોઈએ. એન્જિનિયરને કહીએ કે ભાઈ, તમને રોજના પંદર રૂપિયા કેમ ? તો કહે, ‘હું એન્જિનિયર છું, ખૂબ ભણ્યો છું, યોજના કરું છું, મને નહેરનું જ્ઞાન છે. હું ન હોઉં તો નહેર ન થાય.’

વાત સાચી છે. એન્જિનિયરનું કામ ઘણું મહત્વનું છે. એ એનું કામ સારી રીતે કરી શકે એની બધી જોગવાઈ થવી જોઈએ. એને નકશા દોરવાના એટલે એ માટેનાં સાધન એને મળવાં જોઈએ. ખુરશીટેબલ પણ જોઈએ. મજૂરીનું કામ કરવાનું નહિ એટલે તંબુને છાંયડે બેસી નકશા દોરે એનો પણ વાંધો ન હોય. એક જગાએથી બીજી જગાએ જવા મોટર પણ આપવી પડે. કદાચ એને બીજા કોઈ પ્રાંતમાં સારો બંધ હોય અને તે જોવાની તાત્કાલિક જરૂર જણાય તો એને માટે એરોપ્લેનની પણ સગવડ કરવી પડે. પટાવાળો પણ એને મળવો જોઈએ. આ બધું મંજૂર. આ બાજુ મજૂરોને ખોદકામ કરવાનું. એ માટે એમને કોદાળી-પાવડાનાં સારાં સાધન મળવાં જોઈએ. એમણે તાપમાં ખોદવાનું રહે. ખોદતાં હાથે ફોલ્લા પણ પડે. એમાં વાંધો ન હોઈ શકે. પેલા દેખરેખ રાખનાર અને મજૂર એ બધાની જરૂર છે. જેની પાસે બુદ્ધિ છે તે બુદ્ધિ આપે છે અને મજૂરી છે તે મજૂરી આપે છે. પણ દર ચૂકવતી વખતે એકને દશ આના, બીજાને ત્રણ રૂપિયા અને ત્રીજાને પંદર રૂપિયા – આ ભેદ કેમ ? જ્યાં સુધી આ ભેદ છે ત્યાં સુધી આપણા દેશની દશા કદાપિ સુધરવાની નથી. ખાવાનું સૌને પૂરતું મળવું જોઈએ ને બધા આવડે તે કામ કરે. ખપનાં કામ કરે તે બધાની પ્રતિષ્ઠા સરખી ગણાવી જોઈએ.

ચાર જણ જાત્રાએ ગયા. રસોઈ કરવી છે. બધાએ કામ વહેંચી લીધાં. એક પાણી ભરી લાવ્યો, બીજો લાકડાં વીણી લાવ્યો, ત્રીજો દુકાનેથી સીધુંસામાન લઈ આવ્યો ને ચોથાએ રસોઈ બનાવી. ચારેય જણે ખપનાં કામ કર્યાં ને ખાતી વખતે સાથે બેસીને ખાધું. આપણે આ સમજીએ છીએ; પણ વધારે ભણે છે કે તરત ભાણાન્તર થઈ જાય છે. બુદ્ધિથી કામ કરનારને વધારે ખાવા જોઈએ અને મજૂરી કરનારને ઓછું, એમ માનતા થઈએ છીએ. આપણે દુષ્ટ નથી પણ પરિપાટી (ટેવ) પડી ગઈ છે. એને જ્ઞાનપૂર્વક નહીં તોડીએ ત્યાં સુધી સ્વરાજનું સાચું સુખ આપણે ભોગવી શકવાના નથી. જૂના વખતથી ‘તેન ત્યક્તેન ભુંજીથાઃ’ એમ બોલીએ છીએ ખરા, પણ આચારમાં મૂકી શકતા નથી.

[4] ભોળા દિલનું પાપ ફેરફાર કરો

છોટાઉદેપુર વિસ્તારમાં ભીલોની વસ્તી ઠીક ઠીક છે. સાથે તીરકામઠાં લઈને જ ફરે છે. ક્યારેક લડાઈ ઝઘડા થઈ જાય તો એનો ઉપયોગ પણ કરે. એક દિવસ એક ભીલે કંઈક કારણસર બીજા એક ભીલને તીરિયું માર્યું અને તે મરી ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. કોઈ જોનાર નહોતું એટલે પુરાવો ન મળ્યો. પેલા મારનારને વકીલ મળ્યો. વકીલે એને કહ્યું : ‘જો કોરટમાં તારે એટલું જ કહેવું કે, મેં માર્યો નથી. ગમે તેમ પૂછે તોપણ કબૂલ ન કરતો.’ પેલાએ હા પાડી. કોર્ટમાં સવાલ જવાબ થવા માંડ્યા. પેલાએ તો એક જ વાત રટી : ‘મેં માર્યો નથી.’ પણ સરકારી વકીલે જ્યારે ઊલટતપાસ કરવા માંડી ત્યારે એ મૂંઝાયો. શું બોલવું એની એને કંઈ સમજણ ન પડી. આખરે એણે એના દિલની વાત કહી દીધી : ‘મેં તો માર્યો જ છે તો, મરી જાય ત્યાં સુધી માર્યો’તો ! (વકીલ સામે આંગળી ચીંધીને) આવો આ મારી પાસે ના પડાવે છે.’ અને આખી કોર્ટ હસી પડી.

આ માણસે પાપ તો કર્યું, પણ ભોળા દિલે. એમાં બુદ્ધિપૂર્વકની ગણતરી નહોતી. જ્યારે બુદ્ધિશાળી માણસ પાપ કરે છે તે બુદ્ધિપૂર્વકનાં હોય છે. ભીનાં કપડાં રેતીમાં સૂકવીએ તો ચિંતા નહીં, કારણ કપડાં સુકાતાં રેતી ખરી પડે છે. પણ ધૂળમાં સૂકવીએ તો ડાઘ રહી જાય. એ બિચારોનાં પાપ રેતી જેવાં છે. એટલે પાપનો ડાઘ એમને લાગતો નથી. જ્યારે આપણાં પાપ ધૂળ જેવાં હોય છે; એના ડાઘ મનને લાગે છે જે કદી જતા નથી.

[5] સુખી જીવન ફેરફાર કરો

એક વાર હું કચ્છમાં ગયો હતો. ફરતો ફરતો એક દિવસ કંડલા ગયો. એક શ્રીમંત મિત્રને ત્યાં ઊતર્યો હતો. સાંજના મને એ બંદર બતાવવા લઈ ગયા. રસ્તે મોટાં મોટાં મકાનો જોતા જોતા અમે જતા હતા, ત્યાં કમ્પાઉન્ડમાં ઘાસના પૂળાનાં બેત્રણ ઝૂંપડાં નજરે પડ્યાં. આવી ભવ્ય મહેલાતોમાં આ ઝૂંપડાં તે વળી કોનાં હશે, એ જાણવાની મને ઈચ્છા થઈ. અમે એ તરફ વળ્યા. બારણે જઈ ડોકિયું કર્યું તો અંદર પચીસેક વર્ષનો એક જુવાન મજૂર અને તેની સ્ત્રી બેઠાં હતાં. ચૂલા ઉપર માટીના વાસણમાં કંઈક રંધાતું હતું અને બંને પતિપત્ની બટાટા સમારતાં હસતાં હસતાં વાતો કરતાં હતાં. અમે એકાએક ત્યાં જઈને ઊભા રહ્યા એટલે એ જરા શરમાઈ ગયાં. છતાં મેં પૂછ્યું : ‘તમે ક્યાંનાં છો ?’

પુરુષ શરમાઈ ગયો હતો એટલે એ ન બોલ્યો, પણ સ્ત્રીએ કહ્યું : ‘કાઠિયાવાડનાં છીએ ને અહીં મજૂરી કરવા આવ્યાં છીએ.’ ‘આ ઝૂંપડાનું ભાડું શું આપો છો ?’ ‘મહિને આઠ આના.’ ‘રોજની મજૂરીનું શું મળે છે ?’ ‘મને બે રૂપિયા ને એમને (પતિને) અઢી રૂપિયા.’ આટલી વાત કરી અમે આગળ ચાલ્યા.

થોડેક દૂર ગયા કે પેલા શ્રીમંત મિત્રે મને ઊભો રાખીને કહ્યું : ‘મહારાજ, એક વાત કહું ? આ બે જણ જેવું સુખ મારે ત્યાં નથી. અમે બે જણે કોઈ દિવસ આટલી શાંતિથી ને આટલા આનંદથી સાથે બેસીને વાતો કરી હોય એવું યાદ આવતું નથી. આખો દિવસ તાર, ટેલિફોન ને ટપાલની ધમાલ ને ધમાલ. શાંતિનું નામોનિશાન ન મળે. ચિંતાનો પાર નહિ. રાત્રે નિરાંતે ઊંઘ પણ ન આવે. જ્યારે આ બે મજૂર પતિપત્ની રોજના સાડાચાર રૂપિયા કમાય છે. એમાંથી રૂપિયા-બે રૂપિયાનું ખાતાં હશે ને બાકીના ઓશીકે મૂકી સૂઈ જતાં હશે. એમને નથી તાર, ટેલિફોન કે ટપાલની ચિંતા કે નથી ભાવ ચડે-ઊતરે એની ચિંતા. આખો દિવસ કામ કરવું ને સાંજે ખાઈપી ભગવાનનું નામ લઈ સૂઈ જવું. કેવું સુખી જીવન !’ ‘તો તમે એમના જેવા થઈ જાઓને !’ મેં હસીને કહ્યું. ‘મહારાજ, એવું સુખ ગમે છે ખરું, પણ એમના જેવા થવાની હિંમત ચાલતી નથી !’ શ્રીમંત મિત્રે કહ્યું.

[6] વૃદ્ધાવસ્થાનું ડહાપણ ફેરફાર કરો

સૉક્રેટિસ ગ્રીસનો મોટો તત્વજ્ઞાની થઈ ગયો. ભારે વાતોડિયો. આખો દિવસ નગરમાં ફરવું, લોકો સાથે જાતજાતની વાતો કરવી ને વાતો કરતાં કરતાં પ્રશ્નોત્તરીથી લોકોને સાચા જ્ઞાનનું ભાન કરાવવું, એ એનું કામ. એક દિવસ શહેરમાં ફરતો હતો ત્યાં તેને એક યુવાન મળ્યો. યુવાને એને નમસ્કાર કરી પૂછ્યું : ‘આપ મારે ત્યાં પધારશો ?’ ‘જરૂર, શા માટે નહિ ?’ સૉક્રૅટિસે કહ્યું.

યુવાન સૉક્રૅટિસને પોતાને ત્યાં લઈ ગયો. ખૂબ આદરપૂર્વક એને ખુરશી મૂકી બેસાડ્યો. સામે એક ખાટલા ઉપર ગોદડું પાથરી પોતાના વૃદ્ધ પિતાને બેસાડ્યા. પછી પિતાને સૉક્રૅટિસનો અને સૉક્રૅટિસને પિતાનો એમ બંનેને એકબીજાનો પરિચય કરાવ્યો. આટલો વિધિ પતાવી એ પોતાને કામે ગયો. આદત પ્રમાણે સૉક્રૅટિસે તો વાતો શરૂ કરી. વૃદ્ધને એમણે બાળપણથી તે વૃદ્ધાવસ્થા પર્યંતની ઘણી વાતો પૂછી નાખી વૃદ્ધે પોતાના જીવનની ઘણી વાતો સૉક્રૅટિસને કહી. સૉક્રૅટિસે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું : ‘તમારું આજ સુધીનું જીવન તો બહુ સારી રીતે ગયંુ કહેવાય. પણ હવે ઘડપણમાં કેવી રીતે જીવો છો એ જરા કહેશો ?’

ડોસાએ કહ્યું : ‘આખી જિંદગી સુધી જે કંઈ માલ-મિલકત, કીર્તિ વગેરે પેદા કર્યું તે છોકરાને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાંને રમાડું છું. એના કામમાં જરાયે આડે આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તોપણ કંઈ બોલતો નથી. પણ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવોનો નિચોડ ઠાલવું છું. પણ પછી મારી સલાહ પ્રમાણે એ ચાલે છે કે નહિ એ જોતો નથી. મારા કહ્યા પ્રમાણે એ કરે એવો આગ્રહ પણ રાખતો નથી. ફરી ભૂલ કરે તો ટોકતો પણ નથી. અને ફરીથી સલાહ માટે આવે તો એની એ વાતો ફરીથી કહું છું.’

વૃદ્ધની વાતો સાંભળી સૉક્રૅટિસને બહુ આનંદ થયો. એણે કહ્યું : ‘ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું !’

[7] આચરણ વગરનો ઉપદેશ ફેરફાર કરો

ભરૂચ જિલ્લાના એક પાટીદાર ગૃહસ્થ મારા જૂના સ્નેહી. ફરતો ફરતો હું એમના ગામમાં ગયો. રાત્રે ભોજન પછી સભા થઈ. સભામાં પાટીદારો તથા ભીલ વગેરે બધા જ આવ્યા હતા. ભાષણને અંતે મેં ચા, બીડી, દારૂ વગેરે વ્યસનો છોડવા કહ્યું. પાંચેક મિનિટ સુધી કોઈ કંઈ બોલ્યું જ નહિ. બધા સૂનમૂન બેસી રહ્યા. એટલે મારા સ્નેહી ગૃહસ્થે ઊભા થઈ કહ્યું : ‘અલ્યા, આપણે ત્યાં મહારાજ પધાર્યા છે ત્યારે તમે બીજું કંઈ ન કરી શકો તો બીડીઓ તો છોડો. એમાં તમારે શું ગુમાવવાનું છે ? લો, બીડીઓ છોડવાની પ્રતિજ્ઞા લો.’

સભામાં જરા દૂર બેઠેલો એક જુવાન ઊભો થઈને બોલ્યો : ‘કાકા, તમે પણ પાન છોડવાની પ્રતિજ્ઞા લો ને ત્યારે !’ આખી સભા હસી પડી. આ ગૃહસ્થને પાનનું જબરું વ્યસન. આખો દિવસ મોઢું હાલતું જ હોય. અને વ્યસનો તો બધાં જ સરખાં. અમુક વ્યસન સારું ને અમુક ખરાબ એવું નથી. હવે પેલા ગૃહસ્થ પાનનું વ્યસન ન છોડે ને બીજાઓને વ્યસનત્યાગની શિખામણ આપે તો એની અસર થાય ખરી ? આપણે બીજાને સુધારવા હોય તો પ્રથમ આપણે સુધરવું પડશે. આપણે ઊંઘતા હોઈએ ને બીજાને જાગવાનું કહીએ એ કેમ બને ? આચરણ વગરનો ઉપદેશ ફોગટ છે.

[8] આ તે કાંઈ કેળવણી કહેવાય ? ફેરફાર કરો

એક દિવસ મારે બહેનોની કૉલેજમાં જવાનું થયું. 20-22 વર્ષ સુધીની બહેનો ત્યાં ભણતી હતી. મને એમનું છાત્રાલય બતાવવા લઈ ગયા. ત્યાં મેં જોયું તો રસોઈયો એમને રસોઈ કરી આપતો હતો; કપડાં ધોબીને આપવામાં આવતાં હતાં; નજીકની ઈસ્પિતાલમાં એમની દવા થતી હતી. બહેનોને કશું કામ જાતે કરવાનું નહીં. એમની સૂવાની પથારી પણ નોકર કરી આપતા. એમને તો માત્ર ભણવાનું. અંગ્રેજી ચીપીચીપીને બોલી જાણે. આ બધું જોઈ હું વિચારમાં પડ્યો. મને થયું : આમાં કેળવણી ક્યાં ? આમાં બહેનોને શાની કેળવણી મળે ? વિદ્યાર્થી અવસ્થામાં, જુવાનીમાં બધાં કામ નોકર પાસે કરાવવા ટેવાયેલી આ બહેનોને અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે લગ્ન કરવાનું થાય, ત્યારે જે ઘેર નોકરચાકર હોય તેવું જ ઘર શોધવું પડે ને ? પછી જેની સાથે લગ્ન કરવાનું છે એ માણસ ચારિત્ર્યશીલ છે કે નહીં એ ન જોવાય; એને ઘેર રસોઈયો છે કે નહીં, મોટર છે કે નહીં, નોકર છે કે નહીં – આ બધી ગણતરીથી જ વરની પસંદગી થાય. છોકરીઓને શિક્ષણકાળમાં જ આવી પરાશ્રયની ટેવો પડે એ શું તાલીમ કહેવાય ? આ જ બાળાઓ જ્યારે માતાઓ બનશે ત્યારે પોતાનાં બાળકોને કેવી તાલીમ આપશે ?

આજે નાની નાની દેખાતી છોકરીઓ ભવિષ્યની ગૃહિણીઓ છે. ગૃહિણી તરીકે એમણે જે કામ કરવાનાં છે, તે કામના સંસ્કાર પહેલેથી એમને મળવા જોઈએ. તો જ એ ગૃહિણીપદને શોભાવી શકશે. અક્ષરજ્ઞાનની સાથે સાથે મહેનતનાં કામો કરવાની તત્પરતા અને ઉત્તમ ચારિત્ર્યનો સુમેળ નહીં સધાયો હોય, તો કેવળ અક્ષરજ્ઞાન એમને ભારરૂપ થઈ પડશે. અક્ષરજ્ઞાન, શારીરિક શ્રમ અને ચારિત્ર્યઘડતર એ ત્રિવિધ પાયા ઉપર આપણી કેળવણીનું મંડાણ થવું જોઈએ.

[9] તાકાત વધારવાની ગુરુચાવી ફેરફાર કરો

ડૉક્ટરો કહે છે કે, માણસે રોજનો અમુક કેલેરી ખોરાક લેવો જોઈએ. એથી ઓછો લે તો શરીર સારું ન રહે. વિનોબાજી પાસે એક દિવસ ડૉક્ટરો આવ્યા. તપાસ કરતાં લાગ્યું કે, એમને આખા દિવસના ખોરાકમાંથી માત્ર 1100 કૅલેરી જ મળે છે, જે બહુ ઓછી ગણાય. છતાં વિનોબાજીનું સ્વાસ્થ્ય ઘણું સારું હતું. રોજ 10-15 માઈલની મુસાફરી પણ કરતા. આ જોઈ ડૉક્ટરોને આશ્ચર્ય થયું. એમણે વિનોબાજીને કહ્યું : ‘તમે અમારા શાસ્ત્રને જૂઠું પાડો છો.’ ત્યારે વિનોબાજીએ કહ્યું : ‘ખોરાકમાંથી મને મળે છે એ ઉપરાંત બીજી ઘણી કૅલેરી મને મળે છે એની તમને ક્યાં ખબર છે ? હું રોજ ખુલ્લા આકાશમાં ને શુદ્ધ હવામાં ફરું છું. વેદ, ઉપનિષદ, ગીતા વગેરે ધાર્મિક સાહિત્યનું અધ્યયન કરું છું તથા પવિત્ર વિચારોનું ચિંતન કરું છું. એ બધામાંથી મને જેટલી કૅલેરી મળે છે એની ગણતરી તમારા શાસ્ત્રમાં આવે છે ?’ ડૉકટરો શું જવાબ આપે ?

માણસ એકલા ખોરાકથી નથી જીવતો. પવિત્ર વિચારો એ પણ ખોરાક છે. લોકો આજે સ્થૂળ શરીરને પોષવા ને એને મજબૂત કરવા જે તે ખાય છે. પણ એથી શું તાકાત વધવાની છે ? ઈશ્વરે આપણને સૌને તાકાત આપીને જ મોકલ્યા છે. એ તાકાત આપણે જેમ જેમ ખરચતા જઈએ તેમ તેમ ઈશ્વર આપણામાં નવી તાકાત પૂરતો જાય. સિલકમાં હોય એ તાકાત ન વાપરીએ અને બીજી વધારે મેળવવા જે તે ખાઈએ તો કદાચ એથી તાકાત વધે ખરી, પણ તે બુદ્ધિને ભ્રષ્ટ કરશે. રોજ પવિત્ર ઉત્પાદક કામ કરી આપણી બધી શક્તિ ઈશ્વરને અર્પણ કરવી અને એ રીતે રોજ એની પાસેથી નવી શક્તિ મેળવવી એ જ તાકાત વધારવાની ગુરુચાવી છે.

[10] ભારતની સંસ્કૃતિનું પ્રતીક ફેરફાર કરો

સાબરકાંઠાના એક ગામડાંની આ ઘટના છે. ભૂદાન નિમિત્તે મારે ત્યાં જવાનું થયું હતું. સભા પૂરી થવા આવી હતી એટલામાં એક ડોશી આવ્યાં : ‘અમે તો ગરીબ રહ્યાં. શું આલીએ ?’ એવું કંઈક મનમાં બબડતાં હતાં. શરૂ શરૂમાં તો મને લાગ્યું કે એ કંઈક માગવા આવ્યાં છે. પણ પાછળથી ખબર પડી કે એ માગાવા નહીં પણ આપવા આવ્યાં છે. મારી પાસે આવીને એમણે કહ્યું : ‘મા’રાજ, તમને આલવા જેવું મારી પાહે કાંઈ નથી. આ દહ બકરીઓ સે. એમાંથી એક દૂઝણી બકરી આલું તો લેશો ?’ ‘કેમ નહીં ? વિનોબાજીના આ યજ્ઞમાં તો બકરીનું દાન પણ અમે સ્વીકારીએ છીએ. એ બકરી હું કંઈ સાથે તો નથી લઈ જવાનો. અહીંના જ કોઈ લાયક માણસને આપણે આપીશું. તો તમે કહો તેને આપી દઈએ.’ મેં કહ્યું. ‘મેં તો બકરી તમને દાનમાં આલી દીધી. હવે તમતમારે જેને આલવી હોય તેને આલી દ્યો.’ ‘પણ હું તો ગામમાં કોઈને ઓળખતો નથી, એટલે તમે જ કોક લાયક માણસ શોધી કાઢો.’

થોડી વાર વિચાર કરી ડોશી બોલ્યાં : ‘મા’રાજ, અમારા ગામમાં એક ભંગીનો સોકરો સે. એકલો સે બચારો. ઈને આલો તો ?’ મેં એ હરિજનના છોકરાને બોલાવડાવ્યો. એને ખબર પડી ગઈ હશે, એટલે એ હસતો હસતો આવ્યો. મેં એને કહ્યું : ‘આ માજી તને એક બકરી આલે છે. તું એને પાલવીશ ?’ એણે ખુશીથી હા પાડી. બકરી તેને આપવામાં આવી. એના આનંદનો પાર નહોતો.

બપોરે ભોજન કરી હું કાંતતો હતો ત્યાં એ ડોશી ફરીથી આવ્યાં. બોલ્યાં : ‘મા’રાજ, હું એકલી સું. મારે બે ઘર સે. એકમાં હું રહું સું ને બીજામાં બકરીઓ રાખું સું. બકરીઓ તો વાડામાંય રહી શકે. તો આ મારું બીજું ઘર સે તે પણ દાનમાં લઈ લ્યો.’ ઘડીભર તો હું ડોશીની સામે તાકી જ રહ્યો. બીજા માટે ત્યાગની આ વૃત્તિ જોઈ મને બહુ આનંદ થયો. પછી મેં એમને કહ્યું : ‘માજી, તમારા ગામમાં કોઈ ઘર વગરનો માણસ છે ?’ થોડી વાર વિચાર કરી ડોશીએ કહ્યું : ‘હા મા’રાજ, એક રાવણિયો છે. જો ઈને આલશો તો બહુ રાજી થશે.’ મેં રાવણિયાને બોલાવડાવ્યો. એને પૂછ્યું : ‘તમારી પાસે ઘર નથી કે ?’ ‘નથી મા’રાજ’ એણે કહ્યું. ‘તો કેમ બાંધતા નથી ?’ ‘બાંધું તો ખરો મા’રાજ, પણ કોઈ ગભાણની જમીન આલતું નથી.’ ‘આ ડોશીમા તમને રહેવા ઘર આપે તો તે લેશો ?’ ‘શું કામ નહીં લઉં ?’ ખુશીમાં આવી એણે કહ્યું. ‘પણ ઘર જરા ઠીકઠાક કરવાનું છે.’ ‘એ તો કરી લઈશ, બાપજી.’ ‘પણ જો, એક શરત છે. આ ડોશીમા જીવે ત્યાં સુધી તારે એમની સેવા કરવી પડશે !’ મેં હસતાં હસતાં કહ્યું.

સેવા કરવાની વાત સાંભળી પાસે બેઠેલાં ડોશી તરત બોલી ઊઠ્યાં : ‘ના ના, મા’રાજ ! સેવા કરાવવા હું ઈને ઘર નથી આલતી. ઈની પાહે નથી ને મારી પાહે એક વધારાનું પડ્યું સે એટલે હું ઈને આલું સું. મારે એની પાહે સેવા નથી કરાવવી. મારી તો તમને અરજ સે કે એવું લખીને આપો કે હું મરી જઉં પશી પણ એ ઘર ઈની પાહેથી કોઈ લઈ ન લે !’ ડોશીની આ વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. મને થયું : આ ડોશી નથી બોલતાં પણ ડોશીના મોઢે ભારતની ત્યાગ પ્રધાન સંસ્કૃતિ બોલી રહી છે.

જીવન નીતરી વાણી – રવિશંકર મહારાજ ફેરફાર કરો

[1] ઊંઘ ફેરફાર કરો

તમારે રોજનીશી લખવી જોઈએ. કેટલો વખત કામમાં ગાળ્યો અને કેટલો વખત આળસમાં ગયો એનો તમારે હિસાબ રાખવો જોઈએ. ચોવીસ કલાકમાં એક મિનિટ પણ નકામી ન જવી જોઈએ. ઊંઘવું એ નકામું નથી. જરૂર પૂરતી ઊંઘ લેવી એ પણ કામ છે. પણ ઊંઘને મર્યાદા હોવી જોઈએ. અમથા પથારીમાં પડ્યા રહેવું એ પ્રમાદ કહેવાય. ઊંઘવાની જગ્યાએ જાગવું અને જાગવાની જગ્યાએ ઊંઘવું એ ઘડતર ન કહેવાય. ઊંઘ ઊંડી અને પહોળી એમ બે પ્રકારની હોય છે. જે આખો દિવસ મહેનત કરે છે એ પથારીમાં પડતાંવેંત જ ઊંઘી જાય છે. એ રાત્રે ઘસઘસાટ ઊંઘે છે. તેને રાત્રે સ્વપ્નો પણ નથી આવતાં. સવારે જાગે ત્યારે ઈશ્વર તેનામાં આખો દિવસ કામ કરવાની શક્તિ ભરી દે છે. આનું નામ ઊંડી ઊંઘ છે. જે માણસ ઈશ્વરે આપેલી શક્તિનો દિવસે ઉપયોગ નથી કરતો તેને રાતે ઊંઘ બરાબર આવતી નથી. તેની રાત આમતેમ પાસાં ફેરવવામાં જાય છે. તેને ખરાબ સ્વપ્ન આવે છે. સવારે ઊઠે ત્યારે તેનામાં કામ કરવાની શક્તિ, સ્ફૂર્તિ કે ઉમંગ કંઈ દેખાતું નથી. આ પહોળી ઊંઘ કહેવાય. આપણે ઈશ્વરે આપેલી શક્તિની મૂડી આખો દિવસ કામ કરી ખરચી નાખીને ઊંડી ઊંઘ માટે પ્રયત્ન કરવો જોઈએ.

[2] સુટેવો ફેરફાર કરો

સુટેવો એ આપણા જીવનની સાચી મૂડી છે. માળી ખૂબ કાળજીપૂર્વક છોડવા ઉછેરે છે. તે અવારનવાર ગોડ કરે છે, જરૂરી ખાતરપાણી આપે છે. વાડ કરે છે ને નકામાં જાળાંઝાંખરાં કાઢી નાખી તેમને યોગ્ય રીતે પોષે છે. આપણે આવી કાળજી આપણા જીવનની લેવી જોઈએ. છોડવાના યોગ્ય વિકાસ માટે જેમ ગોડ, ખાતર, પાણી, વાડ ને સાફસૂફી જરૂરી છે તેમ જીવનવિકાસ માટે સુટેવો જરૂરી છે. વિદ્યાર્થી અવસ્થામાં સુટેવો પાડી હશે તો તમારું જીવન આનંદથી મઘમઘી ઊઠશે. તમને જોઈ બીજા લોકોને આનંદ થશે ને બીજા લોકોને જોઈ તમને આનંદ થશે. તમે બધા એક કુટુંબના છો એવી ભાવનાથી એકરૂપ થઈને રહી શકો તો તમારું અહીંનું જીવ્યું સફળ થયું સમજવું. કોઈ માણસ એકલો ને અતડો રહેતો હોય અને કહે કે મારે કોઈની સાથે લડાઈ ઝઘડો થતો નથી, તો એનો કંઈ અર્થ નથી. સમુદાયમાં રહીએ અને સંપથી રહી શકીએ તો જીવતાં આવડ્યું કહેવાય. ઉપરાંત, તમારે એકબીજાને મદદ કરતાં શીખવું. વિના કારણ નકામી કોઈની ખુશામત ન કરવી. પડોશી ઉપર આફત આવી પડે ત્યારે મદદ માટે દોડી જવું. આપદધર્મ આવે ત્યારે નિયમિતતાને વળગી રહેવાનો આગ્રહ ન રાખવો. એવે વખતે આપણે વિવેક કરવો જોઈએ.

[3] સદગુણોનો વિકાસ ફેરફાર કરો

આપણા દેશમાં અનેક જાતની કુટેવો અને દુર્ગુણો પેસી ગયા છે. તે દુર્ગુણો કેવી રીતે પેસી ગયા અને શું કરીએ તો તે જાય એનું કોઈ માણસ સતત ચિંતન કરે અને તે કાઢવા પ્રયત્ન કરે, તોપણ તે મુશ્કેલ બને છે. કારણ કે આદતનું બળ બહુ ભારે હોય છે. તેમાંથી છૂટવું એ જેવું તેવું કામ નથી. કુટેવને બદલવી એ અસાધારણ કામ છે. પણ સમૂહમાં રહી પ્રયત્ન કરવામાં આવે તો એ સરળ થઈ જાય છે. કારણ કે સમૂહમાં રહેવામાં એક બળ પેદા થાય છે, અને તે વહેંચાય છે. ચીકણી માટી ઉપર ચાલવું હોય તો એકલાથી ન ચાલી શકાય પણ એકબીજાના ટેકાથી ચાલી શકાય. તેમ સમુદાય પોતાના દોષોનું યથાર્થ દર્શન કરી તેમને દૂર કરવા પ્રયત્ન કરે તો જરૂર તેમાં સફળતા મળે.

એ માટે આપણે આપણા સમયનો હિસાબ રાખવો જોઈએ. એકેએક મિનિટનો સદુપયોગ થવો જોઈએ. આપણાં સમૂહગત અને વ્યક્તિગત કામ આપણે નક્કી કરી દેવાં જોઈએ અને તે અનુસાર ઊઠતાંથી તે સૂતાં સુધી સતત કામમાં લાગ્યા રહેવું જોઈએ. નિશ્ચિત કામ થવું જોઈએ. તેમાં એક મિનિટનો પણ ફેરફાર ન થાય એવો આગ્રહ રાખવો જોઈએ. આ રીતે કામ કરવું હોય તો જીવનમાં વ્યવસ્થિતતા લાવવી પડે. અને આપણે ભાગે જે કામ આવે તે ઉત્તમમાં ઉત્તમ શી રીતે થાય એની ચીવટ રાખવી જોઈએ. આવી ચીવટ હોય તો ચોકસાઈ, કાર્યકુશળતા, નિયમિતતા, કામમાં ઝડપ વગેરે ગુણો આપમેળે વિકસશે. આ ગુણો પ્રાપ્ત કરવા એનું નામ કેળવણી કે સંસ્કારિતા, એ ગુણોનો વિકાસ થાય એ દષ્ટિએ જ આપણે પ્રત્યેક કામ કરવું જોઈએ. ગુણોનો વિકાસ ન થાય અને કામ પૂરું કરીએ એમ બને, પણ જીવનની દષ્ટિએ એ કામની કંઈ કિંમત નથી. આપણાં બધાં કાર્યોનું મૂલ્યાંકન તે કામોથી સદગુણોનો વિકાસ કેટલો થાય છે એ ઉપરથી આપણે કરવું જોઈએ.

[4] અકિંચન ગુરુ ફેરફાર કરો

નાનાભાઈ ભટ્ટ એક વખત વાત કરતા કે એક દિવસ એક રાજા જંગલમાં ફરવા ગયો. એણે એક વૃક્ષ નીચે એક ગુરુ અને કેટલાક વિદ્યાર્થીઓ જોયા. ગુરુ વિદ્યાર્થીઓને શીખવવામાં તલ્લીન હતા. રાજા તેમની સામે જઈ ઊભો રહ્યો પણ ગુરુએ એમની સામે પણ ન જોયું. છેવટે રાજાએ થાકીને કહ્યું : ‘હું આ પ્રદેશનો રાજા છું. તમારે કંઈ જોઈએ છે?’ ગુરુએ જવાબ આપ્યો, ‘મારે શું જોઈએ છે એની મને ખબર નથી. પત્ની જે કાંઈ આપે છે તે ખાઈ લઉં છું ને વિદ્યાર્થીઓને ભણાવું છું. એટલે મારી પત્નીને મળો.’ રાજા ત્યાંથી ગુરુપત્ની પાસે ગયો ને કહ્યું : ‘તમારે કશાની જરૂર હોય તો માગો.’ ગુરુપત્નીએ કહ્યું : ‘આમલીનાં પાન બાફીને આપું છું તો તે ચાવીને પણ વિદ્યાર્થીઓને ભણાવે છે.’

શિક્ષણનો ધંધો બ્રાહ્મણનો છે, વૈશ્યનો નથી. અર્થાત શિક્ષક અકિંચન હોવો જોઈએ. એનું જીવન ખૂબ સંયમી હોવું જોઈએ. શિક્ષકનું કામ એ ધર્મ હતો, આજે એ ધંધો થયો છે એ મહા દુઃખ થયું છે. છતાં આપણામાં સંયમ અને વિવેક હોય તો શિક્ષકનો ધર્મ સાચવી શકીએ. જેમ જેમ આપણો વિકાસ થતો જશે તેમ તેમ આપણે બાળકોનો વિકાસ કરતા જઈશું. પણ આપણે જ વ્યસનોમાં, વૈભવવિલાસમાં પડ્યા ને ઈંદ્રિયારામી બન્યા તો કંઈ થઈ શકવાનું નથી. આપણે ત્યાં શિક્ષક માટે ગુરુ શબ્દ વપરાય છે. કેટલો શ્રેષ્ઠ ધંધો હશે ત્યારે એ શબ્દ વપરાયો હશે ! આપણે એનો મહિમા સમજીએ. આજે તો શિક્ષક કહે છે કે તલાટી થયા હોત તો સારું; શિક્ષકને તો રસ્તો બતાવનાર પણ ન મળે. આમ કેમ લાગે છે ? કારણ આજે શિક્ષકની પ્રતિષ્ઠા નથી રહી. તે જે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે તે સમાજને ખપ લાગતા નથી. માબાપ ન છૂટકે તેમને નિશાળે મોકલે છે. એ જાણે છે કે, ભણીને છોકરાં કંઈ ધોળવાનાં નથી. વિદ્યાર્થી સમાજને ખપ લાગે એવો થાય તો જ શિક્ષકની પ્રતિષ્ઠા વધે. ઘડનારો ખપ નથી લાગતો એટલે ઘડનારની કિંમત થતી નથી. એટલે તમારું મોઢું તમે ઘડતર અથવા કેળવણી તરફ રાખજો. એક વખત એ તરફ મોઢું ફર્યું પછી પ્રગતિ થશે. પ્રગતિ એટલે વિકાસ. વિકાસ એ સ્વભાવ છે.

[5] સ્વાવલંબન ફેરફાર કરો

સંપૂર્ણ સ્વાવલંબન દુનિયામાં ક્યાંય શક્ય નથી. આપણા શરીરમાં જ જુઓ ને ! આંખ એક વસ્તુ જોઈ શકે છે, પણ તે લઈ શકતી નથી; એ માટે એને હાથની મદદ લેવી જ પડે છે. શરીરનાં બીજા અંગો પણ એ રીતે પરસ્પરાવલંબી છે. એથી જ શરીરનું કામકાજ વ્યવસ્થિત ચાલે છે. પણ એક અંગ બીજા અંગને મદદ ન કરે અથવા કોઈ અંગ બીજા અંગની મદદ લેવાનું છોડી દે તો ? શરીરમાં રોગ પેસે. જેવું શરીરનું છે તેવું જ સમાજનું. ઘર બનાવવું હોય તો શું માલિક જાતે બનાવે છે ? એ માટે સુથાર, લુહાર, કડિયા, મજૂર વગેરેની જરૂર પડે છે. હા, કેટલાંક કામ સૌએ જાતે કરવાનાં રહેશે. તે પૂરતું સ્વાવલંબન હોવું જોઈએ. પણ ઘણાં કામોમાં તો પરસ્પર મદદની જરૂર રહેવાની જ. સમાજમાં કોઈ એકલો ટકી ન શકે. વેદમાં પણ ‘સાથે ખાઓ, સાથે જીવો’ એવી આજ્ઞા છે.

વળી, દાળ બનાવવી હોય તો તેમાં ગોળ, આમલી, મીઠું, હળદર, મરચું વગેરે વિવિધ મસાલા નાખવા પડે છે. દરેકના વિવિધ ગુણ હોય છે. બધા સાથે મળે છે ત્યારે દાળ સ્વાદિષ્ટ બને છે. એમાં એકાદનું પ્રમાણ વધી જાય તો દાળ બગડી જાય. એ રીતે સમાજમાં જુદા જુદા સ્વભાવ ને જુદા જુદા ગુણ ધરાવતા માણસો રહે છે. એ બધાના સ્વભાવ અને ગુણની સમાજને જરૂર છે. અરે, મૂરખ ગણાતા માણસો પણ ક્યારેક સમાજને ઉપયોગી થઈ પડે છે. ઘરને આગ લાગી હોય છે ત્યારે બુદ્ધિશાળી લોકો બૂમો પાડે છે, પણ આ મૂરખ ગણાતા ઉપર ચડી જાય છે ને આગને હોલવી નાખે છે. આમ સૌની બુદ્ધિ સમાજને ખપની છે. એ સમાજના હિતમાં વપરાય તો સૌને કલ્યાણકારક નીવડે છે.

ગ્રામ સંસ્કૃતિ ફેરફાર કરો

  ♦ આજે આપણે ક્યાં છીએ ? – રવિશંકર મહારાજ ગ્રામ સંસ્કૃતિ’ પુસ્તક → સંપાદન શ્રી શિવાભાઈ ગો. પટેલે 

આજે નાનાં બાળકોથી માંડી વૃદ્ધ સુધીનાં તમામ સ્ત્રી-પુરુષોના જીવન જોઈએ, તો મોટે ભાગે શરીર તરફ મોં રાખીને જ તેઓ જીવનારાં માલૂમ પડશે. પહેલાંના જમાનાની જરૂરિયાતો ઓછી હતી અને આજે વધુ થઈ છે એમ કહેવાય છે; પણ ‘જરૂરિયાતો’ કોને કહેવી, એ જ એક સવાલ છે. જેનાથી સારી રીતે જીવી શકીએ, તે જરૂરિયાત.

પહેલાં બધા એકબીજાના સહકાર વડે જીવતા હતા. અને મહેનત એ જીવવાનું સાધન હતું. એ મહેનત પણ એવી કે કોઈને નુકશાન ન કરે. બધા નવું ઉત્પન્ન કરીને ભોગવતા હતા. કોઈનું પડાવી લેવાની વૃત્તિ ન હતી. પહેલાંના જમાનામાં ઓછી જરૂરિયાત હતી, એટલે શું ? તેઓને પૂરતું અનાજ મળતું ન હતું ? શું તેમને ઘી-દૂધ મળતાં જ ન હતાં ? શું તેઓની તંદુરસ્તી ખરાબ હતી ? તેઓ ઓછું ખાતા હતા ? શું તેઓને ટાઢે મરવું પડતું હતું ? ના, એ બધું તો પૂરતા પ્રમાણમાં હતું; એટલે તે વખતે ઓછી જરૂરિયાત હતી એમ નહિ, પણ સરસ રીતે જીવી શકે એવી જરૂરિયાતો હતી, તે વખતે ઉદ્વેગ અને ચિંતા સિવાય સારી રીતે બધા વ્યવહાર કરતા હતા. તે વખતે નવું ઉત્પન્ન કરવામાં કોઈને દુઃખ ન પડે, એની ચિંતા રહેતી. એનો અર્થ એમ નહિ કે, બધા જ્ઞાની હતા; પણ જીવવાની રીત જ એવી હતી કે તેને ખોટું કરતાં આંચકો લાગતો અને તે અટકતો.

આજે જરૂરિયાતો વધી, એટલે કે જે જરૂરિયાતોમાં જીવનને નભાવવાની શક્તિ નથી અને જે વાપરવા જેવી પણ નથી, તે આપણે વાપરતા થયા. આજે આપણું લક્ષ્ય આત્મા તરફ રહ્યું નથી, પણ શરીર તરફ ગયું છે. જેમ રૂપિયા તરફ મોં રાખનારો મરી જશે, પણ રૂપિયો તેનાથી નહિ છૂટે, શરીરને કષ્ટ પડશે, તો દવા માટેય રૂપિયો ખરચતાં તેને ટાઢ ચઢશે. એ પરથી કહેવત પડી છે : ‘ચમડી તૂટે, પણ દમડી ન છૂટે.’ એમ શરીર તરફ મોં રાખનારો આત્માને મારી નાખશે, પણ શરીર સાચવવા પ્રયત્ન કરશે. તે પૈસા સાચવવા પ્રયત્ન કરશે. લખ ચોરાશી જે કહે છે, તે આ છે. ચોરાશી એટલે શરીર. આપણું શરીર પોતાનાં 84 આંગળ એટલે સાડાત્રણ હાથ લાબું છે. એ લખ ચોરાશી ક્યારે છૂટે ? જ્યારે આપણું મોં આત્મા તરફ જાય ત્યારે. આજે તો શરીર સુંવાળું અને છેલછબીલું કેમ દેખાય, એનો જ વિચાર કરીએ છીએ અને એ રીતે જ આપણે ખાઈએ-પીએ છીએ, બેસીએ-ઊઠીએ છીએ અને ભણીએ છીએ. આજે તો કપડાં રક્ષણ માટે પહેરવામાં નથી આવતા, પણ દેખાવ માટે પહેરાય છે.

આજે ખોરાક પણ શરીરને જરૂર છે, તે માટે લેવામાં નથી આવતો પણ સ્વાદિષ્ટ છે તેથી અને મોજશોખ માટે તે લેવાય છે. આજે વંચાય છે તે જ્ઞાન મેળવવા નહિ પણ વખત કાઢવા તથા વિષયો પોષવા. આમ બધું શરીર માટે કરવામાં આવે છે. તેથી અને મોજશોખ માટે તે લેવાય છે. આજે વંચાય છે તે જ્ઞાન મેળવવા નહિ પણ વખત કાઢવા તથા વિષયો પોષવા. આમ બધું શરીર માટે કરવામાં આવે છે. તેથી પરિણામ એ આવ્યું કે તે બીજાને કામ આવતો નથી, પણ બીજાને ભારરૂપ બને છે. ખરી રીતે તો ઓછામાં ઓછું લે અને વધુમાં વધુ આપે એ જ સારો.

ગાંધીજી કપડાંમાં જરૂર પૂરતું જ કપડું વાપરતા, અને ખોરાકમાંય ફક્ત પાંચ ચીજો લેતા. તે કહેતા કે આ પાંચ ચીજો શરીર ટકાવવા પૂરતી લઉં છું; તેથી બીજી બધી ચીજો મારાથી નિર્ભય બની ગઈ છે. આ પાંચ ચીજો લઈને શરીર ટકાવીને તેનો સદુપયોગ કરવો છે. દરેક વિચારે કે આ શરીર તો હિંસાનું પૂતળું છે, છતાં તે નાખી દેવું યોગ્ય નથી, તેથી તેને વીંઢાળું છું અને તેનો આત્માના કલ્યાણમાં ઉપયોગ કરું છું, જો આત્માનું કલ્યાણ સાધવામાં ન આવે, તો તે બોજારૂપ નીવડે; એટલે તે ઈશ્વરે આપણને આપેલું સંપેતરું છે, તેની મમતા શાને હોય ? મને જેવા ભાવથી ઈશ્વરે આપ્યું છે, તેવા ભાવથી મારે તેને સોંપવાનું છે. હરખ-શોક સિવાય માનપૂર્વક જેમ મળ્યું છે, તેમ પાછું સોંપવાનું છે. શરીર એ સાધન છે. આત્માના સુખ માટે તે વપરાવું જોઈએ અને તે માટે તેને ફેંકી પણ દઈએ. આવી કેળવણીને અભાવે ગામડાં આજે ફિક્કા પડી ગયા છે. આજે ઉડાઉપણું અને કંજૂસાઈ આવ્યા, પણ કરકસર એને ઠેકાણે ન રહી. એક રૂપિયાની જરૂર હોય તેને ઠેકાણે બે રૂપિયા વાપરવા, અર્ધોશેર અનાજની જરૂર હોય ત્યાં શેર ખરચવું; ડોલ પાણીની જરૂર હોય ત્યાં દશ ડોલ વાપરવું; આ ઉડાઉપણું છે. કંજૂસાઈ એ કે એક રૂપિયાની જરૂર હોય ત્યાં પોણો રૂપિયો વાપરે અને દોઢું નુકશાન કરે. શેર રાંધવાની જરૂર હોય, ત્યાં પોણોશેર રાંધે અને ખૂટે ત્યારે ફરી શેર રાંધે. ઓછો ચાલશે એમ માની થોડું લાવે અને પછી ખૂટે ત્યારે મેળ વગરનું વધુ લાવવું પડે. માણસ માંદો પડે ત્યારે શરૂઆતમાં પૈસો ન ખરચવાની ઈચ્છાએ દવા ન કરે અને પછી એ જ દવા માટે રૂપિયો ખરચે. આ કંજૂસપણું થયું. પણ કરકસર એ કે રૂપિયાની જરૂર હોય ત્યાં એક રૂપિયો જ વાપરે અને દોઢ રૂપિયો વાપર્યો હોય તેમ દેખાય; કેમ કે તેમાં જ્ઞાનપૂર્વક ગણતરી હોય છે. આજે આવી કરકસરની ટેવ ગઈ છે; તેથી થોડાક કંજૂસ થયા અને બાકીના ઉડાઉ બન્યા.

કેળવણીનું પણ એવું છે. પહેલાં પ્રાથમિક કેળવણી બધાને મળતી. તેમાં પોતાના ધંધાનું સામાન્ય જ્ઞાન અને થોડું અક્ષરજ્ઞાન હતું. માધ્યમિક કેળવણીમાં માણસો ધંધાનું થોડું શાસ્ત્ર શીખતા; તેમાં સમાજમાં ભેગાં મળીને જીવવાની કેળવણી મળતી હતી. ઊંચી કેળવણીમાં સમાજથી પર જઈને આત્મા શું ? હું શા માટે જન્મ્યો ? મારી ફરજ શી ? હું ક્યાં જવાનો છું ? વગેરે જ્ઞાનનો સમાવેશ થતો હતો. જે આ ત્રણે પ્રકારમાંથી કોઈ પણ જાતની કેળવણી ન લે, તે અસંસ્કારી ગણાતો. જ્ઞાન લેવાની રીતો ત્રણ હતી: એક સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કરીને; બીજું પોતાનું જ્ઞાન આપીને-બીજા પાસેથી જ્ઞાન લઈને; ત્રીજું ધનને બદલે જ્ઞાન લઈને; આ ત્રીજી રીતે કનિષ્ઠ ગણાતી. વળી ઊંચી કેળવણી તો નિઃસ્વાર્થી પાસેથી મળી શકે. એવા ગુરુઓ પણ હતા કે, જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કહેવાતા. શ્રોત્રિય એટલે સાંભળેલું બરાબર કહી બતાવે; એટલે કે જે સમજ્યા છે, તે બરાબર રીતે બીજાને સમજાવી શકે, અને બ્રહ્મનિષ્ઠ એટલે જે જ્ઞાન સાથે ઈશ્વરમાં, આત્મામાં તલ્લીન થયો હોય. આવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી ઉચ્ચ જ્ઞાન મેળવવા માટે શિષ્ય નમ્ર ભાવે હાથમાં સમિધ લઈને જતો. ગુરુ પવિત્ર જીવન જીવનારા હતા. અને તેમનામાં જ્ઞાન આપવાની આવડત પણ હતી.

બીજા વર્ગની કેળવણી-માધ્યમિક જ્ઞાન એટલે કે સેવા લે અને જ્ઞાન આપે. જેમ ઋતુપર્ણ રાજાને ત્યાં નળરાજા બાહુકવેશે રહ્યા હતાં. એક વખત ઋતુપર્ણને સ્વયંવરમાં જવાનું હતું અને અમુક સમયમાં જ પહોંચવાનું હતું, ત્યારે તેનો રથ હાંકનાર બાહુક સિવાય બીજો કોઈ ન હતો. બાહુક અશ્વવિદ્યામાં કુશળ છે, તેની રાજાને ખબર નહિ, પણ નિરુપાયે તેણે તેને લીધો. તેણે માંદલા ઘોડા લીધા. રાજા અકળાયો, પણ ઉપાય ન હતો. નળરાજાએ બાહોશીથી પવનવેગે રથ હાંક્યો; તેથી રાજા બહુ ખુશ થયો અને તેથી તેની અશ્વવિદ્યા વિષે તેને ખૂબ માન થયું. વચ્ચે એક ઠેકાણે તે વિસામો લેવા થોભે છે; ત્યાં રાજાએ નળને કહ્યું, ‘આ ઝાડ પર કેટલાં પાંદડાં હશે ? નળ કહે, એ કંઈ ગણી શકાય ખરાં ? રાજાએ પાન ગણીને કહ્યાં; એટલે નળને થયું કે, હું માનતો હતો કે, રાજાને કંઈ આવડતું નથી, પણ આ તો બહુ હોશિયાર છે. તેણે પૂછ્યું, કે તમે શી રીતે ગણ્યા તે મને શીખવો. રાજાએ કહ્યું કે આ માંદલા ઘોડાથી તેં રથ કેવી રીતે પવનવેગે હાંક્યો, તે મને શીખવ.’ આમ બન્ને અરસપરસ શીખવે છે. એવી રીતે જે પોતાનું જ્ઞાન બીજાઓને આપે અને બીજા પાસેનું જ્ઞાન પોતે મેળવે તે મધ્યમ પ્રકારનું જ્ઞાન થયું.

ત્રીજા પ્રકારનું એટલે કનિષ્ઠ પ્રકારનું જ્ઞાન એ કે દામ આપીને તે લે; પણ અંદરથી-હૃદયના ઊંડાણમાંથી પ્રેમનો ઊભરો આવે અને શિષ્યને તે વખતે ભણાવે, તેવું ભણતર મેળવનાર ભાગ્યશાળી ગણાય. આજે ઉચ્ચ કેળવણી તો ગઈ જ. મધ્યમ પ્રકારની કેળવણી પણ નહિ જેવી જ રહી છે; અને બધે કનિષ્ઠ પ્રકારની કેળવણી રહી ગઈ છે; એટલે સ્થૂળ કેળવણી રહી છે. જ્ઞાન મેળવવાનું ખરું સ્થાન હૃદયના ભાવ હોય છે. આજે એવા હૃદયના ભાવનું ભણતર ખોળ્યું મળતું નથી.

કૂવાનું પાણી હોય છે, તે કાઢ્યે ખૂટતું નથી. જેમ તેમાંથી પાણી કાઢો, તેમ વધુ નિર્મળ પાણી પૂરજોસથી બહાર આવે; કેમ કે તે પાણી પાતાળમાંથી આવે છે. પણ ટાંકુ ભરી રાખ્યું હોય, તેમાંથી પાણી ન વપરાય તો બગડી જાય અને વપરાય તો ખૂટી જાય. આજનું શિક્ષણ ટાંકાના પાણી જેવું છે. શિક્ષકો હડતાલ પાડે તો મા-બાપનું રૂંવાડું ય ફરકતું નથી કે મારો છોકરો જ્ઞાન વગરનો રહી જશે. આવી લાગણી કોઈને થતી નથી. ટાંકાની આવી કેળવણીને કારણે સદાચારી માણસોનો પાક અટકી ગયો. હિંદને એ બહુ ભારે નુકશાન થયું છે. સદાચારના જ્ઞાનથી વંચિત રહ્યા, તેની આપણને ભારે ખોટ પડી. આવી ઊંધી કેળવણી લેવા માટે પૈસા પણ ખૂબ વાપરવા પડે છે. અને જેની પાસે એટલા પૈસા ન હોય, તે એ ન લઈ શકે. એ રીતે બહુ જ થોડા એવી કેળવણી લઈ શકે છે.

આજે નિશાળમાં ગુરુ-શિષ્યના સંબંધો કેવા છે ? બન્ને જણ એકબીજાના હરીફો ન હોય, તેમ તેમની વચ્ચે કજિયા થાય છે. ગુરુ માટે શિષ્યને કંઈ માન નથી. શિષ્યના જીવન સાથે ગુરુને કંઈ સંબંધ નથી. તે પાંચ કલાક નિશાળમાં હાજર રહે એટલે કર્તવ્ય પૂરું થયું સમજે છે. એની નજર હંમેશ પગાર તરફ રહે છે. જ્યારે વિદ્યાર્થી ફી આપે છે, એટલે તે વર્ગમાં ગમે તેમ વર્તવાનો પરવાનો મેળવી લે છે. પહેલાં ગુરુને અને તેમના વિદ્યાર્થીઓને રાજા પણ માન આપતા. તેમના સ્વાગત માટે સામા જતા, આજે તો જ્ઞાન અંદર પેસી ન જાય એ માટે શિક્ષક લાકડી લઈ નિશાળને દરવાજે બેસતા ન હોય એવું લાગે છે ! આજે વિદ્યાર્થીનું જીવન તપાસીએ તો તેનું જીવન તેનાં મા-બાપના કે તેના ગુરુના જીવન સાથે સંબંધ વિનાનું થઈ ગયું છે.

આજે ગામડામાં જઈને જોઈએ તો શું જણાશે ? ખરા કામની મોસમ હશે, મા-બાપ બધાં કામમાં રોકાઈ ગયાં હશે, ત્યારે ગામમાં ભણેલો છોકરો નવરો ફરતો જણાશે અથવા અખાડામાં દાવ ખેલતો હશે. તે ઘરના કશાય કામમાં નથી આવતો. તે બહારથી ભણીને આવે છે એટલે તેને ઘરનું ખાવાનુંય નથી ભાવતું; તેથી તે ઘેર રહેવાનું જ પસંદ નથી કરતો. ઘેર મા-બાપ પેટે પાટા બાંધી મહેનત કરી, કંઈક કમાણી કરે છે, તો છોકરો શહેરમાં જઈ ઉડાવે છે, ઘરની આવકથી પૂરું નથી થતું, તો ચોરી કરે છે; કોઈને છેતરે છે પણ તે પોતાના મોજશોખમાં ખામી આવવા દેતો નથી. આવો વિદ્યાર્થી બીજાનાં દુઃખનો શી રીતે વિચાર કરી શકે ? કેમ કે તે પોતાની જ જરૂરિયાતોનો ભૂખ્યો હોવાથી દુઃખી છે. પોતાનું સહેજ પણ જ્ઞાન તે મફત શી રીતે આપી શકે ? કોઈને રસ્તો બતાવવો હશે તોય જો તે અભણ હશે, તો પંદર વાત કરશે અને જરૂર હશે તો થોડે સુધી મૂકી પણ આવશે; અને ભણેલાને જો કોઈ પૂછશે, તો તે આંગળીથી બતાવશે કે પેલે રસ્તે જાઓ, આગળ પૂછજો. આગળ કોઈ મળે એમ છે કે નહિ, તેનો વિચારેય નહિ કરે, આજે તો સેવા કરવામાં પણ સામો નારાજ થાય, તો કહીએ કે ભાઈ, એ સેવા નહિ થાય, જવા દો એ સેવા. સામાને નારાજ શું કામ કરીએ ? સાધુ પણ કહે છે, હરિજનોને અડવામાં પાપ નથી, પણ यधपि शुद्धं लोकविरुद्धं न कर्तव्यम લોકોને પસંદ નથી, તો શું કામ આગ્રહ રાખવો ?

આજે તો મહેનત કરનારની કિંમત નથી અને લોકોને લૂંટવાની આવડતવાળો ડાહ્યો ગણાય છે. જો તક મળ્યે કોઈનો પૈસો પડાવી ન લીધો હોય, તો તે બાઘો ગણાય છે. યેન કેન પ્રકારેણ કમાઈ લાવે, તે ડાહ્યો ગણાય. ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ કમાય તે હોશિયાર ગણાય ! આજે આપણે ક્યાં છીએ

વચનામૃતો – રવિશંકર મહારાજ ફેરફાર કરો

           ♦ ‘ઘસાઈને ઉજળા થઈએ’નો જીવનમંત્ર આપનાર ગાંધીયુગના પરમ આદરણીય શ્રી રવિશંકર મહારાજના પુસ્તક ‘વચનામૃતો’માંથી સાભાર.

[1] ઊંડી અને પહોળી ઊંઘ ફેરફાર કરો

તમારે રોજનીશી લખવી જોઈએ. કેટલો વખત કામમાં ગાળ્યો અને કેટલો વખત આળસમાં ગયો એનો તમારે હિસાબ રાખવો જોઈએ. ચોવીસ કલાકમાં એક મિનિટ પણ નકામી ન જવી જોઈએ. ઊંઘવું એ નકામું નથી. જરૂર પૂરતી ઊંઘ લેવી એ પણ કામ છે. પણ ઊંઘને મર્યાદા હોવી જોઈએ. અમથા પથારીમાં પડ્યા રહેવું એ પ્રમાદ કહેવાય. ઊંઘવાની જગાએ જાગવું અને જાગવાની જગાએ ઊંઘવું એ ઘડતર ન કહેવાય.

ઊંધ ઊંડી અને પહોળી એમ બે પ્રકારની છે. જે આખો દિવસ મહેનત કરે છે એ પથારીમાં પડતાવેંત જ ઊંઘી જાય. એ રાત્રે ઘસઘસાટ ઊંઘે છે, તેને રાત્રે સ્વપ્નો પણ નથી આવતાં. સવારે જાગે ત્યારે ઈશ્વર તેનામાં આખો દિવસ કામ કરવાની શક્તિ ભરી દે છે. આનું નામ ઊંડી ઊંઘ. જે માણસ ઈશ્વરે આપેલી શક્તિનો દિવસે ઉપયોગ નથી કરતો તેને રાત્રે ઊંઘ બરાબર આવતી નથી. તેની આખી રાત આમતેમ પાસાં ફેરવવામાં જાય છે. તેને ખરાબ સ્વપ્ન આવે છે. સવારે ઊઠે ત્યારે તેનામાં કામ કરવાની શક્તિ, સ્ફૂર્તિ કે ઉમંગ કંઈ દેખાતું નથી. આ પહોળી ઊંઘ કહેવાય. આપણે ઈશ્વરે આપેલી શક્તિની મૂડી આખો દિવસ કામ કરી ખરચી નાખીને ઊંડી ઊંઘ માટે પ્રયત્ન કરવો જોઈએ.

[2] ભણતરથી બુદ્ધિ આવે, કેળવણીથી યોગ આવે ફેરફાર કરો

ભણતર અને કેળવણીમાં બહુ ફેર છે. આજે આપણે બાળકોને ભણતાં શીખવીએ છીએ, કેળવણી નથી આપતા. ભણતર એટલે બોલતાં શીખવું અને કેળવણી એટલે કેળવાવું, આચરણ કરતાં શીખવું. ભણતરથી બુદ્ધિ આવે અને કેળવણીથી યોગ આવે. યોગ આવે તે જ બુદ્ધિ કામની. યોગ વગરની બુદ્ધિ બીજાનું શોષણ કરવાનું જ કામ કરે.

[3] સૌના સુખે સુખી થવાથી સુખ મળે ફેરફાર કરો

સુખ કંઈ આકાશમાંથી નથી આવતું, સૌના સુખે સુખી થવાથી સુખ મળે છે. સુખ આપવાથી સુખ મળે છે. જે સુખ બીજા પાસેથી લઈને ભોગવવાનું છે તે લાંબો વખત ટકતું નથી. તેથી આપણે સુખી થવું હોય તો બીજાના સુખને ભોગે ન જીવતાં બીજાને સુખ આપીને જીવતાં શીખવું જોઈએ. ગાંધીજીને આપણે કેમ પગે લાગીએ છીએ ? કારણ કે એમણે એમની પાસે જે કંઈ બુદ્ધિ, શક્તિ હતી તે સમાજને ચરણે ધરી. ઈશ્વરની ચીજો સમાજહિત ખાતર વાપરીને આપણે સુખ મેળવવું છે. તે અહિંસક સુખ છે. અહિંસા કલ્યાણકારક છે. તેનો જેટલો ઉછેર થાય તેટલા સુખી થઈએ. અહિંસાનો ઉછેર કરી તેને વટવૃક્ષની જેમ વ્યાપક કરવી છે. આ કામ આપણા દેશે કરવાનું છે.

[4] જેની જરૂરિયાતો ઓછી તે ઊંચો ફેરફાર કરો

આજે તો બધે ઊંચા જીવનધોરણની બૂમો પડી રહી છે. વાડી, વજીફો, મોટર, બંગલો વગેરેને ઊંચું જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર સદાચારી જીવન ઊંચું જીવન ગણાતું. જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો. પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા જ અવળી થઈ ગઈ છે. પરંતુ આ તે ઊંચું જીવન કે અધોગતિયું જીવન ! ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં જમીન-આસમાનનું અંતર છે.

[5] માંદા ના પડાય તેવું શિખવાડે તે સાચો વૈદ્ય ફેરફાર કરો

માંદા પડ્યા પછી જે દર્દીનો રોગ મટાડે, તે સાચો વૈદ્ય ના કહેવાય. પરંતુ માંદા ના પડાય તેવું શિખવાડે તે સાચો વૈદ્ય. રોગ ના થાય તેનો પ્રચાર કરે અને લોકોને રોગનાં મૂળ કારણો સમજાવે. તેમ જ રોગનું નામ, તેનું પરિણામ, તેની ઔષધિ બતાવવી, ઓળખાવવી અને પછી ભવિષ્યમાં આવો રોગ ના થાય તેના ઈલાજો બતાવી તેને સાજો કરે, તે સાચો વૈદ્ય. પછી તે દરદી તે ઔષધિને નમસ્કાર કરવાનો, તેને પૂજવાનો. નિયમોનું પાલન ન થાય તો તે ડરશે. એટલે સાચું જ્ઞાન મેળવી જે દરદી બહાર નીકળે, તે પછી સાચો અનુભવી વૈદ્ય જ થવાનો. આયુર્વેદનો પ્રચાર દવાના ઉપયોગ કરતાં જ્ઞાનમાં થાય તે વધુ ઈચ્છનીય છે.

[6] વૈભવ અને વિલાસ ફેરફાર કરો

ગમે તેટલું કામ કરવા છતાં હાથ થાકે નહિ તે હાથનો વૈભવ. ગમે તેટલું ચાલવાનું થાય છતાં પગ ઢીલા ન પડે તે પગનો વૈભવ. ગમે તેવી ઠંડી ગરમીમાં પણ જેનું શરીર ઢીલું ન પડે તે શરીરનો વૈભવ. ટૂંકમાં, જેની ઈન્દ્રિયો વશ છે ને કલ્યાણકારક કામોમાં જે થાકતી નથી, તે તેનો સાચો વૈભવ છે. એથી ઊલટી પરિસ્થિતિ, તે વિલાસ.

[7] સુખ અને દુ:ખ ફેરફાર કરો

જેને તું સુખ દુ:ખો કહે છે એ ઈન્દ્રિયોના સ્પર્શનું છે. થોડો વખત ગાદીતકિયે બેસવાથી સારું લાગે છે. વધુ સમય બેસવાથી કંટાળો આવે છે અને ત્યાંથી ઊઠીને ફરવા માંડે છે. ઠંડીમાં તડકામાં બેસવાથી આનંદ થાય છે અને ગરમીમાં છાંયડામાં બેસવાથી આનંદ થાય છે. રોજ એકની એક ચીજ ખાય એટલે આનંદ નથી આવતો. ઈન્દ્રિયોને જેટલા સ્પર્શો છે એટલું જ સુખ અને દુ:ખ થાય છે. સુંદર વસ્તુ જોઈએ એટલે સારું લાગે. દુ:ખી અને ખરાબ વસ્તુને જોઈને દુ:ખ થાય. સંગીત સાંભળવાથી સારું લાગે અને ગાળ, અપમાન સાંભળવાથી દુ:ખ થાય. તીખું કે ગળ્યું જીભ ઉપર મૂકીએ ત્યાં સુધી સારું (સુખ) લાગે. પેટમાં ગયા પછી કશું નહિ. ભજન ગાયું ત્યાં સુધી સારું લાગે પછી કશું નહિ. એ બધી વસ્તુઓ સામેથી ખસી જાય એટલે કશું નહિ.

જે સુખ દુ:ખો આવે છે એમને ભોગવી લે. સુખ મળે તો હરખાઈશ નહિ. થોડા સુખમાં આનંદ નથી મળતો. તને જે કાંઈ દુ:ખ થાય તેની તિતિક્ષા કર. જ્ઞાનપૂર્વક સહન કરવું એને તિતિક્ષા કહે છે. ભોગવ નહિ પણ તિતિક્ષા કર. અને મનમાં યાદ રાખવું કે इदं अपि गमिष्यति – આ પણ જવાનું છે. આ બધાં સુખ દુ:ખો આવવા જવાવાળાં છે. જેમ મુસાફર ધર્મશાળામાં આવે છે અને જાય છે, એમ સુખ દુ:ખ આવે છે અને જાય છે.

[8] સમાજ સુખી તો વ્યક્તિ સુખી ફેરફાર કરો

શરીર એટલે બધાં અંગોનો સમુદાય. અને ‘શરીર સાચવજો’ એટલે શરીરના એક એક અંગને સાચવજો. શરીર સુખી એટલે બધાં અંગો સુખી. શરીરનું એક પણ અંગ દુ:ખી એટલે આખું શરીર દુ:ખી. પગમાં એક કાંટો વાગે છે તો પણ આખું શરીર દુ:ખી થાય છે. તેથી એક અંગની ઉપેક્ષા એટલે બધાં અંગોને દુ:ખ. તેથી શરીરને તંદુરસ્ત રાખવું હોય તો શરીરના દરેક અંગને તંદુરસ્ત રાખવું જોઈએ. દરેક અંગ પોતપોતાનું કામ કરે છે ને શરીરને સંભાળે છે. પોતપોતાના કામમાં દરેક સ્વતંત્ર છે. પણ પોતાનું કામ કરતાં શરીરને કંઈ પણ નુકશાન ન થાય એ તે બરાબર જુએ છે. આંખ શરીરના રક્ષણ માટે જુએ છે, કાન શરીરની સેવા માટે સાંભળે છે. એ રીતે હાથ, પગ, જીભ, નાક પણ શરીર સેવાર્થે પોતપોતાનાં કામ કરે છે. એકાદ ઈન્દ્રિય પોતાનું કામ છોડી દે તો શરીરને તકલીફ ભોગવવી પડે.

જેવું શરીરનું છે તેવું સમાજનું છે. શરીરનાં બધાં અંગો શરીરના રક્ષણ સારુ કામ કરે છે, એટલે શરીર તે બધાની રક્ષા કરે છે, તેમ સમાજનાં બધાં લોકો પોતાના બધાં કામ સમાજના હિત માટે કરે તો તેમાં તેમનું પોતાનું હિત થાય જ છે. જેમ અંગોનો સમુદાય એટલે શરીર, તેમ અનેક વ્યક્તિઓનો સમુદાય એટલે સમાજ. શરીરનાં અંગો તંદુરસ્ત, તો શરીર તંદુરસ્ત, તેમ સમાજ સુખી તો વ્યક્તિ સુખી. વ્યક્તિ એ સમાજનું અંગ છે. એ જો સમાજ વિરોધી કામ કરે તો તેનું નુકશાન સમાજને ભોગવવું પડે છે. તેથી આપણે સુખી થવું હોય તો એવું કામ કરવું જોઈએ કે જેથી સમાજ સુખી થાય.

[9] જીવનની કેળવણીની જરૂર ફેરફાર કરો

આજે જે શિક્ષણ અપાય છે, તેમાં કશી જીવનની કેળવણી નથી મળતી. કેવી વિચિત્ર વાત છે ! આજે કેળવણી ઘટતી જાય છે અને ભણતર વધતું જાય છે. આ ભણતર શા માટે એવો સવાલ જ કોઈ નથી પૂછતું ! બસ ભણ ભણ કર્યા કરે. બી.એ. પછી શું કરશો ? એમ.એ. ત્યાર પછી શું કરશો ? – આમ પૂછીએ તો કહેશે, ‘ખબર નથી.’ ઓ તારો ભલો થાય ! તો આટલું બધું ભણો છો શા માટે ? પેલા રસ્તે જતાને પૂછીએ કે ક્યાં જાઓ છો ? તો કહે, ‘ખબર નથી.’ આવું કોઈ કહે કે ? કેટલું વિચિત્ર કહેવાય, ચાલ્યા કરીએ પણ ક્યાં જવું છે તેય ખબર ના હોય ! માટે આજે તો જીવનની કેળવણીની ખૂબ જરૂર છે.

[10] પુરુષાર્થ કદી નકામો જતો નથી ફેરફાર કરો

સારી કે ખોટી કોઈ પણ પ્રવૃત્તિ નિષ્ફળ જતી નથી. ખેડૂત ખેતર ખેડી બી વાવે છે. વરસાદ ન પડે તો બી ઊગતું નથી. એથી ખેડૂતનો પ્રયત્ન નિષ્ફળ ગયો એમ નહિ કહી શકાય. એણે કરેલું ખેડાણ નકામું જતું નથી. બીજી વાર મોસમ આવતાં એમાં વધારે પાકે છે. તેમ પુરુષાર્થ કદી નકામો જતો નથી. ફળ ન મળે એથી પ્રયત્ન નિષ્ફળ ગયો એમ લાગે. પણ ફળ એટલું મહત્વનું નથી, જેટલો પુરુષાર્થ. આપણને ખબર પણ ન પડે એમ પુરુષાર્થથી આપણું બળ વધે છે.

[11] દરેક માણસમાં અપાર શક્તિ છે ફેરફાર કરો

ચિનગારી, પ્રકાશ, જ્ઞાન તો સૌ કોઈમાં પડ્યું છે. તે પર ઓછેવત્તે અંશે રાખ ફરી વળી હોય છે. એટલે તે રાખ ઉડાડવાની ઝડપ અને આવડત પર તે ચિનગારીની કામ આપવાની ઝડપનો આધાર છે. ચિનગારીમાં પ્રકાશ આપવાની પૂરેપૂરી શક્તિ હોય છે. દરેક માણસમાં અપાર શક્તિ છે જ. એ શક્તિ ઓછેવત્તે અંશે વિકાસ પામેલી હોય એટલો જ ફેર છે. આપણા બધામાં એ શક્તિ છે. એ પર રાખ ફરી વળી છે, તે દૂર કરવા માટે અંદર શોધો; અને શોધશો તો ચિનગારી મળશે જ. કુશળતા મેળવવા માટે અંદર શોધવાની જરૂર છે – ચિંતન, મનન કરવાની જરૂર છે. જે એ પ્રમાણે કરે છે, તે કુશળ થાય છે.

[12] મનન દ્વારા કોઠાજ્ઞાન ઉદ્દભવે છે ફેરફાર કરો

મનન કરવું એ માણસની ખાસ વિશેષતા છે. માણસ ચિંતન મનન કરી શકે છે. ગામડાની ભાષામાં એને વાગોળવું કહે છે. તેનાથી સદવિચારનું પાચન થાય છે. મનની ટેવ પાડીએ તો એ મન એ સદવિચારના ચિંતન મનનમાં લીન રહેશે. અને અહીં તહીં ભટકતું બંધ થશે. જે માણસ સતત મનન કરતો રહે છે. તેને જ્ઞાન અંદરથી જ મળી રહે છે. ભગવાને અંદર તો મબલખ મૂક્યું છે. મનન દ્વારા એ અંદરનું કોઠાજ્ઞાન આપોઆપ ઉદ્દભવે છે.

[13] ઝાડનાં મૂળની જેમ ફેરફાર કરો

ઝાડનાં મૂળિયાં દેખાવમાં તો કેટલાં સુંવાળાં જણાય છે ! હાથ અડાડીએ, તો ભાંગી જાય એવાં કોમળ હોય છે. છતાં એ મૂળિયાંમાં કેટલું બધું બળ હોય છે ! પથ્થર જેવી જમીનનેય તોડીને ઊંડે ઊંડે પાણી મળે ત્યાં સુધી સોંસરાં ઊતરી જાય છે. અને એક વાર અંદર ઊતર્યા પછી મૂળ જાડું થવા પ્રયત્ન કરે છે, જમીનને પહોળી બનાવે છે. આ રીતે જમીન સોંસરવા ઊતરવામાં અને પથ્થર જેવી જમીનનેય પહોળી કરવામાં કેટલું બધું બળ જોઈતું હશે !

સ્ત્રીઓમાં પણ આવું જ બળ છે. એના બળને માપી શકાય નહીં. તેથી તેને અ-બળા કહી છે. સ્ત્રી કઠણમાં કઠણ હૃદયમાં ઊતરી જઈને જગા કરે છે. એ પારકાના ઘરને પોતાનું કરી લે છે. પોતે એ ઘરની થઈ જાય છે, એ ઘરમાં સમાઈ જાય છે. ઝાડનાં મૂળની જેમ એ ઘરમાં સોંસરી ઊતરી જઈને ઘરનો કબજો લઈ લે છે.

[14] દોડમાં છેવટે જીતશે કોણ ? ફેરફાર કરો

એક હતી વેશ્યા. તે દોડવામાં બહુ જ હોંશિયાર. તેણે આખી દુનિયામાં જીત મેળવી હતી. તેની એક શરત હતી. તે કહેતી કે તેની સાથે દોડવાની હરીફાઈ કરનાર હારે તો તેનો ગુલામ થાય, અને જીતે તો પોતે તેની ગુલામ થાય. આ રીતે તેણે અનેકને ગુલામ બનાવ્યા હતા.

એક વખત તે ગ્રીસ દેશમાં ગઈ. તેણે દોડનારાઓને આહવાન કર્યું. એક જણ તેની સાથે હરીફાઈ કરવા તૈયાર થયો. તેણે આગલે દિવસે દેવળમાં જઈ પ્રાર્થના કરી. ત્યાં તેને એક ગેબી અવાજ સંભળાયો કે ‘તું નીચું જોઈને દોડજે; જા, તારી જીત છે !’

બીજે દિવસે બંને જણે દોડવાનું શરૂ કર્યું, પેલી બાઈ તો આમતેમ જોતી જાય અને દોડતી જાય; જ્યારે પેલો માણસ નીચું જોઈને દોડ્યે જતો હતો. બાઈ તો જોતજોતામાં આગળ ચાલી ગઈ. પણ રસ્તામાં તેણે એક સોનાની પાટ દેખી. તેણે થોભીને એ પાટ લીધી. એટલામાં પેલો માણસ સાથે થઈ ગયો. ત્યાં પછી બીજી સોનાની પાટ મળી. તે લેવા રોકાઈ. આ પ્રમાણે ચાલ્યા કરતું હતું.

છેવટે પેલી બાઈ પાસે તો પાટોનો ભાર વધવા માંડ્યો અને તે થાકવા લાગી. પેલો માણસ આગળ થઈ ગયો અને જીત્યો. તેને પેલી બાઈ મળી અને સાથે સોનાની પાટો પણ મળી. અને જેટલા ગુલામો હતા, તે બધાને તેણે છોડી મૂક્યા.

આપણે પણ દુનિયામાં જીતવું હોય, તો નીચું જોઈને જીવવું જોઈએ. નીચું જોવું એટલે એકચિત્ત થવું, લોભ અને લાલચને વશ ન થવું, તેની સામે ન જોવું, ડાફરિયાં ન મારવાં. જે નીચું જોઈને ચાલે છે તેની ચાલ દુનિયાને ધીમી લાગે છે, છતાં દુનિયા તેને જ પગે લાગે છે.

પોતાને ભાગ જે કામ આવ્યું, તે સુંદર રીતે, નીચું જોઈને, એકાગ્ર થઈને કરી બતાવનારા દુનિયામાં પૂજાય છે. એ પૂજાય છે કારણકે તે ઈશ્વરની સાચી સેવા કરે છે, સાચી પૂજા કરે છે. આપણે પણ તેવી જ પૂજા કરીએ.

[15] સંગઠનશકિત ફેરફાર કરો

એક જાનને ચોરોએ રસ્તામાં લૂંટી લીધી. એટલે બધા જાનૈયા બૂમો પાડતા પાડતા ગામ તરફ ભાગ્યા. એમને દોડતા જોઈને એક માણસે પૂછયું, “અલ્યા, કેમ બૂમો પાડો છો ? શું થયું ?” “ચોરોએ લૂટયા,” જાનૈયાઓએ કહ્યું. ”કેટલા ચોર હતા ?” ”ત્રણ” “અને તમે ?” “અમે અઢાર જણ હતા.” “તો પછી નાઠા કેમ ?” “અમે અઢાર હતા પણ છૂટા હતા; ત્યારે ચોર ત્રણ હતા પણ ટોળીમાં આવ્યા હતા. અમે છૂટા હતા એટલે જેને પડી તે જીવ લઈને નાઠો ને ચોરોએ જાન લૂંટી લીધી.”

ઘાસના એક તણખલામાં બળ કેટલું ? કંઈ નહીં. ઘણાં તણખલાંનો ઢગલો કર્યો હોય તો તેમાંય બળ નથી. પવનનો એક સપાટો આવે તો તણખલાંને ઉડાડીને ક્યાંય લઈ જાય. પણ એ બધાં તણખલાં ભેગાં થઈને અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે. ત્યારે બળ ઢગલામાં નથી પણ અમળાવવામાં છે. આપણા દેશમાં અબજો માણસ છે પણ આપણામાં સંગઠન નથી. શકિત તો આપણામાં બહુ છે, પણ વેરવિખેર પડેલી છે. એ એકઠી થઈને અમળાઈ નથી. તેની આપણે દુ:ખી છીએ. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જોડાઈએ તો કોઈ દુ:ખી નહિ રહે.

ગુજરાતમાં નેત્રયજ્ઞની શરૂઆત ફેરફાર કરો

             ♦ ગુજરાતના મૂકસેવક પૂ. રવિશંકર મહારાજ ગાંધીજીના સૂચન અનુસાર ગુજરાતમાં નેત્રયજ્ઞની શરૂઆત → શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) 

સને 1948-49ના સમય દરમ્યાન આખા ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા આંખના ડૉક્ટર-સર્જનો હતા. આમાંથી ફકત ચાર જેટલા અમદાવાદમાં અને આમાંના એક તે ડૉ. રમણીકભાઈ દોશી. ડૉ. દોશીએ આ સમય દરમ્યાન અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં નવી નવી પ્રૅક્ટિસ ભાડાના મકાનમાં શરૂ કરેલ.

આ સમયે ગુજરાતના મૂકસેવક પૂ. રવિશંકર મહારાજ ગાંધીજીના સૂચન અનુસાર ગામેગામ વિચરણ કરી લોકસેવા અને પછાતવર્ગની જાગૃતિનું કામ કરતા હતા. બનાસકાંઠા વિસ્તારમાં વિચરણ કરતાં મહારાજને ત્યાં અત્યંત ગરીબાઈનાં દર્શન થયાં. ચારે બાજુ પાણીની સખત તકલીફ. લોકો દૂર દૂરથી સુકાઈ ગયેલ નદીની પાસે ખાડા ખોદીને તેમાંથી પાણી ઉલેચી લાવે અને તે પીવાના તથા ખાવાના કામમાં ઉપયોગ કરે. પાણી પણ ખૂબ જ દૂષિત થયેલું હોય અને જ્યાં પીવાનું પાણી ના હોય ત્યાં નાવા-ધોવાની વાત જ કેવી ? અધૂરામાં પૂરું ગરીબાઈને કારણે લોકોની પાસે પૂરતું ખાવાનું પણ ન મળે અને જે મળે તે પોષણયુક્ત પણ નહીં. આથી પ્રજાનો મોટો ભાગ ઘણા રોગોથી પીડાતો. મહારાજે જોયું કે પ્રદૂષિત પાણીથી અને અપોષક ખોરાકથી આંખના અને અંધાપાના દર્દીઓ મોટા પ્રમાણમાં હતા, આ ગરીબ લોકો પાસે અમદાવાદ સુધી જવાના કે સારવાર કરાવવાના પૂરતા પૈસા નહીં અને લોકો કમોતે મરતા. મહારાજને આ જોઈ ખૂબ દુ:ખ થયું.

50-60 વર્ષ પહેલાંની આ સ્થિતિ નક્કર વાસ્તવિકતા હતી જે અત્યારે કોઈના માનવામાં ન આવે. મહારાજે મહેસાણામાં સેવાભાવથી સારવારનું કામ થતું જોયેલ તેથી જો સેવાયજ્ઞ – એક કૅમ્પ ઊભો કરીને ડૉક્ટરની મદદથી જો મોટા પાયે આંખના દરદીઓની સારવાર થાય તો ઘણા લોકોના જીવનમાં નવી રોશની લાવી શકાય એમ તેમને લાગ્યું. આ સમયમાં ડૉ. દોશીને ઘણી વાર અમદાવાદમાં પૂ. મહારાજને મળવાનું થતું. તેમણે ડૉ. દોશીને બનાસકાંઠાની આ ગંભીર સ્થિતિની વાત કરી, અને મહારાજે ડૉ. દોશીને તેમની સાથે રાધનપુર બનાસકાંઠા આવવા જણાવ્યું. મહારાજ અને ડૉ. દોશી બન્ને બસમાં સાથે રાધનપુર ગયા અને ત્યાં બે-ત્રણ દિવસ રોકાઈને સઘળી પરિસ્થિતિનો જાત-અભ્યાસ કર્યો.

ડૉ. દોશીએ પોતાની ચાલતી નવી પ્રૅક્ટિસમાં સમય કાઢી આંખના દરદીઓની તપાસ અને સારવાર કરવા મહારાજની સાથે રાધનપુર આવવા સંમતિ આપી. પરંતુ પ્રશ્નો મોટા હતા. ડૉક્ટર અને રવિશંકર મહારાજ બન્ને અકિંચન હતા. અહીં ફક્ત એક ડૉક્ટરથી કામ ચાલી શકે તેમ નહોતું. હજુ સુધી કોઈ જગ્યાએ અંધાપા નિવારણનો નિદાન-સારવાર કૅમ્પ થયેલ નહોતો. એકલા હાથે કામ કરવાનું, કોઈ કાર્યકર-સ્વયંસેવક નહીં કોઈ સેવાભાવી સંસ્થા નહીં કે જેની મદદ લઈ શકાય. આ કૅમ્પ કેટલા દિવસ ચલાવવો પડે તેનો પણ કંઈ અંદાજ નહીં. અને રહેવા-જમવા-નાહવા-ધોવાની ખાસ વ્યવસ્થા આ પછાત વિસ્તારમાં નહીં હોવાથી કોઈ સાથે આવવા પણ તૈયાર ન થાય. આમ છતાં ડૉ. દોશીએ મહારાજને કહ્યું કે, હું મારા સાથી ડૉક્ટરને લઈ આવીશ અને અમે ઑપરેશન માટે જરૂરી સાધનો પણ લઈ આવીશું. તમે અમને ઑપરેશનને લગતી જરૂરી દવાઓ અને દરદીઓને જમવાની વ્યવસ્થા કરી આપો. મહારાજને આંખના બધા રોગો બાબત તેમજ તેની દવા વિષે બહુ ખબર નહીં તેથી તેમણે ડૉ. દોશીને જણાવ્યું કે આપણે આ સેવાયજ્ઞ તો કરવો જ રહ્યો. તમે જે દવાના વેપારીઓને જાણતા હોય તેમને મળો અને છ મહિનાની અંદર બધા પૈસા ચૂકવી દઈશું તેવી શરતે દવાઓ લઈ આવો.

રવિશંકર મહારાજના સૂચન મુજબ ડૉ. દોશી અમદાવાદમાં પાનાકોરનાકાના ચાર-પાંચ દવાના વેપારીઓને મળ્યા અને તેમને મહારાજની વાત કરી; પરંતુ છ મહિનાની ઉધારીમાં કોઈ ડૉ. દોશીને દવા આપવા તૈયાર થાય નહીં, ડૉ. દોશી પણ અમદાવાદમાં નવા હતા. છેવટે એક વેપારીના દિલમાં રામ વસ્યા અને તેને ડૉ. દોશીની વાતમાં વિશ્વાસ બેઠો. તેણે કહ્યું જે જે દવાઓની જરૂર હોય તે બધી લઈ જાવ અને પૈસા છ મહિના પછી આપજો. અને જો નહીં અપાય તો પણ કંઈ વાંધો નહીં. આમ, દવા અને ડૉક્ટરની વ્યવસ્થા થઈ પણ હજુ ઘણી મુશ્કેલીઓ હતી. દર્દીઓને તપાસવા કે ઑપરેશન કરવા રાધનપુરમાં કોઈ યોગ્ય સ્થળ ન હોતું. દર્દીઓને સુવાડવા માટે નહીં કોઈ પલંગ કે ગાદલાં, નહીં કોઈ ટેબલ કે ખુરશીઓ, નહીં કોઈ સેવાભાવી ડૉક્ટર કે નહીં દર્દી અને તેમની સાથેનાઓ માટે કોઈ ભોજનની સગવડ. છેવટે રાધનપુરના નાના સરકારી દવાખાનામાં કૅમ્પ કરવાની મંજૂરી મહારાજે સરકાર પાસેથી મેળવી. ત્યાં કૅમ્પ કરવો અને તંબૂ બાંધીને દર્દીઓને તેમાં રાખવા અને ઘરે ઘરેથી કાથીવાળા ખાટલા અને ગોદડીઓ ઉઘરાવી લાવી કામ ચલાવવું એમ નક્કી થયું.

અનાજની વ્યવસ્થા માટે મહારાજ અને ડૉક્ટર બાજુના સમી ગામમાં અનાજના એક મોટા વેપારી રહે તેની પાસે ગયા. નેત્રયજ્ઞ કરીએ છીએ અને તે માટે અનાજ આપવાની વિનંતી કરી. શેઠ સમજ્યા કે મહારાજને યજ્ઞ-હવન કરવો છે અને તે માટે અનાજ માગે છે તેથી શેઠે ઘસીને ના પાડી દીધી કે લોકો એક બાજુ ભૂખે મરે છે અને તમારે હવનમાં અનાજ બગાડવું છે. પછી ડોક્ટરે શાંતિથી સમજણ પાડી કે આ અનાજ તો દર્દીઓને ખવડાવવા માટે માંગીએ છીએ, ત્યારે શેઠે તુરત સઘળું અનાજ આપવાનું માથે લીધું.

આમ બધી મુશ્કેલીઓ વચ્ચે નેત્રયજ્ઞની શરૂઆત થઈ. ડૉ. દોશી સાથે બીજા ત્રણ આંખના સર્જનો – ડૉ. દૂધિયા, ડૉ. હીરાભાઈ પટેલ અને ડૉ. ગાંધી પોતાની ચાલુ પ્રેક્ટિસ છોડીને અમદાવાદથી સેવા માટે પોતાનાં સાધનો લઈને આવી ગયા. રાધનપુર અને આજુબાજુનાં ગામોમાં લોકોનો ઉત્સાહ અનેરો હતો. આવો કૅમ્પ પહેલાં કોઈએ જોયેલો નહીં. દવા-સારવાર-રહેવાનું ખાવાનું મફત જોઈ ગરીબ લોકોને નવાઈ લાગતી. ગામમાંથી વીસ જેટલા સ્વયંસેવકો, બે-ત્રણ સ્થાનિક ડૉક્ટરો અને કેટલાક વિદ્યાર્થીઓ ઉત્સાહથી આ સેવાયજ્ઞમાં જોડાઈ ગયા. આ કૅમ્પ 1 મહિનાથી વધુ સમય ચાલ્યો. અંદાજે બે હજારથી વધુ દર્દીઓએ લાભ લીધો અને પાંચસોથી પણ વધુ આંખનાં ઑપરેશન થયાં. ગુજરાત અને સારા ભારતમાં નેત્રયજ્ઞનો આ પ્રથમ પ્રયોગ – શરૂઆત રાધનપુર મુકામે થયો. મહારાજ પોતે સ્ટ્રેચર ઉપાડી દર્દીઓને લઈ જાય અને તેમને ખાટલામાં સુવાડે. મહારાજ કહે મને આ સિવાય બીજું કામ આવડશે નહીં તેથી આ કામ કરીશ.

આ કૅમ્પ દરમ્યાન રાધનપુરના પરંતુ મુંબઈમાં રહેતા એક સજ્જન રાધનપુર આવેલ હતા અને કુતૂહલ ખાતર આ સેવાકાર્ય જોવા આવેલ. તેઓ આ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. અને મહારાજને અને બધા ડૉક્ટરોને પોતાને ઘરે બોલાવ્યા. લોકો દૂરથી સેવા આપવા પોતાના ગામમાં આવ્યા હોઈ તેમને થયું કે મારે પણ આમાં કંઈ યોગદાન આપવું જોઈએ અને તેવી શુભ ભાવનાથી આ કૅમ્પનો તમામ ખર્ચ પોતે ચૂકવવાનું માથે લીધું અને આમ મહારાજને છ મહિનાની ઉધારીમાં લાવેલ દવાના પૈસા તેમજ ભોજન અને અન્ય ખર્ચ પણ મળી ગયો.

કૅમ્પની પૂર્ણાહુતિ વખતે આ સજ્જન ડૉક્ટરોને કંઈ ભેટ આપવા માગતા હતા પરંતુ મહારાજે સ્પષ્ટ ના પાડી કે તેઓ કંઈ પણ સ્વીકારશે નહીં. પરંતુ તે ભાઈનો અતિઆગ્રહ જોઈ મહારાજે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે આ રકમ તમારી પાસે જ રાખો અને બીજો કૅમ્પ કરીએ ત્યારે તેમાં આ રકમ આપજો. આમ અનાયાસે બીજા કૅમ્પનું બીજ રોપાઈ ગયું. અને બીજો કૅમ્પ બોચાસણ મુકામે થયો ત્યારે એ ભાઈના પૈસાનો ઉપયોગ થયો. આમ, 1949માં મહારાજે રાધનપુરમાં કરેલા પ્રથમ કૅમ્પ પછી બીજો કૅમ્પ વલ્લભ વિદ્યાલય – બોચાસણ મુકામે થયો અને ત્રીજો કૅમ્પ સોજિત્રા મુકામે થયો. આ સેવાયજ્ઞને કાયમી સ્વરૂપ આપવા 1950માં બોચાસણ મુકામે ગુજરાત નેત્ર રાહત અને આરોગ્ય મંડળની સ્થાપના થઈ. મહારાજશ્રી તેના પ્રથમ પ્રમુખ થયા અને સમિતિમાં શ્રી બબલભાઈ મહેતા, શ્રી શીવાભાઈ પટેલ, ડૉ. દોશી અને પંડિત મેઘાવ્રત વ્યાસ ખાસ જોડાયા. શ્રી બબલભાઈએ મહારાજના સૂચન અનુસાર પાંચ લીટીનું બંધારણ ઘડ્યું જે આજે પણ કોઈ પણ જાતના ફેરફાર વગર ચાલે છે.

સને. 1964માં વ્યારાના તદ્દન આદિવાસી વિસ્તારમાં – શ્રી ઝીણાભાઈ દરજી, શ્રી જુગતરામભાઈ દવે તથા રાનીપરજ સેવા સભાના સહયોગથી 100મો નેત્રયજ્ઞ – કૅમ્પ થયો અને ત્યારથી ડૉ. દોશીએ ખાનગી પ્રેક્ટીસ બંધ કરીને આ સેવાયજ્ઞ માટે પોતાની જાતને સંપૂર્ણ સમર્પી દીધી. હવે આ નેત્રઅભિયાન ગુજરાત પૂરતું જ નહીં પરંતુ ગુજરાતની સરહદો વટાવી – બિહાર, ઓરિસા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પ્રસર્યું. ડૉ. દોશી અને તેમના સેવાભાવી ડૉક્ટરો છેક બાંગ્લાદેશ સુધી નેત્રયજ્ઞ કરી આવ્યા.

સને 1970માં પૂ. રવિશંકર મહારાજ આંખની મોટી હોસ્પિટલ ચિખોદરા-આણંદ મુકામે ગુજરાત નેત્ર રાહત અને આરોગ્ય મંડળે લોકોના દાન ફાળાથી ઊભી કરી. અને ડૉ. દોશીના માર્ગદર્શન હેઠળ બીજી હોસ્પિટલો વડોદરા, ભચાઉ (કચ્છ), દહેગામ, ટાટાનગર (બિહાર)માં ઊભી થઈ અને આજે પણ સારી રીતે સેવાકાર્યથી સુવાસ ફેલાવી રહી છે. સેવાનું એક નાનું સરખું મહારાજે રોપેલ બીજ આજે એક વિશાળ વટવૃક્ષ જેવું બની ગયેલ છે. ગુજરાત નેત્ર રાહત મંડળ દ્વારા આજદિન સુધી અંદાજે આઠ લાખ આંખના દરદીઓની સારવાર અને અંદાજે અઢી લાખ જેટલાં આંખનાં ઓપરેશન થયાં છે. આ નાની સરખી સિદ્ધિ નથી. કદાચ આ એક વિશ્વ રેકોર્ડ હશે. સેવાયજ્ઞનો આ લોકાભિમુખ પ્રયોગ ઘણા નવોદિત કાર્યકરોને સામાજિક ઉત્કર્ષ માટે પ્રેરણારૂપ બનશે.

♦ આ ભગીરથ મહાઅભિયાન શરૂ કરનાર પૂ. મહારાજ અને ડો. દોશી તથા અન્ય સેવાભાવી ડૉક્ટર-કાર્યકરોને શત શત પ્રણામ અને વંદન.
♦ ઉમરેઠમાં શ્રી રવિશંકર મહારાજ આંખના મોબાઈલ દવાખાનાનો આરંભ

ચરિત્રની ઝલક → શ્રી મૂળશંકર ભટ્ટ ફેરફાર કરો

માનવતાના દીવડામાં ખુદ પોતાની જાતને દીવેટરૂપે પ્રજાળી પ્રકાશ પાથરનારા વિભૂતિ વિરલ હોય છે. એવી એક વિરલ વિભૂતિ એટલે રવિશંકર માહારાજ. પૂરું નામ રવિશંકર શિવરામ વ્યાસ. રવિશંકર મહારાજથી ગુજરાત જેટલું સંપત્તિમાન હતું તેટલું બીજા કશાથી નહોતું. ગુજરાતની ગુનેગાર ગણાતી અને પ્રજાને ત્રાસરૂપે નીવડેલી કોમોમાં મહારાજે જીવનભર કામ કર્યું. તેમના અંતરમાં માતાનું અમર્યાદ વાત્સલ્ય ભર્યું પડ્યું હતું. ટૂંકા ધોતિયા પર કસવાળા કેડિયાવાળી, માથે ટોપી અને ઉઘાડા પગની મહારાજની લગભગ બે મીટર ઊંચી તામ્રવર્ણી કાયાએ ગુજરાતનો ખૂણેખૂણો ખૂંદી નાખ્યો હતો. ગુજરાતના લોકજીવનની એની તન્મયતાએ એમને સાચા લોકસેવક બનાવ્યા. ઘણાં વર્ષો પર અમદાવાદમાં એક જણાના ઓટલે ઉતારેલા પોતાના નવા જોડા ચોરાઈ ગયા ત્યારથી એમણે જોડા પહેરવા છોડી દીધા હતા. શ્રમ, સાદાઈ અને સંયમ એ મહારાજના જીવનના ત્રણ પ્રધાન ગુણો હતા. જનતાને પણ તેમણે એ જ ગુણો કેળવવાનો બોધ આપ્યો. તેઓ ચેતવણી રૂપે કહેતા, હવેનો જમાનો પરિશ્રમનો આવે છે. પરિશ્રમ નહિ કરે તે ભૂખે મરશે. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. મહારાજનો જન્મ માતર તાલુકાના રઢુ ગામે વિ.સં.1940ની મહાશિવરાત્રીના એટલે કે 25મી ફેબ્રુઆરી, ઇ. 1884ના રોજ થયેલો. નાનપણમાં ખૂબ તોફાની. માતા પાસે બેસી કિશોર રવિશંકર માતાને રામાયણ, ભાગવત વગેરે સંભળાવે એટલું જ નહિ પણ માતા સાથે દળણું દળવા પણ બેસી જાય. ધૂળી નિશાળના આચાર્ય એમના જ પિતા. એ શિવરામ મહેતાજી વિદ્યાર્થીના અભ્યાસની કચાશ સહી લેતા, પણ સંસ્કારની કચાશ મુદ્દલ નહિ. પદંર સોળ વર્ષની વયે ફાટી નીકળેલ પ્લેગની મરકી વખતે મૃત્યુ પામેલાઓને અગ્નિદાહ આપવામાં વ્યસ્ત રહેતા. પિતા પાસે છ ચોપડી ભણ્યા એ જ એમનું ભણતર. પણ માનવસંસર્ગ અને કુદરત પાસેથી એમણે વિપુલ જ્ઞાન મેળ્યું. મહારાજ છેક નાનપણથી નિર્ભય. ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાની શોધમાં એકલા ઘૂમવું એ તો મહારાજને માટે રમત વાત. સમાજ અને ધર્મની દુર્વ્યવસ્થા તેમને ખૂંચતી. કાકાસાહેબે મહારાજને સંસ્કૃતિવીર કહ્યા હતા. ડુંગળીચોર તરીકે પ્રસિદ્ધિ પામેલા મોહનલાલ પંડ્યાના સંપર્કમાં મહારાજ આવેલા. તે અરસામાં દક્ષિણ આફ્રિકાથી હિંદ આવી ગાંધીજી અમદાવાદ રહ્યા. પછી તો સ્વદેશી ભાવનાથી એવા રંગાયા કે પત્નીને કહ્યું કે, આજથી આ મિલકત તમારી અને દેશ મારો. લોકસેવાનું વ્રત લઈ એ ગામડે ગામડે ફર્યા. ઝવેરચંદ મેઘાણીએ `માણસાઈના દીવા’માં રવિશંકર મહારાજને મોઢેથી સાંભળેલી વાતો રજૂ કરી મહારાજની અતિ ઊજળી બાજુનું દર્શન સૌને કરાવ્યું છે. ઈ. 1960ના મે માસની પહેલી તારીખે મુંબઈના દ્વિભાષી રાજ્યોમાંથી છૂંટું પડી વર્તમાન ગુજરાત સર્જાયું. એ ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવા માટે રવિશંકર મહારાજને પસંદ કરવામાં આવ્યા હતા. સમગ્ર જીવનદર્શનના નિસ્તારરૂપે એમણે કહ્યું છે કે, શ્રમ કર્યા વિના જીવે એ હિંસા કરે છે. અહિંસક એ કહેવાય જે કોઈનું લોહી ના લે. પરસેવો પણ લોહીનો પ્રતિનિધિ છે. આપણા માટે કોઈ પરસેવો પાડે એ પાપ છે.

♦ ગુજરાતના આ મૂકસેવક પ્રખર ગાંધીવાદી હતા. 101 વર્ષમાં પ્રવેશ કરી ઈ. 1984ના જુલાઈની પહેલી તારીખે તેમણે મહાપ્રયાણ ક્યું. ભૂદાનપ્રવૃત્તિના એ જબરા ચાહક હતા. 
♦ પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ની સમાધિ 
♦ બાેચાસણ અહીં સામાજિક કાર્ય માટે પોતાના જીવનને સમર્પિત જે શ્રી રવિશંકર મહારાજ માટે "કર્મ ભૂમિ" (કામ જમીન) છે. 

નજીકના શહેરો: બોરસદ, Ashi (પેટલાદ) ગુજરાત, પેટલાદ ગાંધીજીના હનુમાન એવા મહારાજને સરદાર પટેલે પવિત્ર ઋષિ કહ્યા હતા. મહારાજે એક જ આયખામાં સમાજ માટે એટલાં કાર્ય કર્યાં હતાં કે જેના માટે બે-ત્રણ જિંદગીય ઓછી પડે. ચાલતાં ચાલતાં જ ઊંઘી લેવાનો કસબ તેમણે કેળવ્યો હતો. એવી કોઈ આફત નહોતી છોડી કે જેની સામે પોતાની જાત કસી ન હોય. ઘસાઈને ઉજળા થઈએ જેવું જડીબુટ્ટી સમું વાક્ય દેનાર મહારાજ જીવનનાં ૨૫ વર્ષ માત્ર એક ટંક જ જમ્યા હતા. આજે સેવાનું ક્ષેત્ર પણ પ્રચારપડઘમ બની ગયું છે ત્યારે મહારાજને પિછાણનારા કેટલા?જે લોકો ગાંધીજી સાથે કામ કરતા હતા તેમના માટે ઘર અને જેલમાં ઝાઝો તફાવત ન હતો. મહારાજને પણ પૂરતો જેલલાભ મળ્યો હતો. મનુભાઈ પંચોળીએ એક ઠેકાણે નોંધ્યું છે કે 'પૂણેની યરવડા જેલનો જેલર એક્વીનો ભારે કઠોર શાસક ગણાતો હતો. સત્યાગ્રહીઓ માટે તેને લગીરેય લાગણી નહોતી. તે પણ મહારાજની નિર્વ્યાજતા, નમ્રતા અને સત્યાગ્રહીના નિયમપાલનની ચીવટાઈ જોઇ મીણ જેવો બની ગયેલો. જેણે કહેલું કે બે સત્યાગ્રહી મેં જોયા એક ગાંધી ખુદ અને બીજા રવિશંકર મહારાજ.'

૧૯૨૩માં મહારાજ મહારાષ્ટ્રની અકોલાની જેલમાં હતા. રોજ સવા મણ જુવાર તેઓ દળતા હતા. ચક્કી પીસવા ઉપરાંત મહારાજ જેલમાં પથ્થર ફોડવાનું, વણાટકામ વગેરે કામો કરતા હતા. એક વખત સાબરમતી જેલમાં મહારાજ હતા ત્યારે તેમને ૧૯ કિલો અનાજ દળવા અપાતું હતું. પાંચ અઠવાડિયાં સુધી એ ક્રમ ચાલ્યો હતો. બારડોલી સત્યાગ્રહ વખતે મહારાજની ધરપકડ થઈ ત્યારે સરદાર પટેલે કહ્યું હતું કે, 'હજારો માર્ગ ભૂલેલાઓનાં જીવન સુધારનાર, મારા કરતાં ઘણાં વધારે પવિત્ર ઋષિને પકડીને સરકાર માનતી હશે કે મારી પાંખ કપાઈ જશે. સરકાર મારી પાંખો કાપવા માગે છે પણ મારી પાંખો ઘણી છે.'

બહારવટિયાઓ અને મહારાજના મેળાપમાં ગાંધીજી કઈ રીતે નિમિત્ત બન્યા એ કિસ્સો જાણવા જેવો છે. મહારાજ ગાંધીજીના હનુમાન હતા. ગામેગામ ગાંધીદીક્ષાના સત્ય- અહિંસાના મંત્રો વાવતા ફરતા રહેતા હતા. મહારાજ અને બહારવટિયાઓનો પ્રથમ મેળાપ ૧૯૨૨માં છિપિયલથી સરસવણી ગામે પાછા ફરતાં રાત્રે થયો હતો. મહારાજે એ બહારવટિયાઓને કહ્યું કે ગાંધીચીંધ્યું કામ કરો, એ જ સાચું બહારવટું છે. સમજાવટ અસરકારક નીવડી. ત્યારબાદ મહારાજે એ બહારવટિયાઓને ગાંધીજી સાથે ભેટો કરાવવાનું જણાવ્યું હતું. ગાંધીજી પણ ખેડા જિલ્લામાં જવાના હતા પણ તેમને ૧૯૨૨ની ૧૦ માર્ચે પકડવામાં આવ્યા અને ૬ વર્ષની સજા કરવામાં આવી. મહારાજ આ ખબર સાંભળીને દુઃખી થયા, ગાંધીજીએ હસતાં હસતાં મહારાજનો ખભો થાબડીને કહ્યું કે તેં પેલા બહારવટિયાઓને મેળવી આપવાનું કહ્યું હતું, એ તો રહી ગયું પણ તું હવે એ કોમની સેવા કરીશ તો મને બહુ ગમશે. ત્યારથી મહારાજે એ કાર્યને પોતાના ચોવીસ કલાક આપી દીધા હતા.

સમાજની કોઈ પણ વસ્તુનો માત્ર ને માત્ર ખપપૂરતો જ ઉપયોગ કરવો એ ગુણ મહારાજમાં વ્રતકક્ષાએ કેળવાયેલો હતો. મહારાજની કક્ષાનો એ ગુણ બીજા કોઈમાં કદાચ વીણ્યોય ન જડે. મહારાજ વિવિધ કાર્યો માટે પગે ચાલીને જેટલું રખડયા હશે એટલું કદાચ કોઈ નહીં રખડયું હોય. ચાલવું એ મહારાજના જીવનનો ધર્મ હતો. એક ગામથી બીજે ગામ જવું હોય તો મહારાજ ચાલતાં જ નીકળી પડે. કોઈને પત્ર મોકલવાનો હોય તો એનો ખર્ચ કરવાને બદલે પોતાની વાત કહેવા દશ પંદર માઇલ ચાલીને જતાં.

૧૯૨૭માં સુંદરણા ગામે એટલો વરસાદ પડયો કે ગામમાં રેલનું સંકટ ઊભું થયું. એ વખતે મહારાજ છાતીસમાણાં પાણીમાં ચાલીને નજીકના વટાદરા ગામે પહોંચ્યા હતા. ગામમાં ફક્ત ચાર મકાનો ઊભાં હતાં. મહારાજે દોરડાની મદદથી લોકોને ઊંચાણવાળા ખેતરે પહોંચાડવામાં મદદ કરી. એક શિક્ષકની પત્નીને પ્રસૂતિ થઈ હતી અને મકાનની એક દીવાલ તૂટી ગઈ હતી. મહારાજે છાપરાને ટેકો આપ્યો હતો અને પત્નીને ખાવા શીરો શેકી આપ્યો હતો. ત્રીજે દિવસે વરસાદ અટક્યો એટલે ગામના લોકો રવિશંકરદાદાનાં દર્શને આવ્યા હતા. ૧૯૫૯માં અજમેરમાં યોજાયેલું સર્વોદય સંમેલન પતાવીને મહારાજ ચાલતાં ચાલતાં જ અમદાવાદ આવ્યા હતા.

ભૂદાન નામનું મહારાજના જીવનનું એક મહત્ત્વનું સોપાન ૧૯૫૨ ડિસેમ્બરમાં શરૂ થાય છે. મહારાજે સંકલ્પ જાહેર કર્યો કે ૧૯૫૭ સુધીમાં ગુજરાતમાં અખંડ ભૂદાન પદયાત્રા કરવી. એ વખતે મહારાજની ઉંમર હતી ૭૧ વર્ષ. તેમણે ગુજરાતનાં ઘણાંય ગામોમાં પગપાળા રખડીને ભૂદાનનો સંદેશ આપ્યો અને જમીન સંપાદિત કરી. ૧૩.૦૪.૫૫થી આરંભાયેલી ભૂદાન પદયાત્રા ૧૬.૦૩.૫૮ના રોજ સુરતના બાવલી ગામે પૂરી થઈ. છએક હજાર માઇલ મહારાજ ચાલ્યા અને પચીસેક હજાર જેટલી જમીન ભૂદાન માટે એકઠી કરી હતી.

બોરસદ તાલુકામાં બહારવટિયા બાબર દેવાની ટોળી લૂંટ ચલાવતી હતી. એક અખબારે એવો ખોટો અહેવાલ છાપ્યો કે ટોળીને લૂંટફાટમાં ગામલોકોનો સપોર્ટ છે તેથી અંગ્રેજ સરકારે બોરસદનાં ૯૦ ગામો અને આણંદના રેલવે લાઇનનાં ૧૪ ગામો પર પ્યુનિટિવ ટેક્સ એટલે કે હૈડિયાવેરો નાખ્યો હતો. જેમાં ગામના પોલીસ, પટેલ અને હરિજન સિવાય પુખ્ત વયના તમામ લોકો પર સરેરાશ અઢી રૂપિયાનો વેરો ઝીંક્યો હતો. સરદાર પટેલે અને મહારાજ સહિત કેટલાકે એ વેરા સામે લડત આદરી હતી. એ વખતે મહારાજ દોઢ દિવસમાં પગે ચાલીને અઢાર ગામોમાં ફર્યા હતા.

કોઈ માણસ ચાલતાં ચાલતાં જ ઊંઘનો ક્વોટા પૂરો કરી લે એવુંં તમે સાંભળ્યું છે? મહારાજે શરીર પાસેથી એટલું કામ લીધું હતું કે પરસેવાનેય પરસેવો છૂટી જાય. શરીર પાસેથી ક્ષણે ક્ષણનું કામ લઈ લેતા હતા. મહારાજે એવો ગુણ કે કળા વિકસાવ્યાં હતાં કે ચાલતાં ચાલતાં જ ઝોકાં લઈ લે અને ફ્રેશ થઈ જાય. કોઈ વ્યક્તિ પોતાની પ્રવૃત્તિના અનહદ પ્રેમમાં હોય તો જ આવું કરી શકે.

મહારાજે એવી કોઈ આફત નહોતી છોડી કે જેની સામે પોતાની જાત કસી ન હોય. કદાચ એટલે જ ગાંધીજીએ આભાબહેનને એક વાતચીતમાં કહ્યું હતું કે 'બસ મહારાજની આ જ ખૂબી છે! તેમને જે કામ સોંપો, તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે! અને તેથી જ એનું કામ ઝળકે છે અને તેની વધુ સારી અસર પડે છે.'

૧૯૪૧માં અમદાવાદમાં હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં. મહારાજ એ વખતે બોરસદ હતા. એ જ દિવસે કામ પતાવીને તેમણે અમદાવાદની વાટ પકડી હતી. સાંજે સાડા ચારે અમદાવાદ ઊતર્યા ત્યારે રસ્તાઓને સાપ સૂંઘી ગયા હતા. મહારાજ તરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ૪૦-૪૨ મડદાં ગંધાતાં હતાં. સડતાં હતાં, ઊંચકીએ તો દુર્ગંધવાળું પાણી છોડતાં મડદાં ઊંચકીને મહારાજે સુધરાઈની ટ્રકમાં ચઢાવ્યાં હતાં. ત્રણ દિવસથી સડતાં એ મડદાંના દૂૂધેશ્વરને આરે નદીના પટ ઉપર ૧૬ ફૂટ લાંબી ચિતા ઉપર મહારાજે અંતિમસંસ્કાર કર્યા હતા. એ વખતે મહારાજની સાથે તેના બે મિત્રો જ હતા. ટ્રક જ્યારે મડદાંને લઈને સ્મશાન માટે ગઈ ત્યારે ડ્રાઇવરની બાજુની સીટમાં પોલીસ અમલદાર બેસી ગયો હતો. મહારાજ ખડકેલાં મડદાં વચ્ચે હાથમાં લાકડી લઈને ઊભા ઊભા ટ્રકમાં સ્મશાન પહોંચ્યા હતા. સાત દિવસ સુધી મહારાજ મસાણમાં જ હતા અને કુલ ૮૩ મડદાંના અંતિમસંસ્કાર કર્યા હતા. વક્રતા જુઓ કે સ્મશાનનાં લાકડાંનું બિલ મહારાજના નામે ફાટયું હતું.

વર્ષોથી કોંગ્રેસનાં અધિવેશન શહેરોમાં જ ભરાતાં હતાં. ગાંધીજીએ એ ગામડાંમાં ભરાય એવી હાકલ કરી તેથી ૧૯૩૮માં હરિપુરા ખાતે અધિવેશન ગોઠવાયું જેમાં કોંગ્રેસ મહાસભા સુભાષચંદ્ર બોઝના પ્રમુખસ્થાને મળી હતી. એ અધિવેશનની તૈયારી માટે મહારાજ એક વર્ષ અગાઉથી કામે લાગ્યા હતા અને કિસાન રસોડાનું કામ સંભાળ્યું હતું. મહારાજે ગામડે ગામડે ફરીને લાકડાં, વાસણ ઉપરાંત ત્રણ હજાર મણ છડિયા ચોખા એકઠા કર્યા હતા.

મહારાજ ખીચડીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. ગામેગામ રખડતા મહારાજને બે મૂઠી દાળ-ચોખા મળી જાય એટલે ભયોભયો. આખો દિવસ ખેંચી કાઢે. જીવનનાં ૨૫ વર્ષ માત્ર એક ટંક જ જમ્યા હતા જેમાં દશ વર્ષ તો માત્ર દાળ-ચોખાની ખીચડી જ. સમજણા થયા ત્યારથી માથામાં તેલ નાખ્યું નહોતું ને પગમાં ચપ્પલ વિના ચાલીસ વર્ષ કાઢયાં હતાં.

રેલ હોય કે દુકાળ, મહારાજ એ સંકટની પાછળ ત્યાં પહોંચી જ ગયા હોય. ૧૯૪૮માં બનાસકાંઠામાં ભયંકર દુકાળ ફાટયો હતો. ૧૯૪૭થી ૧૯૫૨ સુધી મહારાજ દુકાળ પીડિત બનાસકાંઠામાં રહ્યા હતા. ગામડાંઓમાં રાત-દિવસ રખડયા હતા અને ૪૮ કૂવા અને ૫૧ બોરિંગો કરાવીને પાણીની સમસ્યા દૂર કરી હતી તેથી મહારાજને લોકો 'બોરિંગવાળા મહારાજ' તરીકે પણ ઓળખવા લાગ્યા હતા. ૧૯૬૭માં બિહારમાં દુકાળ ફાટી નીકળ્યો ત્યારે મહારાજે ગુજરાતમાં દુકાળપીડિતો માટે ફાળો તો ઉઘરાવ્યો જ પણ પછી પોતે ત્યાં ફરજ બજાવવા પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ૮૦૦ જેટલા કૂવાઓ ખોદાવવામાં લોકદોરવણી કરી હતી.

આજે જેમ સ્વાઇન ફ્લૂના નામથી લોકો ફફડે છે એવો એક સમયે કોલેરાનો હાઉ હતો. ૧૯૪૧માં મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલમાં કોલેરાનો વાયરો છે અને લોકો ટપોટપ ઉકલી રહ્યા છે. મહારાજ પહોંચી ગયા. જીવના જોખમે મહારાજ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ફરવા લાગ્યા. એ વખતે લોકો અંધવિશ્વાસને કારણે દવાખાને જતા નહીં. મહારાજ સમજાવીને બધાને દવાખાને લઈ આવતા હતા. દરદીઓના ઝાડા-પેશાબ ઊંચકવા, દવા આપવાથી માંડીને ડોક્ટરો અને સ્વયંસેવકોની કાળજી અને વ્યવસ્થા તેમણે સંભાળી હતી. કલોલમાં કોલેરા ફેલાતો મહારાજે અટકાવ્યો હતો. એવી જ રીતે ૧૯૪૫માં વિરમગામમાં કોલેરા ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ ત્યાં દિવસ-રાત ખડેપગે રહ્યા હતા.

સરકારે કાયદો કરી આપ્યો હોવા છતાં ડાકોરના રણછોડરાયના મંદિરમાં હરિજનોને પ્રવેશ મળતો ન હતો. મહારાજ પહોંચ્યા ડાકોર. વાત કરી પણ સવાલ ન ઉકલ્યો. સનાતની ભાઈઓ તૈયાર નહોતા. છેવટે મહારાજે ઉપવાસ શરૂ કર્યા. ત્યારબાદ હરિજનોને પ્રવેશ મળ્યો. એવી જ રીતે ૧૯૫૧-૫૨માં મહારાજે દ્વારકાના મંદિરમાં હરિજનોનો પ્રવેશ કરાવ્યો હતો. મંદિર જ નહીં ગુજરાતમાં કેટલેક ઠેકાણે હરિજનોને જાહેર બસમાં પણ બેસવા દેવામાં આવતા નહોતા. ૧૯૪૭માં મહેસાણાના કલોલ તાલુકાના સરઢવ ગામમાં હરિજનોને બસમાં પ્રવેશ પર પાબંદી હતી. મહારાજે ત્યાં જઇને સવર્ણોને સમજાવ્યા અને હરિજનોને બસમાં પ્રવેશ મળ્યો.

૧૯૭૩માં મહારાજના પગે ફ્રેક્ચર થયું હતું. ચાલી શકે એમ ન હતા. એ વખતે ઓગસ્ટ - સપ્ટેમ્બરમાં ગુજરાતની કેટલીક નદીઓમાં પાણી ફરી વળતાં ભારે ખાનાખરાબી થઈ હતી. મહારાજ પથારીવશ હતા તે છતાં મોટરમાં સૂતાં સૂતાં સંકટગ્રસ્ત વિસ્તારોમાં ફરવા નીકળ્યા હતા. મહારાજ સો વર્ષ જીવ્યા. ૧ મે,૧૯૬૦માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

                                 ♦ માણસાઈના દીવા’હું આવ્યો છું, બહારવટું શીખવવા →’ઝવેરચંદ મેઘાણી

વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ. બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો. એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો; એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક. આમ તો એને વહાણું વાયાથી તે રાતે સૂવા-વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતાં ખેડૂત-લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરકુડા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઈક વિચિત્ર હતું. કદી ન દીઠેલી તેવી કંઈક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહનના ધખતા ધોમ–ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા–માયલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઉભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઈક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? 'પાછા વળો ને!' એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ! એમના એ બોલમાં સચિંતપણાની સાથે પાછું કાંઈક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઈ જવા જેવું કેમ હશે ! –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઈ ગયો. 'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાનીએ ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો છું તે પાછો ન વળું એ તો તેમને સર્વેને જાણીતી વાત છે.' પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડ બની ગઈ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ જ બીજી તરફ ખેતરાં—એ બેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્ય વધુ ને વધુ ઊંડી થતી ગઈ. અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધ પડ્યો. એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઈ જીવતા માણસના હાથ એને પાછો ધકેલતા જણાયા; અને એણે પૂછ્યું : "કોણ છો, 'લ્યા!" "પાછા વરો !" સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો, કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ. "કોણ — પૂંજો ?" મુસાફરે, પોતાના પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઈ ગયેલ સ્વરને પકડી લીધો. "હા; ચાલો આજે પાછા." મુસાફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણા અવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું : "પણ શું છે, 'લ્યા ?" "આગર્ય નકામાં લોકો સે, મહારાજ !" (આગળ નકામાં લોકો—એટલે હરામખોરો—છે.) "કોણ—બહારવટિયા ?" "હા, નામદારિયો." "ફિકર નહિ, પૂંજા ! હું એમની જ શોધમાં છું." બ્રાહ્મણના મોંમાથી ટપ દેતો એ બોલ નીકળી પડ્યો. આંહીથી શરૂ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા ઠાકરડાના ગોર, પોતે જે કંઈ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપૂરો વિચાર હતો કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઈ ને આજે મળશે તો પણ કહી શકાશે નહિ. કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથી એમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહિ પણ કોઈક બીજાના હાથમાં હતો. એ બેજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ તમને આજે પણ આપી શકશે નહિ. એણે ફરીથી કહ્યું: "હું એમની જ શોધમાં છું, પૂંજા ! મારે એમને મળવું છે." "બોલો ના, બાપજી!" હેતબાઈ ગયેલ પૂંજાએ અંધારે અંધારે જીભ ઉપાડી : "એ લોકો તમારી ઇજ્જત લેશે." "મારી ઇજ્જત ! પૂંજા ! મારી ઇજ્જત તેઓ ન લઈ શકે તેવી છે. ચાલ, મને તેમનો ભેટો કરાવ." "બોલશો ના, બાપજી ! હું તમને જવા પણ દઉં નહિ ને સાથે આવું પણ નહિ. એ લોકો તમારા પર કંઈક કરે, તો હું તમને બચાવી શકું નહિ; એટલે મારે મરવું પડે. પાછા હીંડો–કહું છું; એવા એ તમને બાન પકડી રોકી રાખશે." 'બાન પકડી.....!' આ શબ્દોએ મુસાફરના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો. અત્યાર સુધી એને એ ઓસાણ જ નહોતું ગયું; એક જ વિચાર મગજમાં રમતો હતો કે ડાકુઓને ખપ લાગે તેવું કશું પોતાની પાસે નથી. પણ બાન પકડવાની વાતે એને જાગ્રત કર્યા. બાન પકડે છે; બાનને છોડાવવા બદલ મોટી મોટી રકમો માગે છે; અને મુદ્દતસર એ માગ્યાં મૂલ ન મળે તો આ લૂંટારા બાનને ઠાર મારે છે ! જાન ગુમાવવાનો તો શો ડર હોય ! પણ—પણ .... એકાએક એને યાદ આવ્યું કે પોતાની કને કોઈક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે ડાકુઓના હાથમાં વેડફી દેવાય નહિ. પોતાના પ્રાણ અત્યારે એના પોતાના નહોતા રહ્યા. પોતાની જિંદગીને એણે એક બીજે ઠેકાણે હોડમાં મૂકી દીધી હતી; ત્યારે નહિ, પણ ત્યારથી બે જ મહિના પછી એ પ્રાણનો ભોગ બીજે ચડાવવા માટે કોલ–દસ્તાવેજ થઈ ચૂક્યા હતા. માથું તો બારડોલીના મેદાનને અર્પણ બની ગયું હતું. ૧૯૨૨ની એ સાલ હતી. મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકારને બે માસની મહેતલ આપી હતી. હિંદને બે મહિનામાં જો સરકાર સ્વરાજ નહિ આપે, તો ગાંધી બળવો પોકારવાના હતા. ગુજરાત એ બળવાનો પહેલો બલિ બનવાનું હતું; દેશવ્યાપી લડતનાં પહેલાં તોરણ બારડોલીને બારણે બંધાવાનાં હતાં. અને ત્યાં સરકારની બંદૂકોની ધાણી ફૂટવાની હતી, એ વિશે તો કશો શક નહોતો. એ બંદૂકોની ગોળીઓ ખાવા માટે બે હજાર ઉમેદવારોએ પોતાના નામ નોંધાવ્યા હતાં, તેમાં બે નામો જરા વધુ લાડીલાં હતાં : એક મોહનલાલ કામેશ્વર પંડ્યાનું, ને બીજું આપણા બ્રાહ્મણ મુસાફરનું. માથું તો ત્યાં જમા થઈ ગયું હતું. તે ઉપરાંત મૃત્યુનો એ મોકો કેટલો મંગળ, કેટલા થનગનાટ કરાવનારો, કેટલો અપૂર્વ લહાવ લેવાને હિલોળે ચડાવનારો હતો ! સપાટાબંધ આ મુસાફરની કલ્પનામાં એક દૃશ્ય અંકાયું : પાંચ જ દહાડા પર મહીકાંઠાના ખાનપુરા ગામમાં 'બારડોલી સંગ્રામ' નો સંદેશ સંભળાવતી જાહેર સભા મળી હતી. સભા પૂરી થઈ. ગામનો યુવાન મુખી પરશોતમ, સરકારી નોકર, આ બ્રાહ્મણની પાસે આવ્યો; એમને પોતાને ઘેર લઈ ગયો. ઘેર જઈને જુએ તો એણે પોતાના બે નાના દીકરાનાં નામ શૌકતઅલી–મહમદઅલી પાડેલાં—એક જાડીઓ ને એક પાતળો હતો તેથી જ તો ! આ બ્રાહ્મણે કહ્યું કે "પરશોતમ ! ત્યારે હવે નોકરી છોડોને !" મુખી કહે કે, "એ તો મારું શું ગજું !" પણ રાત પૂરી થઈ; સવારે એણે મહેમાનને જમાડીને કહ્યું  : "અહીં બેસો. આજ રાતે બૈરી સાથે બેસીને આખી રાત સંતલસ કરેલ છે; ને તે પછી આ રાજીનામું લખેલ છે, તે વાંચો." બ્રાહ્મણ વાંચતા ગયા તેમ તેમ તો ઊછળતા ગયા. રાજીનામું અતિ કડક હતું. એણે મુખી સામે જોયું. મુખી એ કહેવા માંડ્યું : "રાજીનામું હમણાં ને હમણાં સરકારને મોકલું—પણ એક શરતે : કે બારડોલીમાં જ્યારે ગોળીઓ ચાલે ત્યારે પહેલી ગોળી મને ખાવા દેવી, ને હું 'જય ભારતમાતા !' કહી પડું તે પછી જ બીજાનો વારો ગોળી ખાવાનો આવે—તે પૂર્વે નહિ. છે આ શરત કબૂલ ?" એ પ્રસંગ યાદ આવ્યો. દિલ બોલ્યું : આવા રોમાંચક અને રાષ્ટ્રમંગલ મૃત્યુ પર્વને મેં અર્પણ કરેલી જિંદગી અહીં ડાકુઓના હાથમાં રોળાયે શો લાભ ! ચાલને, જીવ, પાછો ! પાછો ફરી જા, પાછો.... ચાલ પાછો..... ચાલ પાછો— એ જ ક્ષણે એક બીજું દૃશ્ય બ્રાહ્મણની નજર સામે ઊભું થયું : ત્રણ જ દિવસ પરની રાતે વાસણા ગામના ચોકમાં બનેલો એ પ્રસંગ હતો. સેંકડો માણસોની ઠઠ હતી. ડાકુઓની રંઝાડ વિષેની એ સભા હતી. પોતે લોકોને બહારવટિયાની સામે પ્રાણ પાથરવા હાકલ્યા હતા. અને તે વખતે મહેમદાવાદ તાલુકાનો એક પાટીદાર ત્યાં પોતાની કથની કહેવા હાજર હતો. એણે કહેલી કથની આ હતી : 'બહારવટિયા અમારા ઘર પર આવ્યા : મારે કને બે જોટાળી બંદૂક હતી, તો પણ હું નાઠો : પાછળથી સુવાવડમાં પડેલી મારી બૈરીને તેમ જ આંધળી, બુઢ્ઢી માને બહારવટિયા માર મારી ગયા છે તેવા મને ખબર પડ્યા છે.' ભરી સભામાં આવું વર્ણન કરનાર એ ભીરુ પાટીદારને આ બ્રાહ્મણે તે જ વખતે કહ્યું હતું કે, "વાહવા ! ત્યારે હવે તો તમને મરકી, કોગળિયું કે કુદરતી મોત કદી જ નહિ આવે, ખરું ને ! શરમ નથી આવતી ?—કે તમારે કારણે સુવાવડમાં પડેલી તમારી સ્ત્રીને અને નવ મહિના જેણે ભાર વેઠ્યો તે માને તમે ડાકુઓને હાથે પિટાતી મૂકીને નાસી છૂટ્યા–બેજોટાળી બંદૂક રાખતા હોવા છતાં !" એમ કહીને આ લોકોને બહારવટિયાનો મરણાંત સુધીનો સામનો કરવા પડકાર્યાં હતા. એટલે આજે જો હું પોતે જ પાછો ફરું તો ! તો લોકો શું કહેશે ! એ પાટીદાર શું કહેશે ! બારડોલીની બે મહિના પછી આવનારી લડતની વાતો કોણ સમજશે ! એ ઝપાટાબંધ આવેલ બે વિચારોનો નિકાલ પણ એકસપાટે આણી મૂકી એણે કહ્યું : "પૂંજા, તું છો ના આવે; પણ મને બતાવ : ક્યાં છે એ લોકો ?" ઘડીભરની ચૂપકીદી. પૂંજાના કોઠામાં એક મોટો નિ:શ્વાસ પડ્યો, તે મુસાફરને સંભળાયો. અને પછી પૂંજો ફક્ત એટલું જ બોલી શક્યો : "ત્યારે શું તમે નક્કી ત્યાં જવાના ! " "હા, પૂંજા; કહે મને—ક્યાં છે એ લોકો ?" "જુઓ, આ બાજુના જ ખેતરામાં પડ્યા છે." પૂંજાએ ઉગમણી દિશાએ ઊંચી જમીન પરનું ખેતર ચીંધાડીને લાચાર અવાજે ઉમેર્યું : "પણ જોજો હો, બાપજી ! – આ મેં તમને કહ્યાની વાત કોઈકને કહેશો નહિ. નહિ તો બહારવટિયા જાણશે તો એવા એ મને પીંજી નાખશે; ને પોલીસ જાણશે તો એવા એ અમારું લોહી પીશે." "વારુ; જા તું – તારે." અંધારામાં પૂંજો જાણે કે ઓગળી ગયો, અને મુસાફર એ કેડાની ઊંડી નાળ્યમાં આગળ વધ્યો. થોડે છેટે જતાં એણે નાળ્યને કાંઠે એક ખેતરમાં ઝાંપલી દીઠી. પોતે ઉપર ચડ્યા. ઝાંપલી પાસે પહોંચતાં જ ઝાંપલીની પાછળથી એક આદમી ઊભો થયો. પડછંદ આદમી હતો. હાથમાં બંદૂક પકડી ચૂપચાપ ઊભો થયો. તારોડિયાને અજવાળે સ્પષ્ટ વરતાયો. માનવી જ્યારે મૂંગો રહે છે ત્યારે વધુ ભયાનક બને છે. ખડ-ખડ-ખડ-ખડ-ખડ : મુસાફર આ બંદૂકીઆને જોતાંની વાર ખડખડાટ હસી પડ્યો. આજે એને મળો ને પૂછો તો એ નહિ કહી શકે કે એ હસવું એ ભયાનકતાની વચ્ચે એમને શેનાથી આવેલું. પણ એ તો ખડખડાટ હસ્યા, અને એણે પૂછ્યું : " કેમ ? તમે એકલા કેમ છો ? બીજા બધાં કંઈ (ક્યાં) છે ?" આ ખડ–ખડ હાસ્ય અને તેની પછી તરત આવેલો આ વિચિત્ર પ્રશ્ન એ બંદૂકદારને હેબતાવવા બસ હતા. જવાબ એણે વાળ્યો નહિ, એટલે મુસાફરે ઝાંપલી ખોલીને અંદર જઈ ખેતરમાં ચાલવા માંડ્યું. બંદૂકદાર ચૂપચાપ એની પાછળ ચાલ્યો. થોડે છેટે ગયા હશે ત્યાં તો મુસાફરે બીજા બે બંદૂકદારોને પોતાની સામે ખડા થયેલા દીઠા. તેઓ પણ મૂંગા હતાં. "તમે બે જ કેમ ? બીજાઓ ક્યાં છે ?" મુસાફરના મોંમાંથી આપોઆપ એ–નો એ જ સવાલ સરી પડ્યો. જવાબ કોઈએ વાળ્યો નહિ. પાછો મુસાફર આગળ વધ્યો એટલે એ બન્નેમાંથી અક્કકે બંદૂકદારે મુસાફરની ડાબી અને જમણી બાજુ ચાલવા માંડ્યું. ત્રીજો બંદૂકદાર તો એની પાછળ ચાલતો જ હતો. એવામાં એકાએક સામેથી અવાજ છૂટ્યો : "ખબરદાર ! ત્યાં જ ઊભો રે'જે; નીકર ઠાર થશે." તરત મુસાફર થંભી ગયો. બોલનારને એણે થોડે દૂર દીઠો—ઘોડે બેઠેલો. ત્રણ બંદૂકદારો પણ મુસાફરની ત્રણે બાજુએ ખડા રહ્યા. "કુણ સે તુ ?" ઘોડાની પીઠ પરથી ફરીથી સવાલ આવ્યો. "બહારવટિયો છું." મુસાફરે જવાબ વાળ્યો. "અંઈં ચ્યમ આયો સે ?" "થોડીક વાતો કરવા. તમારા સર્વ જણને મળી લેવા. ક્યાં છે એ બધા ?" જવાબમાં ઘોડેસવાર કંઈ બોલ્યો નહિ, પણ આઠ-દસ નવા માણસો આવીને સામે ખડા થઈ ગયા. થોડીવારની ચૂપકીદી પછી મુસાફરે કહ્યું : "છેટે કેમ ઊભા છો ? પાસે આવો, અને બેસો." આજ્ઞાનું પાલન થતું હોય એમ એ આઠ-દસ જણા મુસાફરની સામે ભોંય પર બેસી ગયા. ત્રણ બંદૂકદારોએ બંદૂકો તૈયાર રાખીને ત્રણ દિશા પકડી લીધી હતી. ચોથી, સામી દિશામાં ઘોડેસવાર પોતાને સ્થાને ચોક્કસ નિશ્ચલ થઈ બેઠો હતો. ફરી પાછો દૂરથી ઘોડેસવારે પ્રશ્ન કર્યો. "કુણ સે તું?" "કહ્યું નહિ કે હું બહારવટિયો છું !" "કોની ટોરીનો ?" "ગાંધી મહાત્માની ટોળીનો." સામે કોઈ પ્રશ્ન આવ્યો નહિ. ટોળીવાળાનું નામ સાંભળતા ડાકુઓ મૂંગા બન્યા. અને મુસાફરની જીભ એની મેળે જ આગળ ચાલી: "હું ગાંધી મહાત્માની ટોળીનો એક સૈનિક છું ને તમને સાચા બહારવટાની રીતે શીખવવા આવ્યો છું. કહેવા આવ્યો છું કે એમણે અંગ્રેજ સરકારની સામે બહારવટું માંડ્યું છે. આપણા બધાં દુઃખોનું મૂળ આ પરદેશી સરકાર છે. સાચુ બહારવટું એમની સામે કરવાનું છે. તમારાં નાનાં બહારવટાંથી કશો દા'ડો વળે તેમ નથી. આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. તમારે સાચું બહારવટું કરવું હોય તો ચાલો ગાંધી મહાત્મા કને. એ જ લોકોનું ભલું કરી રહ્યા છે.' મુસાફર બોલી રહ્યો ત્યાં સુધી બારમાંથી કોઈ એ શબ્દ સરખોયે ઉચ્ચાર્યો નહિ. પછી ઘોડેસવારે પ્રશ્ન મૂક્યો : "ગાંધી માત્મ્યાએ લોકોનું શું સારું કર્યું છે ?" "જોયું નહિ અમદાવાદમાં !" મુસાફરને હોઠે એક એવી હકીકત હાજર થઈ કે જે ડાકુઓ પણ સમજી શકે :"મિલના શેઠિયા મજૂરોની રોજી વધારતા નહોતા, તે માટે ગાંધી માત્મ્યાએ લાંઘણો ખેંચી; અંતે વધારો અપાવ્યે જ રહ્યા." આ વખતે સામે ભોંય પર બેઠેલાની ચૂપકીદી તૂટી, અને તે માંહેલા એકે સામો પ્રશ્ન પૂછ્યો : "એમાં ગાંધી માત્મ્યાએ લોકોનું શું ભલું કર્યું ? વિશેષ બુરું કર્યું. શેઠિયા તો કાપડ પર એટલો ભાવ ચડાવશે. આપણને સર્વને કાપડ વિશેષ મોંઘુ મળશે." ઘડીભર મુસાફર ગમ ખાઈ ગયો. ડાકુના મોંમાંથી અણકલ્પી ચોટદાર દલીલ આવી હતી—જેવી ચોટદાર એની બંદૂકમાંથી છૂટતી ગોળી હોય છે તેવી ! પછી દલીલબાજીમાં પાવરધા પટ્ટા–ખેલાડીની બૌદ્ધિક ચપલતા નહિ, પણ અન્ન અને વસ્ત્ર એ જેનું સર્વસ્વ છે તેવા લોકસમૂહની આંતર-વેદના સમજનારા મુસાફરની જીભે જવાબ આવ્યો : "શેઠિયાના હાથમાં ન પડવું પડે તે માટે તો ગાંધી માત્મ્યાએ રેંટિયો બતાવ્યો છે. છોને શેઠિયા કાપડ મોંઘું કરે. આપણે રેંટિયે કાંતીને પહેરી શકીએ. ગાંધીએ સાધન પકડાવ્યું છે." "નહિ રે નહિ, મહારાજ !" ટોળીમાંનો બીજો એક બોલ્યો ('મહારાજ' એવો શબ્દ ઉચ્ચારાતાં તો મુસાફરે જાણી લીધું કે પોતે ઓળખાયેલો છે) : " નહિ, મહારાજ ! એમ શું લોકો ગાંધી માત્મ્યાનો રેંટિયો કાંતવાના ?—એ તો કાંતશે અમારી બંદૂકો દેખશે ત્યારે !" "તમે ચાલો ગાંધી માત્મ્યા કને. હું તમને તેડી જવા આવ્યો છું. એ તમને ઘણી વધી વાત સમજાવશે. ચાલો તમને મારામાં વિશ્વાસ ન હોય, તો તમારામાંથી એક જણ ચાલો. જો હું દગો રમું, તો તમે બાકી રહેલા મારા પર વેર લેજો." "ગાંધી માત્મ્યા આપણા મલકમાં આવે ત્યારે વાત. મહારાજ ! ત્યારે અમે મળશું; હમણાં નહિ." ઘોડેસવારે જવાબ દીધો : "અમે ક્યાં ગરીબોને પીડીએ છીએ ? તમે જ બતાવો : પૈસાવાળા અથવા તો ગરીબોને પીડનારા સિવાયના કોઈને પણ અમે માર્યો–લૂંટ્યો છે ?" "તમને શી ખબર ?" મુસાફરે કહ્યું : "તમારા આવવાના ખબર થાય છે કે તમામ લોકો ફફડી ઊઠે છે, નાસે છે, છુપાય છે; ખેડધંધો કરી શકતા નથી. અને તેમને સરકારી પોલીસ રંઝાડે છે, એ તો જુદું. તમારા ત્રાસની તમને ખબર નથી." "પેટ માટે કરવું જ પડે તો !" એક ડાકુએ કહ્યું. "પેટ માટે ! પેટ તમારું પ્રત્યેકનું મહિને પોણો મણ દાણો માગે છે. પણ તમારે હજારોની લૂંટો કરવી પડે છે, કારણ કે તમારે તમારા આશરાવાળાઓને દેવું પડે છે; સિપાઈઓને પણ દેતા હશો. તમારે મફત પેટ ભરીને બેસવું પાલવે નહિ." ડાકુઓ પાસે આનો સાચો જવાબ નહોતો. જૂઠો જવાબ વાળીને દલીલો કરવાની તેમની વૃત્તિ નહોતી. તેઓ મૂંગા રહ્યા. થોડી વાર રહીને એક આદમીએ મુસાફરને પૂછ્યું (અવાજ પરથી એ જુવાન જણાતો હતો) : "સીસપેનનો કકડો હશે તમારી કને ?" "હા." "કાગર ?" "છે." "તો આલશો ? તમારા ગામના બામણ સોમા મથુર પર અમારે ચિઠ્ઠી લખવી છે." "શું ?" "—કે રૂપિયા પાંયશે પોગાડી જાય; નહિતર ઠાર માર્યો જાણે. એ ચિઠ્ઠી સોમા મથુરને આલી આવજો." અત્યાર સુધીના વાર્તાલાપમાં એકધારો મીઠો અને સુરીલો, કોઈ કુલીન વહુવારુના કંઠ સમો ધીરો ચાલ્યો આવતો મુસાફરનો અવાજ આ વખતે સહેજે ઊંચો થયો. એણે કહ્યું : "એવી ચિઠ્ઠીઓ લખવાને માટે મારાં સીસપેન-કાગળ નથી; અને એવી ચિઠ્ઠીઓ પહોંચાડવા માટે હું આવ્યો નથી. હું તો મારા ગામ જઈને ગામલોકોને તૈયાર કરવાનો કે 'ખબરદાર બનો. બહરવટિયાઓ આવે છે. તેમની સામે આપણે લડવાનું છે. તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે." "મારા હારા ભાન વન્યાના !" બીજાઓ પેલાને એકીસાથે ઠપકો આપી ઊઠ્યા : "મૂંગો મરી રે'ને મહારાજને તે એવું કહેવાતું હશે ! હારો મૂરખો નઈ તો—" પછી એક જણે મુસાફર તરફ ફરીને કહ્યું : "એ તો હારો હેવાન છે. મનમાં કંઈ લાવશો ના, હો મહારાજ ! કહેજો તમતમારા ગામલોકોને. અને તમે હવે જવું હોય તો જાઓ, મહારાજ. હીંડો, અમે મૂકવા આવીએ ?" "મૂકવા આવવા જેવું લાગ્યું હોત તો એકલો આવત શાને ? એકલો જ હીંડ્યો જઈશ." "વારુ, મહારાજ, જાઓ તમેતારે. " એકલા ચાલ્યા જતા મુસાફરે છેટે નીકળી ગયા પછી સામટા બંદૂકોના બાર સાંભળ્યા. એ બંદૂકો બહરવટિયાએ હવામાં છોડી હતી. મધરાતે સરસવણી પહોંચીને મુસાફરે તરત ગામ લોકોને જાગ્રત કર્યા હતા. પણ સરસવણી પર તો તે રાતે કે તે પછી કોઈ રાતે કોઈ લૂંટારુ ટોળી ત્રાટકી નહિ.

શિવરામ માસ્તરનો રવિ → મધુકાન્ત પ્રજાપતી ફેરફાર કરો

વાત્રક નામે એક નદી.

કાચ જેવું એનું પાણી. ખળખળ નાદે વહેતો પ્રવાહ. નદીના પેલે કાંઠે વસ્યું છે સરસવણી નામે ગામ. ખેડા જિલ્લાના સરસવણીમાં રહે છે એક સદ્ગૃહસ્થ. નામ છે એમનું શિવરામ માસ્તર.

શિવરામ માસ્તર છે ભોળા.

શિવરામ માસ્તર છે પરિશ્રમી. માસ્તરનાં પત્ની નાથીબા પણ ઘણાં પ્રેમાળ, માયાળુ અને દયાળુ. માસ્તર અને નાથીબા બધું જ કામ જાતે કરે. વહેલા ઊઠી જાય. આંગણું વાળીને સાફ કરે. માસ્તર પણ સહાય કરે. શિવરામ માસ્તર છોકરાને ભણાવે. મહિને ‚પિયા પાંચ મળે. માસ્તરને બે દીકરા અને એક દીકરી. બે દીકરા પૈકીના એકનું નામ રવિશંકર. રવિશંકરનો જન્મ સંવત 1941માં રઢુ ગામે થયો હતો. શૈશવકાળથી રવિ હોશિયાર, ચતુર અને આનંદી. ઘર એના કિલ્લોલથી સભર રહે. માસ્તર અને નાથીબા દીકરાને જોઈને આનંદવિભોર બનતાં. સંસ્કારી માતાપિતાની છાયામાં રવિનું ઘડતર થયું. ત્રણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. શિવરામ માસ્તરનું ભણતર છોકરાઓ માટે રામબાણ સમાન બનતું. તેમના હાથ નીચે ભણેલા છોકરાઓ આગવી પ્રતિભા કેળવતા. માસ્તર પોતે પાણી ભરવા જાય. રવિ પણ દોટ મૂકે. પાણી ભરવામાં પિતાને મદદ કરે. રવિ શાળામાં સાફસૂફી કરે. ક્યારામાં પાણી રેડે. નાનો રવિ પિતાનાં વચનો સાંભળે અને તેને અનુસરે. છપ્પનિયા દુકાળ ટાણે ભારે હાહાકાર મચ્યો હતો. ઢોરઢાંખર મરવા પડેલાં. એ ટાણે એક ખેડૂત તેના બળદને વેચવા નીકળ્યો. મારતો જાય. ઝૂડતો જાય. બળદ તો મરવાના વાંકે જીવતો હતો. માસ્તરે આ દ્શ્ય જોયું. એમણે ખેડૂતને રોક્યો. માસ્તરે બળદની કિંમત પૂછી. આઠ આનામાં બળદ છોડાવ્યો. માસ્તરની દયાથી બળદ બચી ગયો. રવિએ બળદને સરસ તાજું ઘાસ લાવીને આપવા માંડ્યું. ખોળ ખવડાવે. બળદ તાજોમાજો બની ગયો. પડોશમાંથી આવીને કોઈ કહે : રવિ, ચાલ! દાડિયાઓ માટેના રોટલા તૈયાર છે. ગણી આપવાનું કામ કર. રવિશંકર તૈયાર. રોટલાની વધઘટ અંગે રવિ સરસ સમજણ આપે, કેટલા મજૂરો છે અને કેટલા રોટલા જોઈશે તેની ગણતરી આબાદ કરતો. અન્નનો બગાડ નહીં થાય તેની પૂરતી કાળજી લેવાતી.

વાત્રકના કાંઠે છે હળધરવાસ. આ ગામે જવું હોય તો નદી પાર કરવી પડે. તરવૈયાઓ નદી તરી જાય. ભોઈ લોકો નાવ હંકારે. ઘણા નાવના સહારે સામે કાંઠે પહોંચે. આખો દિવસ નાવ આ કાંઠેલી પેલા કાંઠે ફર્યા કરે છે. કોઈ રબ્બરની ટ્યૂબનો ઉપયોગ કરે. કોઈ તરાપાનો સહારો લે. રવિશંકર ઘણાને કાંઠે પહોંચાડે. એક દિવસ એક ઘટના બની. એક ભાઈ હાંફળાફાંફળા દોડતા આવ્યા. હળધરવાસ જવું હતું. એમના ભાઈને સાપે દંશ દીધેલો. ઉતાવળ હતી. ભોઈ વિના નદી પાર થાય નહીં. પેલા ભાઈ ચિંતામાં ઊભા હતા. ભાઈ રવિ, ભોઈ તો ક્યાંય દેખાતો નથી, પેલા ભાઈ બોલ્યા : હળધરવાસ પહોંચાશે કેમ? મારે ઝટ જવું પડે એમ છે. ભોઈને શોધી આવ રવિ! એમાં શું? ચાલો, હું તમને સામે કાંઠે ઉતારી દઉં! ધોતીનો કછોટો વાળીને રવિશંકર તૈયાર થયા : તમે ચિંતા કરતા નહીં. અબઘડી સામા કાંઠે ઉતારી દઈશ! ગામમાં એવી શાખ પડી ગઈ હતી કે નદી પાર કરવી હોય ત્યારે માસ્તરના છોકરાઓને સાદ દેવો, શિવરામ માસ્તરના દીકરા પરદુ:ખભંજન. કોઈ કામમાં નન્નો ભણે નહીં. થાકે નહીં, હાંફે નહીં. સદાય હસતા ને રમતા. ગામમાં નાટક ભજવાતું હતું. રવિશંકર રાણા પ્રતાપ્નું નાટક જોવા ગયા. પોતાની ટેક ખાતર પર્વતમાળામાં રઝળતા રાણા પ્રતાપ્ને જોઈને રવિશંકરનું હૈયું દ્રવી ઊઠ્યું. એમને થયું : ટેક માટે જીવવું અને ઝૂઝવું. પ્રાણ જાય, પણ ટેક રહે એમ કરવું.

રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી અપેક્ષાઓ ફેરફાર કરો

♦ 1લી મે, 1960ની સવારે રવિશંકર મહારાજના હસ્તે, હરિજન આશ્રમ – અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. એ પ્રસંગે રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી અપેક્ષાઓ 
આજે આટલાં વર્ષે પણ એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતની પ્રજા અને શાસકો મહારાજના ઉદઘાટન પ્રવચનમાં વ્યક્ત થયેલી અપેક્ષાઓ તરફ લક્ષ આપે, એવી આશા સાથે એ પ્રવચન સ-અાદર …
                                                      →(સાભારઃ-વિશ્વનાં યાદગાર પ્રવચનો-પુસ્તક, -સંપાદન-સુરેશ દલાલ, મહેશ દવે- માંથી અંશો…પાના નં.૯૩,૯૫)

આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમ જ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્ર ભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલી અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી. દેશને માટે જેમણે નાની મોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે, તે સૌ નામી-અનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું.

રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ, ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધારોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયાખેડૂતો પણ છે, અને ગુજરાતની પ્રજા પાસે અર્થવ્યહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.

આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાહના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યો થયાં છે. રાષ્ટ્રની સંપત્તિ તેમ જ પેદાશ પણ વધી હશે. પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય, યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી. પણ આપણે ત્યાંની એક એક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે એ કામ કરવાનો એનાં દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે.

આપણે ત્યાંની માનવશક્તિનો અને કુદરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુમાંડું હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જે દેશમાં દૂધ – ઘીની નદીઓ વહેતી, એ દેશમાં ચોખ્ખાં ઘી-દૂધ મળવા દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય ! એ સ્થિતિ ટાળવી જ જોઈએ.

ગોસંવર્ધન અને ગૌસેવા એ જ એનો સાચો ઈલાજ છે. ગોવધબંધી જેમ અમદાવાદ શહેરે અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. એમ થશે તો મને બહુ ગમશે. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગોસેવાનો સાચો માર્ગ છે એ કદી ભૂલવા જેવું નથી.

આજે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણે માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતમાં ગુજરાતે સ્વાલંબી બનવાનો નિર્ધાર કરવો જ જોઈએ. અને એ સાથે સુવ્યવસ્થિત યોજના ઘડીને દેશને માર્ગદર્શન આપવું જોઈએ.

સ્વરાજ્ય મળી પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગપ્રાપ્તિ માટે એને અન્ન અને ઘી – દૂધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનારા ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યા છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલા ગણાતા ભદ્રસમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ્ય મળ્યા પછી ત્યાગને ભોગ તરફની રુખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનમાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવાલાગ્યું છે.

માણસ વધારે પૈસા પાછળ દોડે કેમ કાઢે છે ? એને જેટલું મળે છે એટલું ઓછું કેમ પડે છે ? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખોપભોગ તરફ કેમ વધે છે ? આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કરકસરનું તત્ત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.

બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ, એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ. રાજ્યનાં કામોમાં તો ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્ત્વ દેખાવા લાગશે તે પ્રજા પર એની જાદુઈ અસર પાડશે.

આજે લાંચ અને રુશ્વત અને કાળાબજારની બદીઓ ઠેર ઠેર જોવા મળે છે. એ માટે રાજ્યે અને પ્રજાજનોએ સહકાર સાધીને એને દૂર કરવાનો દૃઢ નિર્ધાર કરવો પડશે.

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનોને આપણું રાજ્ય પરાયા જેવું લાગે છે, કારણ કે આપણા વહીવટની ભાષા હજી અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં ન્યાા્ય ન તોળાય, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને `આ અમારું’ રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ એવી ભાવના નહીં જાગે. રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાતે સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણમાંથી સ્વ. ખેર સાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ રાખવાની જે નીતિ વર્ષો પહેલાં જાહેર કરીને અણલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દૃઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધોરણ ઊતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ, એની પણ ખૂબ વિચારણા કરવી પડશે.

તુમારની ચુંગાલમાંથી પ્રજાને બચાવવાની યુક્તિ જો ગુજરાતનું રાજ્ય ખોળી કાઢશે તો પ્રજા ભારે રાહત અનુભવશે. કલેક્ટર મામલતદારોને મળીને અને મામલતદાર સ્થળ પર જઈને તુમારનો ઝટઝટ નિકાલ કરવા લાગે તો ઘણો બગાડ અટકી જશે. રૂબરૂ પતી જતું હોય એવું કામ તુમારે ન ચઢાવવું જોઈએ. મંત્રીઓ પણ શક્ય હોય ત્યાં કલેકટર વગેરેને મળી ને વ્યવહારુ ઉકેલ કાઢશે તો બધાં બહુ મોટી રાહત અનુભવશે.

વિક્રમરાજાની માફક આપણા મંત્રીઓ કે અધિકારીઓ ભલે વેશપલટો કરી નગરચર્ચા જોવા ન નીકળે, પણ કોઈ ખાતાની ઓફિસ ઉપર કે ચાલુ કામ ઉપર કોઈ પણ જાતની હોહા કે જાહેરાત કર્યા વિના કોઈ કોઈ વખતે જઈ પહોંચવાનો શિરસ્તો પાડશે તો એમને ઘણું જાણવાનું મળશે, અને કર્મચારીઓને એમનું કામ ઝડપથી અને સુંદર રીતે પાડવાની ચાનક ચઢશે.

ભણેલા તેમ જ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ માટે ખાદી અને ગ્રામદ્યોગ જેવા યોગ્ય ધંધારોજગાર શરુ કરવા. જે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણમાં પ્રણાલી ઊભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે.

નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂરત હોય તે અંગેની પ્રવેશપરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી જઈ શકીએ.

બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ એટલું સતત જરૂર નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરુ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પાડવાની જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રનાં તડાં પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.

બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે. પણ ગ્રામપંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ, અને ચૂંટણી દરમ્યાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ. તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું.

લોકશાસનની સાચી ચાવી છે લોકકેળવણી. વહીવટ ચલાવવમાં રાજ્યકર્તાઓને દંડ શક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવા આકરાં પગલાં લેવાં જ ન પડે, એવી રીત શોધવી જોઈએ. તેમ છતાં કોઈ કારણસર ગોળીબાર અનિવાર્ય થઈ પડે તો તેની જાહેર તપાસ કરાવવી જોઈએ.

આજકાલ આપણે ત્યાં શહીદ નહીં, શહીદની ચર્ચાઓ ચાલે છે, પણ એ વખતે જે બનાવો બન્યા હતા એ બહુ દુ:ખદાયક હતા. છેવટે તો એ વખતે ઘવાયેલા કે મરાયેલા એ આપણા ગુજરાતનાં જ બાળકો હતાં, એ લાગણી ભુલાતી નથી. પ્રજાની એ લાગણી તરફ પણ સહાનુભૂતિથી જોવું જોઈએ. તેમનાં માબાપોને પણ હું વિનંતી કરું છું કે તેઓ ગઈગુજરી ભૂલી જાય. પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના.

આજકાલ નાનાં નાનાં છોકરાંઓને હું જોઉં છું, એમની સમજણ અને એમનું શૌર્ય અને એમનું પાણી જોઉં છું, ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું. પણ માબાપોએ કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સંસ્કારો સિંચવા જોઈએ, એમાંથી આપણે કંઈક પાછા પડ્યા છીએ. કેવળ પૈસા અને મોટાઈ કમાવામાં પડ્યા છીએ. શિક્ષકો પણ એમના હાથમાં જે અમોલી મૂડી મૂકવામાં આવી છે, એની કેટલી જવાબદારી છે એનું ભાન પણ વીસર્યા લાગે છે. સરકાર તથા રાજકીય પક્ષો પણ કેળવણી તથા કેળવણીમાં કામ કરનારાઓ પ્રત્યે જેવું ધ્યાન આપવું જોઈએ તેવું નથી આપી શક્યા. આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજે જુવાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ.

અસ્પૃશ્યતાનિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે. પણ વર્ષોથી સેવેલા ઊંચનીચના સંસ્કારો હજી પ્રજાજીવનના વ્યવહારમાંથી દૂર નથી થયા. એ માટે તો હજી આપણે પ્રજામાનસ કેળવવાનો ભગીરથ પુરુષાર્થ કરવો પડશે. એ વાત સ્ત્રીજાતિના પ્રશ્નને પણ એટલી જ લાગુ પડે છે. આ માટે તેમના સમાજોપયોગી કામોને પ્રતિષ્ઠા આપવી જોઈએ, અને ઊંચનીચના જાતિભેદ દૂર કરવા જોઈએ .

આવો જ સવાલ દારુબંધીનો છે. એ અંગે આપણી જ નીતિ છે, તે ખરેખર શ્રેષ્ઠ છે, તે ચાલુ રહેવી જોઈએ. તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય. ખરી રીતે પૂ. વિનોબાજીએ આપણને ગ્રામસ્વરાજની જે રીત બતાવી છે, તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતાં પ્રજાને પોતે ગ્રામશક્તિ એકઠી કરીને ખોરાક, પોષાક, રક્ષણ, કેળવણી, આરોગ્ય અને આપસઆપસના ઝઘડાઓ મિટાવવામાં સ્વાવબંધી બનવું જોઈએ. ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે.

ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં, પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ. સર્વ પ્રાંતો તો લોકો આપણા દેશબંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુદા પડવાનું કે ભેગા રહેવાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠેલા છીએ એ વાત કદી ન ભૂલીએ.

વળી આપણી પાસે ગુજરાતની મોટી કોમ, આદિવાસી જે જંગલમાં પડી છે તે કરકસર અને મહેનતથી જીવે છે પણ અજ્ઞાનતામાં જીવે છે. તો એ આદિવાસી કોમની ઉન્નતિ માટે આપણે ખૂબ લક્ષ આપવું પડશે.

આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ. એટલે એમના વારસાને શોભાવીએ. પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદ્દબુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ. આપ સર્વેએ આ પ્રસંગે આ પવિત્ર કાર્યની શરુઆત કરવા માટે મને આગ્રહ કર્યો તે માટે તમારા સૌના આભાર માનું છું.

♦ સર્વેત્ર સુખિન : સન્તુ સર્વે નિરામયા :
  સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિત્ દુ:ખમાપ્નુયાત્

બીસીકે-૧૨૫એ: પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ફેરફાર કરો

♦ વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને રૂ. ૧.૦૦ લાખનો રવિશંકર મહારાજનો એવોર્ડ આપવામાં આવે છે.

બીસીકે-૧૨૫એ: પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

  1. પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ની સમાધિ
  2. સરસવણી (તા. મહેમદાવાદ)
  3. બીસીકે-૧૨૫એ: પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ
  4. ગુજરાત રાજ્ય સ્થપાના દિને ઉદ્ઘાટન સમયેપૂ. રવિશંકર મહારાજ ૧ મે,૧૯૬૦ના રોજ ભાષણ
  5. sarasavani.ravisankar maharaj
  6. આપણી જ્ઞાતિનું ગૌરવ "શ્રી રવિશંકર વ્યાસ (મહારાજ)"
  7. બારડોલી સત્યાગ્રહ
Sheetal joshi72
 
જન્મની વિગત૨૫ ફેબ્રુઆરી, ૧૮૮૪
(વિ.સં. ૧૯૪૦, મહા વદ ચૌદશ (મહા શિવરાત્રિ))
રઢુ, ખેડા જિલ્લો
(બ્રિટિશ રાજ સમયનું માતર તાલુકાનું ગામ)
મૃત્યુની વિગત૧ જુલાઇ, ૧૯૮૪
બોરસદ
રહેઠાણસરસવણી
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામરવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી
અભ્યાસપ્રાથમિક - છ ધોરણ
ક્ષેત્રસમાજ સેવા, સ્વતંત્રતા સેનાની
વતનસરસવણી
ખિતાબમૂકસેવક, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ધર્મહિંદુ
જીવનસાથીસૂરજબા
માતા-પિતાનાથીબા, શિવરામ વ્યાસ
હસ્તાક્ષર

શ્રી રવિશંકર વ્યાસ (મહારાજ) ચિત્ર ગેલેરી ફેરફાર કરો

સરસવણી (તા. મહેમદાવાદ) ચિત્ર ગેલેરી ફેરફાર કરો


Sheetal joshi72
 
જન્મની વિગત
Ravishankar Shivram Vyas

(1884-02-25)25 February 1884
મૃત્યુ1 July 1984(1984-07-01) (ઉંમર 99)
Borshad, India
અંતિમ સ્થાનCremated at Bochasan
અન્ય નામોmillionaire beggar, secound Gandhi in Gujarat, silent – minister,Maharaj
શિક્ષણPrimary six standard
શિક્ષણ સંસ્થાSarsavni
પ્રખ્યાત કાર્યLeadership of Indian independence movement ,Lifetime Community Service,
philosophy of Satyagraha, Ahimsa or nonviolence.
pacifism
ચળવળIndian National Congress
જીવનસાથીSurajaba
માતા-પિતાNathiba (Mother)
Shivram Vyas (Father)
પુરસ્કારોFile:ravishankar-maharaj.jpg
વેબસાઇટરવિશંકર મહારાજ
હસ્તાક્ષર
ચિત્ર:Autograph information of Ravishankar Maharaj.jpg

Ravi Shankar Vyas (1884–1984) was an Indian freedom fighter born at Rudhi (Kheda district, Gujarat, India) and social reformer, hailing from and working in the state of Gujarat. he was also known with different names like "Borinvala Maharaj" and "Muksevak".

He was one of the earliest and closest associates of Mahatma Gandhi and Sardar Vallabhbhai Patel, and along with Darbar Gopaldas Desai, Narhari Parikh and Mohanlal Pandya, the chief organizer of nationalist revolts in Gujarat in the 1920s and 1930s. Jhaverchand Meghani wrote a novel Maansaee na deeva about the social upliftment work done by Ravi Shankar Maharaj. The novel was very well received by Gujarati readers.[૧][૨][૩]

Born on February 25, 1884, Mahashivaratri Day, to a rural-based peasant Brahmin family of Radhu Village of Kaira District, Gujarat, Ravishankar dropped out of school just after the sixth standard and engaged himself to assist the parents, Nathiba and Shivram Pitamber Vyas in agriculture work.The acute poverty in childhood was well-managed by his proficient socialisation. The love, spirituality, thrift, discipline and self-help visible in his actions was a legacy of his parents. Surajba was his wife, Medhavrat (Panditji) and Vishnubhai were his two sons and Mahalaxmiben was his daughter.

Those were the days when the freedom movement of India was at the turning point towards independence from the British imperialism. Gandhi’s leadership based on Ahimsa was emerging. Besides Satyagraha in Champaran, Bihar, Gandhi was ready to lead another Kisan Satyagraha in Kaira, Gujarat. Vallabhbhai Patel had already accepted him as his leader. At this very time Ravishankar inspired by Gandhi’s ideas also joined the non-violent battle of the peasants of Kaira with courage and enthusiasm. His short-term association with Gandhi brought a drastic change in his vision of life. Therefore, by going from village-to-village in the Kaira district, he collected fact-based information regarding problems and difficulties of farmers proving himself to be a restless, tireless and a great constructive worker of his time.

Ravishankar Vyas, affectionately called as the 'Maharaj' in Gujarat 
and all over India, was a true Gandhian, a leading freedom fighter  
and a humble servant of the people.
ચિત્ર:Autograph information of Ravishankar Maharaj1.jpg
Autograph of Ravishankar Maharaj at palanpur 1962.

Impact of Arya Samaj and Gandhiji ફેરફાર કરો

ચિત્ર:Ravishankar-maharaj.jpg
1984-1920 ♦ From childhood he influence from Mahatma Gandhi and join the country for country and community service. Foundation work in Land donation and Sarvodaya plan of Vinoba bhave, put his life on risk and change life of Community of baraiya, gangs of dacoit & thug.

He was a school drop-out after sixth standard and then was profoundly influenced by Gandhiji. The Arya Samaj Movement founded by Swami Dayanand Saraswati and Shree Chotalal Kavi implanted the seeds of revolutionary spirit, the quest for social reform and efficient leadership skills in him. Writings of Swami Ramatirth

ચિત્ર:દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજ.jpg
1920- Ravishankar Maharaj rejected foot wear from when his foot wear was stolen.♦ The true saint who continuously walked.
ચિત્ર:ગુજરાતના બીજા ગાંધી રવિશંકર મહારાજે.jpg
1921 -, Want to sold his land and property for Service in nation building, but wife did not agree to leave the property, then he decide to leave his all right of land and property and he dedicated life to country.

and Swami Vivekananda developed logical thinking pattern and instilled sanskaras in him. He obtained deep insights about religion, spirituality and problems of the downtrodden due to the impact of Arya Samaj. “Aryo par anaryo ka raj nahi hona chahiye” said Swami Dayanand Saraswati and this statement created a deep impact on the personality of Ravishankar Maharaj. He decided to become an Aryan in true sense. It was the time when freedom struggle was gaining momentum which infused a sense of fighting for freedom in him.

He firmly believed in the thought of Swami Dayanand Saraswati that the existing education system is value-less and of no importance. Hence he put his son for education at Kangda Gurukul to prepare him for real life, value based education.

The herculean task of correctional social work with dacoits of Kheda region was initiated by Ravishankar Maharaj on the suggestion of Gandhiji’s prison-stay at Sabarmati Central Prison in Ahmedabad.


A Voracious Reader ફેરફાર કરો

ચિત્ર:Swami Anand-Ravishankar Maharaj -સ્વામી આનંદ- રવિશંકર મહારાજ.jpg
1920 –Swami Anand-Ravishankar Maharaj– Ravishankar Maharaj established National school in Sunav, performed his duty as Principal to peon.

Shri Mohanlal Pandya who was the Farm Superintendent of Agriculture Department at Baroda had written a short biography of Gandhiji, which he gave to read to Ravishankar Maharaj. This marked the first contact of Pujya Ravishankarji with Gandhijian ideology. When he went to Kochrab Ashram to meet Gandhiji, he mistook Vinobaji as Gandhiji and bowed to him. Later on he met Gandhiji in person and asked a few questions which had puzzled him for long. Gandhiji answered all his questions with patience and he felt satisfied. In the evening, he listened to Gandhiji’s lecture at Premabhai Hall where Gandhiji’s one firm statement to maintain silence and discipline in the hall made the entire gathering calm. Ravishankar Maharaj went spell-bound with this incident and realised the leadership qualities of Mahatma Gandhi.

Later on it was Gandhiji who gave him a vision of life and answers to those questions which had remained unanswered till date for him. His appetite for reading and understanding was unquenchable. He read the Upanishads, the Ramayana, Mahabharata, Satyarth Prakash and Gita Manthan at a very young age and that strengthened his value system. He also read Karmayoga by Tilak in the prison of Akola and 18 books of Sanskrit by Satwadekar in Sabarmati prison. He learnt Marathi upto fourth standard and the studied history of England, France, Italy, Ceria, Germany, Greece, Turkey and Iran in Marathi. He also read seven to

eight books by Nathmadhav on Maratha regime, Moghul regime and Shivaji Maharaj. Glimpses of World History, Purusharth Bodhini, Sarvodaya Ni Jivan Kala, Gandhi Abhinandan Granth by Sir Radhakrishnan, Sanskruti Nu Bhavi, Mahabharat by Satwadekar, all Gujarati books of Gandhiji, books and articles by Kakasaheb Kalelkar and Kishorlalbhai were among his reading list. He also used to regularly read Navjivan and Harijan Bandhu.

ચિત્ર:ગુજરાત રાજ્ય સ્થપાના દિને ભાષણ.jpg
♦ 1923 – He revoked for not to pay Haidia tax in Borsad passive resistance (Styagraha).

Change Agent & Counsellor ફેરફાર કરો

The quality of change agent was clearly evident even in his domestic life. At the death of his mother, he carried out only a token of customs to be performed after death of parents and declared to his family and relatives that from now onwards, his relationship with family ends.

Shankaracharya visited his village once and asked in public whether any person following Aryasamaj was present or not. Ravishankar Maharaj responded to this bravely and publicly acknowledged that he was an Arya Samaji. He also fought against the village custom of giving one rupee per house to Shankaracharya and told that to earn one must do work. He valued truth and was fearless.

Courage was his second name. Once he had visited Utkantheshwar Mahadev and was cooking food besides the bank of a river there. In the meantime he saw three men drowning in the river and without caring for his own life and safety; he plunged into fast flowing waters and saved them. During the Hind Swaraj movement, he distributed the booklets of Hind Swaraj by Gandhiji to every village in Gujarat with his name and address on it. He was not even slightly afraid that he might get caught – only the freedom of nation was at his heart.

It was customary in Mehamdavad to provide food items at no cost to the prison and police personnel and if anyone tired to deviate – they were punished. Ravishankar was determined to stop this corrupt system. Standing firm on his decision, he braved the wrath of Mamlatdar, who ultimately gave-in to his demand and the corrupt system was done-away with forever.

Addiction to alcohol, theft, giving threat to others and unstable marital relationships were typical of Patanwadia community. Pujya Ravishankar Maharaj worked extensively with them. Strong and effective deaddiction campaigns were undertaken by him in addition to regular counselling of the community. He also helped the community understand that marriage is a sacrament and an institution.

A stable marriage is very important to peaceful community life, procreation, upbringing and positive socialisation of children. Gradually, his work brought in positive changes and the community was able to cope with its problems. He also helped them to get organised and form a council where 133 villages participated willingly.

Benefactor and Enabler ફેરફાર કરો

At the age of 25 years the Superintendent of Shri Fatehsinh Rao Orphanage, Baroda entrusted him the responsibility of mobilising financial resources. Though Ravishankar Maharaj had no experience of collecting funds, he took up the challenge and mobilised a sizeable amount of funds for the institution.

He had a charismatic personality and the villagers followed each of his word. Swadeshi was his way of life and when Kheda District Swadeshi Bhandar of Nadiad was in dire need of share capital, he helped the movement and the organisation by collecting share capital of Rs. 2,000/- from Haldharwas, Saraswani and Ghodasar villages.

Freedom Fighter ફેરફાર કરો

ચિત્ર:સતત ચાલતા રહેલા સાચા સંત પૂ.રવિશંકર મહારાજ.jpg
1926 – 6 month of sentence due to participating refuse payment of increased land taxes; the success of this protest, the Bardoli passive resistance (Styagraha).

Gandhiji’s public-talks made him feel hatred towards foreign clothes. He burnt all the imported clothes in his house and took the vow to wear self-woven khadi forever. Swadeshi became his way of life – not only imported clothes but also intake of foreign sugar was stopped by him.

ચિત્ર:ગુજરાત રાજ્ય સ્થપાના દિને ઉદ્ઘાટન ભાષણ-.jpg
♦ 1930- 2 years of sentence due to participating in Dandi passive resistance (Styagraha).

He believed that liquor kills the family life and creates several problems particularly for the women. With his belief he initiated the picketing of country-liquor shops in Kheda region during the freedom movement.

Pujya Maharaj had cut-off his ties with the materials possessions of his house as he was unable to contribute his share to the Tilak Memorial Fund. This incident marked the complete devotion of Ravishankar to the service of the nation.

He was an active member of Nagpur Zanda Satyagrah team which went from Nadiad to Nagpur. He was arrested and put behind the bars during this period which was his first experience in the prison. He was then transferred to Akola prison where he met Shree Vinoba Bhave. Even during his prison-stay he worked very hard.

On his release from the prison he saw the political atmosphere and decided not

to intervene in politics. He went back to Chapra village in Mehamdavad taluka and initiated constructive work there.

The British government took Punitive Tax on 90 villages of Borsad taluka and 14 villages neighbouring railway line in Anand taluka, on the basis of a report given by the Times of India about the support of villagers to a dacoit. Sardar Patel intervened and formed a committee to investigate in to the matter. Ravishankar Maharaj was a member of the said committee and based on the reports given by the committee, social action was strategiesed and implemented which led to the abolition of Punitive Tax.

His diligent work during the cholera epidemic at Kalol in 1941 and at Viramgam in 1945 was more than a service to humanity. He worked hard to remove the misconceptions about cholera among the rural masses and helped them with medical care. He also performed the role of a mediator between the cholera victims, volunteers and the doctors. His efforts helped in reduce the death toll dramatically; indeed he was the saviour of many lives. During his stay at Sabarmati prison on account of Freedom Movement in 1942, he served the sick and wounded youth within the blinding walls of prison. His experiences were carved by Shree Zaverchand Meghani in “ma`sa[na dIva”.

ચિત્ર:રાષટ્ીય જીવન ચરીતર ગ્ંથાવલી રવિશંકર મહારાજ.jpg
1942 - Quit India movement and participated in the communal riots in Ahmedabad. In the creative part, imprisonment in jail after independence rustic Gita explains the works of improvement in social functioning.Character of national freedom fighter life
1942 - Quit India movement and participated in the communal riots in Ahmedabad. In the creative part, imprisonment in jail after independence rustic Gita explains the works of improvement in social functioning.Character of national freedom fighter life 
ચિત્ર:Ravishankar-maharaj signature 30-1-1953.jpg
1947-49 Ravishankar Maharaj begins eye relief camp in Gujarat as per the suggestion of Mahatma Gandhi.1953-30-1-signature of Social Servant of Gujarat.
1947-49 Ravishankar Maharaj begins eye relief camp in Gujarat as per the suggestion of Mahatma Gandhi.1953-30-1-signature of Social Servant of Gujarat. 
ચિત્ર:"મૂઠી ઊંચેરા માનવી" ગૌરવ શ્રી રવિશંકર વ્યાસ (મહારાજ).jpg
1955-1958 Ravishankar Maharaj walked 6000 kilometre for Land donation (Bhoodan) at the age of 71.
1955-1958 Ravishankar Maharaj walked 6000 kilometre for Land donation (Bhoodan) at the age of 71. 
ચિત્ર:13-ravishankar-maharaj.jpg
The whole life he eats only one meal a day of boiled simple Khicdi (Hotch Potch of Rice and lentils).
The whole life he eats only one meal a day of boiled simple Khicdi (Hotch Potch of Rice and lentils). 
ચિત્ર:રવિશંકર મહારાજ ગ્રામ સંસ્કૃતિ’ પુસ્તક.jpg
Where are we today? - Ravi Shankar Maharaj rural culture 'book - editing by Shivabhai G. Patel
Where are we today? - Ravi Shankar Maharaj rural culture 'book - editing by Shivabhai G. Patel 

Pujya Ravishankarji always advocated the cause of the poor and the downtrodden. He never tolerated injustice meted out to any human being. Once he went to the police inspector of Kathol village and asked him whether he was appointed to safeguard the interests of the villagers or to exploit and torture them.

Taking recourse to non-violent action, he utilised the weapons of fasting, not taking water and silence to make several thieves realise their mistakes and thereby change their way of life. He worked in Kathana, Kinkhlod, Vatadara, Jogan, Banejada, Kanbha, Bhadran, Okha, Petlad and other villages of Kheda and Anand region.

During the struggle of abolition of Punitive Tax, he visited Jogan village near Petlad. Here he witnessed extreme poverty in which Patanwadia and Baraiya communities were merely surviving. He could not stand the sight of suffering and decided to work for the upliftment of these communities. There was a system of taking daily-rolls for all the members of Patanwadia community in the villages as

ચિત્ર:Ravishankar Maharaj Freedom Fighter.jpg
1960,May 1,Gujarat state was formed and it was inaugurated by the Shri. Ravishankar Maharaj, Profession: a lifelong social, life: the true saint continued, Nickname: Handful of raw man rises, Second Gandhi in Gujarat, silent - Servant.Don’t spend even 1 for themselves, but he received the donation of millions of rupees and precious lands.then become his nick name 'millions of beggars'.
1960,May 1,Gujarat state was formed and it was inaugurated by the Shri. Ravishankar Maharaj, Profession: a lifelong social, life: the true saint continued, Nickname: Handful of raw man rises, Second Gandhi in Gujarat, silent - Servant.Don’t spend even 1 for themselves, but he received the donation of millions of rupees and precious lands.then become his nick name 'millions of beggars'. 
ચિત્ર:ગુજરાત રાજ્ય સ્થપાના દિને ઉદ્ઘાટન સમયેપૂ. રવિશંકર મહારાજ ૧ મે,૧૯૬૦ના રોજ ભાષણ-1.jpg
1 May, 1960 -Shree Ravishankar Maharaj opening speech on founded Gujarat state had inaugurated by Ravishankar Maharaj’s own hands.-1 (In Gujarati)
1 May, 1960 -Shree Ravishankar Maharaj opening speech on founded Gujarat state had inaugurated by Ravishankar Maharaj’s own hands.-1 (In Gujarati) 
ચિત્ર:ગુજરાત રાજ્ય સ્થપાના દિને ઉદ્ઘાટન સમયેપૂ. રવિશંકર મહારાજ ૧ મે,૧૯૬૦ના રોજ ભાષણ-2.jpg
1 May, 1960 -Shree Ravishankar Maharaj opening speech on founded Gujarat state had inaugurated by Ravishankar Maharaj’s own hands.-2 (In Gujarati)
1 May, 1960 -Shree Ravishankar Maharaj opening speech on founded Gujarat state had inaugurated by Ravishankar Maharaj’s own hands.-2 (In Gujarati) 
ચિત્ર:ગુજરાત રાજ્ય સ્થપાના દિને ઉદ્ઘાટન સમયેપૂ. રવિશંકર મહારાજ ૧ મે,૧૯૬૦ના રોજ ભાષણ-3.jpg
1 May, 1960 -Shree Ravishankar Maharaj opening speech on founded Gujarat state had inaugurated by Ravishankar Maharaj’s own hands.-3 (In Gujarati)
1 May, 1960 -Shree Ravishankar Maharaj opening speech on founded Gujarat state had inaugurated by Ravishankar Maharaj’s own hands.-3 (In Gujarati) 
ચિત્ર:ગુજરાત રાજ્ય સ્થપાના દિને ઉદ્ઘાટન સમયેપૂ. રવિશંકર મહારાજ ૧ મે,૧૯૬૦ના રોજ ભાષણ-4.jpg
1 May, 1960 -Shree Ravishankar Maharaj opening speech on founded Gujarat state had inaugurated by Ravishankar Maharaj’s own hands.-4 (In Gujarati)
1 May, 1960 -Shree Ravishankar Maharaj opening speech on founded Gujarat state had inaugurated by Ravishankar Maharaj’s own hands.-4 (In Gujarati) 

the community was labelled as criminal community. This system of roll-call of men, women and children was symbolic of inhuman treatment for Ravishankar Maharaj. He counselled the community leaders and members and helped them understand that it is below dignity. On the other hand he worked with the Police Commissioner of Baroda and convinced him to stop this system. Ultimately his dream came true.

ચિત્ર:ગુજરાત રાજ્ય સ્થપાના દિને ઉદ્ઘાટન સમયેપૂ. રવિશંકર મહારાજ.jpg
1975 - Opposition to Emergency

Maharaj well understood the dynamics of oppression and vulnerability and welfare of the weaker sections was at his heart. Dalits during those days were not allowed entry into the temples particularly at Dakor, Swaminarayan temple and Shree Ranchodrai temple at Ahmedabad and Dwaraka temple. He utilised fasting and persuasion as non-violent means of social action and successfully helped the dalits achieve their right to freedom of religion.

In any event of natural disaster across the country, the presence of Maharaj’s services was felt. From 1847 to 1952, he worked in Radhanpur, Sami and Harij talukas for the removal of acute water shortage. He dug 48 wells and 51 bore- wells and came to be known as Borewell maharaj'(બોર્ વાળા મહારાજ)'. He also undertook relief work during the draught of Bihar, flood of Orrisa and Bangladesh and communal riots of Ahmedabad.

Bhoodan movement also witnessed the noble intervention of Pujya Ravishankar Maharaj. Adhering to the dictum charity begins at home he gave all his land to the Bhoodan movement in 1953. He took the leadership of the movement in Gujarat, undertook padyatra from Viramgam to Bavli and convinced thousands of landlords to contribute their land to the Bhoodan movement. His tireless efforts resulted in to the donation of 25,000 acres of land and 4.5 lakhs in cash for the benefit of small and marginal farmers.

ચિત્ર:Ravishnkar.jpeg
♦ Until 1984, whoever became chief minister of Gujarat immediately went to Ravishankar Maharaj to get blessings as it became a system.

Gujarat was blessed by Pujya Ravishankar Maharaj on its inaugural on 1st May 1960 and later on the initiation of Panchayati Raj was also under his able guidance. Even after the independence, his selfless service continued to achieve new heights. He continuously pleaded to the people of Gujarat to maintain peace and harmony during turbulent times and initiated movements to curb corruption and inflation across the State. In 1976, Ravishankar Maharaj Seva Trust was established with his blessings, which continued his services. His sad demise on 1st July 1984 indicated that he was in real sense “મુઠ્ઠી ઊંચેરો માનવી”.

Satyagraha in Gujarat ફેરફાર કરો

The Gujarat region was the centre of activities pertaining to the national liberation movement of India in these days and strategies for all future programmes were also decided from there. Ravishankar Vyas was selected as the one of three [other two were Narhari Dwarkadas Parikh and Mohanlal Kameshwar Pandya], who were given the responsibility to decide strategy in making the Non-Cooperation Movement [the first mass action to be launched by Gandhi in 1920] as an unprecedented and successful movement under the able guidance of Vallabhbhai Patel. This very trio also accomplished the same task in launching of the Civil Disobedience Movement by Gandhiji in 1930.

♦ Profession: a lifelong social, ♦ life: the true saint who walk continued for social service,♦ Nickname: Handful of raw man rises, millions of beggars, Second Gandhi in Gujarat, silent - Servant.

Ravishankar Vyas actively participated in Borsad Satyagraha [1923-4] and Bardoli Peasants’ Agitation [1928]; he stayed at the forefront in Individual Satyagraha [1940] and Quit India Movement [1942] and suffered imprisonment for at least ten years. Being a leading constructive-social worker and leader he established Rashtriyashala at Sunav, Gujarat, particularly with the purpose of making the youth self-reliant and instilling in them a sense of duty and values. He worked day and night at the time of a natural calamity that came in the form of floods in 1927 in the Central Gujarat and earn the title of Maharaj of the people. Moreover, after India’s independence from the British Rule, Ravishankar Maharaj associated himself with the Sarvodaya and the Bhoodan

ચિત્ર:RAVISHANKAR MAHARAJ.jpg
Silent servant, the servant of the people and the state of the 'grandfather' of Ravishankar Maharaj, how do you recognize?


ચિત્ર:Ravishankar Maharaj (Paperback).jpg
Which book reach to every home in India for fight of the Independence government in britshraj by Ravi Shankar Maharaj ? Answer: Hind Swaraj # gnthavali caritara national life.?


programmes and concentrated his entire energy on practical and beneficial work for the welfare of the down-trodden people of Gujarat. Organizing relief works for the aid of the victims of natural calamities like cyclones, floods and draughts in villages, in making permanent arrangements for the implementation of relief work in view of the repeated onslaught of such natural calamities, and his noteworthy work for the common men and particularly rural masses became the source of inspiration for those concerned about reconstruction and rebuilding India. |File:Ravishankar Maharaj (Paperback).jpg|Which book reach to every home in India for fight of the Independence government in britshraj by Ravi Shankar Maharaj ? Answer: Hind Swaraj # gnthavali caritara national life. |File:RAVISHANKAR MAHARAJ.jpg|Silent servant, the servant of the people and the state of the 'grandfather' of Ravishankar Maharaj, how do you recognize?

Ravishankar Maharaj as a matchless social reformer, worker and leader, was a real Gandhian and highly respected among the people of Gujarat. The Maharaj breathed his last on July 1, 1984 at the age of 100. In recognition and honour of the great services rendered by Ravishankar Maharaj, the Department of Post and Telegraph, Government of India, issued a commemorative stamp under the category of ‘Leading Freedom Fighter and National Leader’.

ચિત્ર:Ravishankar Maharaj statuen in sarasvani.jpeg
Statue of Ravishankar Shivram Vyas in his native place sarsavni.Born-25 February 1884,Radhu village, Kheda district, tehsil matar, British Indian Empire,Died-1 July 1984 (aged 99),Borshad, India.
ચિત્ર:Indian postage stamp on RAVISHANKAR MAHARAJ Date of Issue 24 Dec 1985.jpg
1985-A commemorative India postage stamp on Ravishankar Maharaj Date of Issue 24 Dec 1985 Denomination50 nP Category-Personality.
  1. Date of Issue 24 Dec 1985 Denomination 50 np (naya Paisa) Category:Personality In recognition and honour of the great services rendered by Ravishankar Maharaj, the Department of Post and Telegraph, Government of India, issued a commemorative stamp under the category of ‘Leading Freedom Fighter and National Leader’.
  2. May 1, 1960, Gujarat state was formed and it was inaugurated by the Ravi Shankar Maharaj, until 1984, whoever became chief minister of Gujarat immediately went to Ravishankar Maharaj to get blessings as it became a system.

Native Place Sarasvani ફેરફાર કરો

ચિત્ર:Water tank in sarasvani.jpg
water tank in native village sarasvani of Ravishankar Maharaj
water tank in native village sarasvani of Ravishankar Maharaj 
ચિત્ર:પૂ.રવિશંકર મહારાજના માદરે વતનથી સુપ્રસિદ્ધ સરસવણીને પુલથી જોડતો હલધરવાસનો માર્ગ.jpg
A bridge of Ravishankar Maharaj native village sarasavani to the road connecting haladharvas village.
A bridge of Ravishankar Maharaj native village sarasavani to the road connecting haladharvas village. 
ચિત્ર:HanumanTemple at sarsvani.jpg
HanumanTemple at sarsvani
HanumanTemple at sarsvani 
ચિત્ર:Pir dargah at સરસવણી.jpg
Pir dargah at sarasvani
Pir dargah at sarasvani 

References and notes ફેરફાર કરો

ઢાંચો:Gandhi


2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters ફેરફાર કરો

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.